________________
૬/ર૪૬ થી ર૪૯
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
૧ કળા, (૧૦) રુકિમ પર્વત-૪ર૧૦ યોજન, ૧૦ કળા, (૧૧) હૈરચવતું ક્ષોત્ર - ૨૧૦૫ યોજન, ૫ કળા, (૧૨) શિખરી પર્વત - ૧૦૫૨ યોજન, ૧૨-કળા (૧૩) રવત ક્ષેત્ર પ્રમાણ - પ૨૬ યોજન, ૬-કળા છે.
એ રીતે ઉક્ત ગણિતમાં ૯૯,૯૯૬ યોજન, ૭૬ કળા થયા, દક્ષિણ અને ઉત્તરથી બધું મળીને ૧,૦૦,૦૦૦ યોજન થાય. • x -
ઉત્તરનું સીતાવનમુખ ૨૨૨ યોજન, ૧૬ વિજય-૩૫,૪૦૬ યોજન, છ અંતર્નાદી9૫o યોજન, આઠ વક્ષસ્કાર-૪000 યોજન, મેરુ ભદ્રશાલવન-૫૪,ooo યોજન, ઉત્તરીય સીતોદાવનમુખ-૨૯૨૨ યોજન. એમ બધું મળીને ૧,૦૦,૦૦૦ ચોજના થયા. - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
$ વક્ષકાર-૭ છે.
= x - = o જંબદ્વીપમાં જયોતિકો ચાર ચરે છે. તેનો અધિકાર હવે પ્રતિપાદિત કરીએ છે. તેમાં પ્રસ્તાવનાર્થે આ ચંદ્રાદિ સંખ્યા વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-૨૫૦,૨૫૧ -
[૫૦] ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસ્યા હતા, પ્રભાસે છે અને પ્રભાસશે ? કટેલાં સૂર્યો તપેલા, તપે છે, તપશે ? કેટલાં નોએ યોગ કર્યો હતો, યોગ કરે છે અને યોગ કરશે ? કેટલાં મહાગ્રહો ચાર ચય હતા, ચાર ચરે છે અને ચાર ચરશે ? કેટલાં કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે અને શોભશે ?
ગૌતમ બે ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે, પ્રભાસશે. - બે સૂર્યો તપેલા, તપે છે અને તપશે. - ૫૬ નક્ષત્રોએ યોગ કરેલા, કરે છે અને કરશે. - ૧૭૬ મહાગ્રહો ચાર ચરેલા, ચરે છે અને ચરશે.
[૫૧] ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે અને શોભિત થશે. [તેમ જાણવું.
• વિવેચન-૨૫૦ ૨૫૧ -
ભગવત્ ! જંબૂઢીપદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થયેલા-પ્રકાશનીય વસ્તુ ઉધોતિતવાનું કરી, પ્રભાસે છે – ઉધોતિત કરે છે અને પ્રભાસીત કરશે - ઉધોતિત કરશે. કેમકે ચંદ્રમંડલોના ઉધોત નામકર્મનો ઉદય છે. અનુણ પ્રકાશ જ લોકમાં ઉધોત કહેવાય છે. આ જગતની સ્થિતિ અનાદિ નિધન છે, એમ જાણીને શિષ્યનો ત્રણ કાળ નિર્દેશથી પ્રસ્ત છે. પ્રષ્ટવ્ય ચંદ્રાદિ સંખ્યા છે.
તથા કેટલો સૂર્યો તાપિત થયા - પોતાના સિવાયની વસ્તુમાં તાપને ઉત્પન્ન કરે છે. એ રીતે તપાવે છે, તપાવશે. આપનામ કર્મના ઉદયથી સૂર્ય મંડલનો ઉષ્ણ પ્રકાશ તે તાપ, એમ લોકમાં પ્રસિદ્ધ છે.
કેટલાં નફળોએ યોગ - સ્વયં નિયતમંડલમાં ચરવા છતાં અનિયત અનેક મંડલચારી વડે નિજ મંડલ ક્ષેત્ર કમથી આવેલ ગ્રહ સાથે સંબંધ જોડે છે - પ્રાપ્ત કરે છે, કરશે આદિ.
કેટલાં મહાગ્રહ-અંગારકાદિ ચાર - મંડલ ક્ષેત્ર પરિભ્રમણ, અનુભવ્યા છે, અનુભવશે. જો કે સમયોગવર્તી બધાં જ્યોતિકોનો ગતિ ચાર કહેવાય છે. તો પણ અન્ય વ્યપદેશ વિશેષ અભાવથી વજાતિચારાદિ ગતિ વિશેષથી ગતિમાનપણાથી આ સામાન્યગતિ શબ્દથી પ્રશ્ન છે.
- કેટલાં કોડાકોડી તારાગણ શોભેલા-શોભાને ધારણ કરેલી, શોભે છે અને શોભશે. આ ચંદ્રાદિ સૂત્રોક્ત કારણાભાવથી કૃષ્ણપક્ષ આદિમાં ભાસ્વરત્વ માત્રથી શોભમાનવાદિ પ્રશ્ન આલાવા છે.