________________
૭/૩૧૦ થી ૩૧૮
સમાન છે.
[૩૧૮] નક્ષત્ર- ૨૨ થી ૨૮ ના સંસ્થાન આ રીતે – કીલક, દામનિ, એકાવલિ, ગદંત, વીંછીની પૂંછ, હાથીના પગ અને બેઠેલા સિંહના સમાન આકારે છે.
• વિવેચન-૩૧૦ થી ૩૧૮ :
ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ગૌતમ ! મૌદ્ગલાયન અર્થાત્ મૌદ્ગલ ગોત્રીય વડે સમાન ગોત્ર તે મૌદ્ગલાયન. એમ આગળ પણ જાણવું. હવે અભિજિતથી આરંભીને લાઘવાર્થે આ ગાથાઓ - (૧) મૌદ્ગલાયન, (૨) સાંખ્યાયન, (૩) અગ્રભાવ, (૪) કણિલાયન, (૫) જાતુકરઅમ, (૬) ધનંજય, (૭) પુષ્પાયન, (૮) આશ્વાયન, (૯) ભાવેશ, (૧૦) અગ્નિવેશ્ય, (૧૧) ગૌતમ, (૧૨) ભારદ્વાજ, (૧૩) લૌહિત્યાયન, (૧૪) વાશિષ્ટ, (૧૫) અવમજ્જાયન, (૧૬) માંડ વ્યાયન, (૧૩) પિંગાયન, (૧૮) ગોવલ્લાયન, (૧૯) કાશ્યપ, (૨૦) કૌશિક, (૨૧) દાર્ભાયન, (૨૨) ચામરચ્છાયન, (૨૩) ગાયન, - ૪ - (૨૪) ગોલવ્યાયન, (૨૫) ચિકિત્સાયન, (૨૬) કાત્યાયન, (૨૭) વાભવ્યાયન, (૨૮) વ્યાઘ્રાપત્ય.
૧૫૩
હવે સંસ્થાનદ્વાર - ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્રનું સંસ્થાન કોના જેવું છે ? ગૌતમ ! ગોશીર્ષ, તેની આવલી, તેના પુદ્ગલોની દીર્ધરૂપ શ્રેણી,
તેની સમાન સંસ્થાન કહેલ છે. એ પ્રમાણે બાકીના નક્ષત્રોના સંસ્થાન જાણવા.
શ્રવણનું કાસાર સંસ્થાન, ધનિષ્ઠાનું શકુનિ પિંજર સંસ્થાન, શતભિષાનું પુષ્પોયરા સંસ્થાન, પૂર્વાભાદ્રપદનું અર્ધવાપી, ઉત્તરાભાદ્રપદનું પણ અર્ધવાપી, આ બંનેના ભેગા થવાથી પરિપૂર્ણ વાપી થાય છે, તેથી સૂત્રમાં વાપી-વાવળી કહેલ છે, તેથી સંસ્થાનોમાં સંખ્યા ન્યૂનતા ન વિચારવી.
રેવતીનું નાવ સંસ્થાન, અશ્વિનીનું અશ્વ સ્કંધ, ભરણીનું ભગ ઈત્યાદિ સંસ્થાનો સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. વિશેષ એ કે પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની બંનેમાં અર્ધપત્યંક સંસ્થાન કહેવા, તેથી બંને મળીને પરિપૂર્ણ પલ્લંક થાય. ચિત્રાનું મુખમંડન પુષ્પ સંસ્થાન છે, દામનિ એટલે પશુના દોરડાનો આકાર.
હવે ચંદ્ર-સૂર્ય યોગ દ્વાર –
• સૂત્ર-૩૧૯ થી ૩૨૮ :
[૩૧] ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્ર કેટલાં મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ?
ગૌતમ ! નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૭/૬૭ ભાગથી ચંદ્ર સાથે યોગ
કરે છે.
એ પ્રમાણે આ ગાથાઓ જાણવી –
[૨૦] અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે એક અહોરાત્રમાં ૬૭ ખંડ વડે થાય છે, તે નવ મુહૂર્ત અને ૨૭-કળા છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
[૩૨૧] શતભિષા, ભરણી, આર્ટ, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, આ છ નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગવાળા છે.
[૩રર] ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, આ છ નક્ષત્રો ૪૫મુહૂર્ત સંયોગવાળા છે.
૧૫૪
[૩૨૩] બાકીના ૧૫-નક્ષત્રો ૩૦ મુહૂર્તોથી ચંદ્રમાં યોગ કરે છે. આ નક્ષત્રોનો યોગ જાણવો.
[૩ર૪] ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર કેટલાં અહોરાત્રમાં સૂર્ય સાથે યોગ કરે છે ?
ગૌતમ! ચાર અહોરાત્ર અને છ મુહૂર્તોથી સૂર્યની સાથે યોગ કરે છે. એ રીતે આ ગાથાઓ જાણવી –
[૩૨૫] અભિજિત નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્તથી સૂર્યની સાથે જાય છે, હવે બાકીના કહે છે –
[૩૨૬] શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા નક્ષત્રોનો સૂર્યની સાથે ૬-અહોરાત્ર અને ૨૧-મુહૂર્તો સુધી યોગ રહે છે, તેમ જાણ.
[૩૨] ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા નક્ષત્રો સૂર્ય સાથે ૨૦-અહોરાત્ર અને ૩-મુહૂર્ત સુધી રહે છે.
[૩૨૮] બાકીના ૧૫-નક્ષત્રો સૂર્યની સાથે ૧૨-મુહૂર્ત અને ૧૩-અહોરાત્ર સાથે રહે છે.
• વિવેચન-૩૧૯ થી ૩૨૮ :
ભગવન્ ! આ અઠ્ઠાવીશ નક્ષત્રો મધ્યે અભિજિત્ નક્ષત્ર કેટલાં મુહૂર્ત, ચંદ્રની સાથે યોગ કરે છે ? - સંબંધ કરે છે ? ગૌતમ ! ૯ - ૨૭/૬૭ મુહૂર્ત ચંદ્ર સાથે યોગ
કરે છે.
એ કઈ રીતે જાણવું ? આ અભિજિત્ નક્ષત્ર ૬૭ ખંડીકૃત્ અહોરાત્રના ૨૧ ભાગોથી ચંદ્રની સાથે યોગ કરે છે. તે ૨૧ ભાગોના મુહૂર્તગત ભાગ કરવાને, અહોરાત્રના ૩૦-મુહૂર્તો છે, તેથી ૩૦ વડે ગુણાય છે, તેથી ૬૩૦ થાય. તેને ૬૭ વડે ભાંગતા ૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨/૬૭ ભાગ થાય.
આ સર્વજઘન્ય ચંદ્રનો નક્ષત્ર યોગકાળ છે.
જો કે શ્રી અભયદેવસૂરિએ સમવાયાંગમાં નવમા સમવાયની વૃત્તિમાં ૯ - ૨૪/ ૬૨ I ૬૬/૬૭ ભાગ સુધી ચંદ્રનો યોગ કહેલ છે, તે પૂર્ણિમા અને અમાવાસ્યા પરિસમાપ્તિ કાલ ભાવિ નક્ષત્ર જાણવાનો ઉપાય કહેવાથી ૬૬ - ૫/૬૨ / ૧/૬૭ ભાગરૂપ ધ્રુવરાશિના નક્ષત્ર શોધન-અધિકારમાં ૨/૬૩ ભાગ દુઃશોધ્ય છે, તેથી ૨૭/૬૭ ભાગને સવર્ણનાર્થે ૬૨ વડે ગુણવાથી ૧૬૩૪ થાય છે. તેને ૬૭ ભાગથી ભાંગતા આવશે – ૨૪/૬૨ I ૬૬/૬૭• • x + X -
આ કહેવાનારી ગાથા વડે જાણવું - ચંદ્રયોગ કાળમાન. તે આ રીતે – અભિજિતનો ચંદ્ર સાથે યોગ ૬૭ ખંડી અહોરાત્ર કલ્પવું. તે પૂર્વોક્ત ૨૧ ભાગ