________________
J૩૬૧ થી ૩૩
હવે જંબૂદ્વીપ નામની વ્યુત્પત્તિ પૂછે છે – • સૂત્ર-૩૬૪,૩૬૫ - [૬૪] ભગવત્ ! કયા હેતુથી જંબુદ્વીપને જંબુદ્વીપ કહે છે ?
ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જંબૂ વૃક્ષો, જંબૂ વનો, જંબૂ વનખંડો છે, તે નિત્ય કુસુમિત યાવત પિડમ-મંજરી-અવતંસક ધર છે, શ્રી વડે અતિ ઉપશોભિત થઈ રહેલાં છે.
જંબૂ સુદર્શનામાં નાદેતનામે મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિઆયુવાળો એક દેવ વસે છે.
તે કારણથી હે ગૌતમ! તે જંબુદ્વીપ હીપ કહેવાય છે.
[૬૫] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર મિથિલા નગરીના માણિભદ્ર ચૈત્યમાં –
ઘણાં શ્રમણો, ઘણા શ્રમણીઓ, ઘણાં શ્રાવકો, ઘણી વિકાઓ, ઘણાં દેવો અને ઘણી દેવીઓ મળે –
- જંબુદ્વીપ પ્રાપ્તિ નામક આધ્યયનનું એ પ્રમાણે આખ્યાન કર્યું. એ પ્રમાણે ભાષણ કર્યું. એ પ્રમાણે પ્રજ્ઞાપના કરી અને એ પ્રમાણે પ્રરૂપણા કરી.
યોં! આ અધ્યયનો અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને વ્યાકરણપૂર્વક વારંવાર તેનો ઉપદેશ કર્યો.
તેમ હું તમને કહું છું. • વિવેચન-૩૬૪,૬૫ -
ભગવદ્ ! કયા કારણે જંબૂદ્વીપ દ્વીપ એમ કહેવાય છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં જંબૂવૃક્ષો એકૈક રૂપે વિરલ સ્થિત છે. ઘણાં જંબૂવન - જંબૂવૃક્ષો સમૂહ ભાવથી રહેલાં છે. તથા ઘણાં જંબુવનખંડ - જંબૂવૃક્ષ સમૂહો વિજાતિય વૃક્ષ મિશ્રિત છે. તેમાં પણ જંબૂવૃક્ષની જ પ્રાધાન્યતા છે, તે પ્રસ્તુત વર્ણકનું સાફલ્ય છે, અન્યથા બીજા વૃક્ષોના વનખંડથી નિર્મિતભૂત જંબૂદ્વીપ પદ પ્રવૃત્તિ નિમિત્તત્વમાં અસંગતી ચાય.
તે કેવા છે ? નિત્ય-સર્વકાળ, કુસુમિત ચાવતુ પદથી નિત્ય માયિત, નિત્ય લવચિક, નિત્ય સ્તબકિત ઈત્યાદિ કહેવું. જેનું વ્યાખ્યાન પૂર્વે વનખંડના વર્ણનમાં કરાયેલ છે.
ઉક્ત વર્ણ યુક્ત વૃક્ષો શ્રી વડે અતિ ઉપશોભિત થઈને રહેલા છે. આ નિત્ય કુસુમિતત્વ આદિ જંબવૃક્ષાને ઉત્તરકુર ક્ષેત્રની અપેક્ષાથી જાણવા. અન્યથા આ વર્ષાકાળ ભાવિ પુષ્પ ફલોદયવથી પ્રત્યક્ષ બાધા આવશે. આ જંબૂવૃક્ષ બહુલ દ્વીપ જંબૂદ્વીપ એ પ્રમાણે કહેવાય છે. • • અથવા - -
જંબૂ સુદર્શના નામથી અનાદત નામે - પૂર્વે જંબૂવૃક્ષાધિકારમાં વ્યાખ્યાત નામવાળો મહદ્ધિક, મહાપૂતિક ઈત્યાદિ પચોપમસ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણથી એમ કહે છે કે - આ જંબૂદ્વીપ છે. સૂત્રનો એક દેશ જ બીજા સૂકદેશનું
૨૦૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ મરણ કરાવે છે –
- તેથી જંબૂદ્વીપ એવું નામ શાશ્વત છે, જે કદી ન હતું તેમ નહીં, નથી તેમ પણ નહીં, નહીં હશે તેમ પણ નહીં. ચાવતું આ નામ નિત્ય છે, તેમ જાણવું.
જીવાભિગમની પ્રતિમાં તેમ દશર્વિલ છે, આ કયા આકાર અને ભાવ પ્રત્યાવતારવાળો જંબૂદ્વીપ છે, તે ચોથો પ્રશ્ન કહેવો.
હવે પ્રસ્તુત તીર્થ-દ્વાદશાંગી-સૂત્રના સૂત્રગુંચનકર્તા શ્રી સુધમસ્વિામીજી પોતાના ગુરવ અભિમાનને છોડીને પ્રસ્તુત ગ્રંચના ઉપદર્શનપૂર્વક નિગમન વાક્ય કહે છે - ‘તા ' ઈત્યાદિ.
શાશ્વત - અશાશ્વત નામપણાંથી સરૂપ આ જંબુદ્વીપ છે, તે ભાવ છે. સત્ ભાવને વીતરાગો અપલાપિત કરતાં નથી, તેથી શ્રમણ ભગવંત મહાવીર, મિથિલા નગરીમાં માણિભદ્ર ચૈત્યમાં ઘણાં શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણાં શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણાં દેવો અને ઘણી દેવીઓની મધ્યે [પાર્ષદામાં
પરંતુ એકાંતમાં નહીં, કોઈ એકલાને નહીં, તે રીતે –
યથોન ઉક્તાનુસાર માધ્યાતિ - વાચ્ય માત્ર કથન કરે છે. માતે - વિશેષ વચનથી કથન કરે છે, પ્રસાપતિ - વ્યક્ત પર્યાય વચનથી કહે છે, એ પ્રમાણે પ્રરૂપે છે.
આવેયના અભિધાનાર્થે કહે છે – જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ એ નામે છઠું ઉપાંગ છે. (અહીં વૃત્તિકાર મહર્ષિ ગ્રંથ શ્લોક પ્રમાણમના વિષયમાં આ પ્રતિનો, પૂજ્ય મલયગિરિ મહારાજનો, ઈત્યાદિ મત ટાંકે છે, ટાંકીને તે શ્લોકસંખ્યાના તફાવતના વિષયમાં પોતે સમાધાન પણ આપે છે ઈત્યાદિ બધું બહુશ્રુતગમ્ય હોવાથી તેની નોંધ અમે લેતા નથી.]
હવે ગુણોની વિભાવના કરતાં કહે છે –
માર્ચ - સર્વ પાપથી દૂર રહે તે આર્ય અર્થાત્ અહીં તેનો અર્થ છે. શ્રી વર્તમાનસ્વામી, તેવી જ સર્વ સાવધના વર્જનપણાથી - “સાવધ તિક તુચ્છાર્થક ન બોલવું જોઈએ.” એ વક્તાના પ્રામાણ્યથી વચન પ્રામાણ્ય કહેવાય છે, તેમ જાણવું.
અથવા શ્રી સુધમસ્વિામી દ્વારા આ સંબોધન શ્રી જંબૂસ્વામી પરવે કરાયેલ છે કે – હે આર્ય!
અધ્યયન - પ્રસ્તુત જંબૂદ્વીપ પ્રાપ્તિ નામક સ્વતંત્ર અધ્યયનમાં, પણ શઅપરિજ્ઞા” આદિની માફક શ્રુતસ્કંધની અંતર્ગતુ રહેલ હોય તેવું અધ્યયન ન સમજવું.
a • પરસ્પર સમુચ્ચયાર્ચે છે. હેતુને અને પ્રશ્નને અને કારણને અને વ્યાકરણને.
મૂળ - વિમરણશીલ શ્રોતાના અનુગ્રહને માટે વારંવાર પ્રકાશન વડે અથવા પ્રતિવસ્તુ નામાર્યાદિ પ્રકાશન વડે જણાવે છે.