SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૫૫ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ લvણોથી યુકત હતો. અખંડિત છત્રનો સ્વામી હતો. તેના માતૃવંશ તથા પિતૃવંશ નિર્મળ હતા. પોતાના વિશુદ્ધ કુળરૂપી આકાશમાં તે પૂર્ણિમાના ચંદ્ર જેવો હતો. તે ચંદ્ર જેવો સૌમ્ય, મન અને નયનને આનંદuદ, સમુદ્ર સમાન ગંભીર, યુદ્ધમાં સદા અપરાજિત, પરમ વિક્રમશાળી હતો, તેના ણ નષ્ટ થઈ ગયેલા. કુબેરની જેમ તે ભોગોપભોગમાં દ્રવ્યનો સમુચિત પ્રસૂર વ્યય કરતો હતો. એ રીતે તે સુખપૂર્વક ભરતફઝની રાજ્યને ભોગવતો હતો. • વિવેચન-પ૫ : ત્યાં વિનીતા રાજધાનીમાં ભરત નામે રાજા હતો. રાજા તો સામંતાદિ પણ હોય, તેથી કહે છે - ચક્રવર્તી, પણ ચક્રવર્તી તો વાસુદેવ પણ હોય, તેથી કહે છે - ચાર અંત જેને છે તે – પૂર્વ, પશ્ચિમ, દક્ષિણમાં ત્રણ સમુદ્રો છે, ચોથો હિમવંત, એ પ્રમાણે જેને છે તે ચાતુરંત એવો ચક્રવર્તી થયો. મહાહિમવાનું - હૈમવત અને હરિવર્ષ ફોનના વિભાજક કુલગિરિ, તેની જેમ મહાન, મલય - ચંદનવૃક્ષ ઉત્પત્તિ પ્રસિદ્ધ ગિરિ, મંદર-મેરુ. યાવત્ પદથી પહેલા ઉપાંગથી સમગ્ર રાજવર્ણન લેવું. તે રાજ્યને પાળતો વિચરે છે, સુધી કહેવું. (શંકા) એમ હોય તો પણ શાશ્વતી ભરત નામક પ્રવૃત્તિ કેમ છે ? કહેવાનાર નિગમન પણ અસંભવે, એવી આશંકાથી બીજા પ્રકારે તે-તે કાળ ભાવિ ભરત નામે ચક્રવર્તી ઉદ્દેશથી રાજવર્ણન કહે છે. - બીજો પાઠ વિશેષ • x • તે વિનીતામાં અસંખ્યાતકાળ જે વર્ષોથી, તેના અંતરાલથી અર્થાત પ્રવચનમાં જ કાળની અસંખ્યયતા છે • x • અન્યથા સમય અપેક્ષાથી અસંખ્યયત્વમાં દંયુગીન મનુષ્યોના અસંખ્યય આયુકવના વ્યવહારનો પ્રસંગ આવે. અસંખ્યય વર્ષરૂપ કાળ જતાં એક ભરતચકવર્તી પછી બીજો ભરત ચકવર્તી, જેનાથી આ ક્ષેત્રનું ભરત એવું નામ પ્રવર્તે છે, તે ઉત્પન્ન થાય છે. આવશ્યક ચૂર્ણિમાં “સંખ્યાતકાળ વર્ષાયુક”-x- પાઠ છે, તેનાથી યુગ્મી મનુષ્યત્વનો વ્યવહાર દૂર કરેલો જાણવો. કેમકે તેમનો અસંખ્યાત વધુ હોય છે. (શંકા) ભરતયકીથી અસંખ્યાતકાળે સગર ચકી આદિ વડે આ સૂમ વ્યભિચરે છે, કેમકે તેમાં ભરત નામવનો અભાવ હોય છે ? (સમાધાન] આ સૂત્ર અસંખ્યાતકાળ વતરથી સર્વકાળવર્તી ચક્વર્તી મંડલમાં નિયમથી ભરતના નામનો સૂચક નથી, કદાચિત સંભવ સૂચવે છે. જેમકે આગામી ઉત્સર્પિણીમાં ભરત નામે પહેલો ચકી થશે. - ૪ - તે કેવો છે ? યશસ્વી, શલાકાપુરુષત્વથી ઉત્તમ, sષભાદિ વંશ્યવથી કુલીન, સાહસિક, આંતરબળયુક્ત, શત્રુ વિગાસન શક્તિવાળો આવા રાજાને ઉચિત સવતિશાયી ગુણવાળો, પ્રશસ્ત-વખાણવાલાયક, શરીરની ત્વચા-વર્ણ, ધ્વનિ, શુભ પુદ્ગલોપચય જન્ય ધાતુ વિશેષ, સંહતન- અસ્થિ નિચયરૂપ, તનુ-શરીર, ઔત્પાતિકી આદિ-બુદ્ધિ, ધારણા-અનુભૂત અર્ચની અવિસ્મૃતિ, મેધા-હેચોપાદેય બુદ્ધિ, સંસ્થાન યથાસ્થાને અંગઉપાંગનો વિન્યાસ, શીલ-આચાર, પ્રકૃતિ-સહજ. પ્રશસ્ત વણિિદ અર્થવાળા, - X - X - ગૌરવ-મહાસામંત આદિએ કરેલ અભ્યસ્થાનાદિ, છાયા-શરીર શોભા, ગતિ-સંચરણ, વિવિધ વકતવ્યોમાં મુખ્ય. નિજશાસન પ્રવર્તાનાદિમાં અનેક પ્રકારના વચનપ્રકારો હોય છે. જેમકે આદિમાં મધુર ઈત્યાદિ - X - X - તેજ-બીજા વડે અસહનીય -x-x- આયુર્બલ-પુરુષાયુ તે વીર્ય વડે યુકત. તેથી જરા-રોગાદિ વડે ઉપહત વીર્યવ જેને નથી તે. પુરપાયુષ - તે કાળે લોકોને પૂર્વકોટિ સંભવે છે, તો પણ આનું ત્રુટિતાંગ પ્રમાણ જાણવું. કેમકે નરદેવનું આટલું જ આયુ સિદ્ધાંતમાં કહ્યું છે. અશુષિર-નિછિદ્ધ, તેથી જ ઘનનિચિત લોઢાની સાંકળની જેમ વજ બાષભનારાય સંઘયણ જેમાં છે તેવા પ્રકારે દેહ ધરનાર, છત્રીસ લક્ષણોમાંના વિશિષ્ટ લક્ષણનો અર્થ - ઝષ-માછલું, યુગગાડાંનું અંગ વિશેષ, વૃંગાર-જળનું ભાજન વિશેષ, વ્યંજની-ચામર, ચૂપ-યજ્ઞસ્તંભ, સિંહાસનસિંહના ચિહ્નવાળું રાજાનું આસન, વંધાવd-પ્રતિ દિશામાં નવખૂણાવાળું, ગાગરસ્ત્રીનું પરિધાન વિશેષ, ભવન-ભવનપતિ દેવાવાસ, વિમાન-વૈમાનિક દેવાવાસ. - આટલા માંગલ્ય, અતિશય વિવિક્ત, જે સાધિક હજાર પ્રમાણ લક્ષાણો, તેના વડે વિસ્મયકર હાથ-પગના તળીયાવાળા, તીર્થકરોની જેમ ચક્રવર્તીને પણ ૧oo૮ લક્ષણો સિદ્ધાંત સિદ્ધ છે. નિશીથ ચૂર્ણિમાં પણ તેનો સાક્ષીપાઠ છે. ભૂમિમાંથી ઉગેલા અંકુરોની જેમ જેના મુખ ઉર્વ છે, તે ઉધઈમુખ એવા જે રોમ, તેનો સમૂહ જેમાં છે તે. આના વડે શ્રીવત્સાકાર સ્પષ્ટ કર્યો. • x • સુકમાલ, નવનીત-પિંડાદિ દ્રવ્યવહુ મૃદ, આવર્ત-ચિકર સંસ્થાન વિશેષ. પ્રશસ્ત-માંગલ્ય દક્ષિણાવર્ત. તેનાથી વિરચિત જે વસ - X - X - તેના વડે આચ્છાદિત વિપુલ વક્ષવાળા. દેશકોશલ દેશાદિમાં, ત્ર-તેના એકદેશરૂપ વિનીતા નગરી આદિમાં, યથાસ્થાન વિનિવિષ્ટ અવયવવાળો જે દેહ, તેને ધારણ કરનાર, આંતુ તે કાળે ભરતક્ષેત્રમાં ભરતયકીથી વધુ સુંદર કોઈ ન હતો. | ઉગતા સૂર્યના કિરણો વડે વિકસિત જે શ્રેષ્ઠ કમળ-સરોજ, તેનો વિકસ્વર જે ગર્ભ, તેના જેવો વર્ણ-શરીરની વયા જેની ચે તે. અશ્વના ગદા પ્રદેશ જેવો - X • સુગપ્તત્વથી તેની સમાન, પ્રશસ્ત પૃષ્ઠ ભાગનો અંત-ગુદા પ્રદેશ, તે મળના લેપથી રહિત હોય છે. ઉત્પલ-કુષ્ઠ, કુંદજાતિ, વચંપક-રાજચંપક, નાગકેસરકુસુમ સારંગ-પ્રધાનદલ અથવા • x- સારંગમદ-કસ્તુરી, એ બધાંની તુલ્ય ગંધ-શરીર પરિમલ જેની છે તે. 3૬અધિક પ્રશસ્ત એવા રાજાના ગુણો વડે યુક્ત, તે આ પ્રમાણે - વ્યંગ, લક્ષણથી પૂર્ણ, રૂપ સંપતિયુક્ત શરીર, અમદ, જગતુઓજસ્વી, યશસ્વી ઈત્યાદિ જાણવા. - ઉક્ત ૩૬-ગણોમાં વિશેષ શબ્દોનો અર્થ આ પ્રમાણે છે - ઔદાર્ય-દાક્ષિણ્યતા, તેથી દાન શૌંડતા ગુણથી આ ગુણ જુદો છે. જોકે આ ગુણોમાંના કેટલાંક ગુણો
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy