________________
૧૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૮ જંબૂડીપપ્રાપ્તિ-ઉપાંગર-૭/૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
ભO-૨૬ :-)
૦ આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગ સૂત્રોમાં સાતમું [છઠું) ઉપાંગ છે, તેવા “જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ” સૂત્રનો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે “સંધૂણીવપતિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં સંવૃક્લીપ પ્રાપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્રમણિકૃત ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે.
- આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત કડષભદેવ અને ચક્રવર્તી ભરતના ચuિદ્વારા કથાનુયોગપણ કહેવાયેલો છે. ચર્કિયિતુ બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈનભૂગોળ"રૂપે વિશેષથી ઓળખાવી શકાય, ચક્રવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે.
છે વ કાર-૩ છે.
-X - X - X - [• વક્ષસ્કાર- ૧ અને ૨, ભાગ-૨૫માં સૂત્ર ૧ થી ૫૩ અંતર્ગત મુદ્રિત થયેલ છે. આ ભાગ-૨૬માં વક્ષસ્કાર 3 અને ૪ નો સટીક અનુવાદ છે –]
સૂત્ર-૫૪ -
ભગવન / ભરતોનું ભરતક્ષેત્ર નામ ફક્યા કારણથી છે ? ગૌતમ ? ભરતક્ષેત્ર વૈતય પર્વતની દક્ષિણથી ૧૧૪-૧૧/૧૯ યોજન અબાધાણી, લવણસમુદ્રની ઉત્તરથી ૧૧૪-૧૧/૧૮ યોજન અબાધાણી, ગંગા મહાનદીથી પશ્ચિમે અને સિંધુ મહાનદીથી પૂર્વે દક્ષિણાઈ ભરતના મધ્યમ પ્રભાગના બહુ મધ્યદેશ ભાગમાં વિનીતા રાજધાની કહી છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. લંબાઈ ૧ર યોજન, પહોળાઈ ૬ -યોજન છે. ધનપતિની બુદ્ધિથી . નિર્મિત, સ્વર્ણમય પાકાર યુક્ત વિવિધમણીમય પંચક વર્મી કપિશીર્ષક પરિમંક્તિ સુંદર, અલકાપુરી જેવી, પ્રમુદિત-પ્રક્રિડિત, પ્રત્યક્ષ દેવલોકરૂપ, સાદ્ધ-સ્વિમિતસમૃદ્ધ, પ્રમુદિત જન-જાનપદા યાવત્ પ્રતિરૂપ છે.
• વિવેચન-૫૪ :
સંપૂર્ણ ભરતોત્ર સ્વરૂપ કથન પછી ભગવત્ ! કયા હેતુથી એમ કહ્યું કે ભરતક્ષોત્રનું નામ ભરતક્ષેત્ર છે ? - x - ગૌતમ ! ભરત ક્ષેત્રમાં વૈતાદ્ય પર્વતની દક્ષિણથી ૧૧૪-૧૧/૧૯ યોજનાનું અપાંતરાલ કરીને તથા લવણસમુદ્રની ઉત્તરથીદક્ષિણ લવણસમુદ્રની ઉત્તરથી તેમજ છે. પૂર્વ-પશ્ચિમ સમુદ્રની ગંગા-સિંધુ વડે વ્યવહિતપણાથી તેની વિવક્ષા કરેલ નથી. ગંગામહાનદીની પશ્ચિમમાં અને સિંધુ મહાનદીની પૂર્વમાં દક્ષિણાદ્ધભરતના મધ્ય ત્રીજા ભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં - આટલા ક્ષેત્રમાં વિનીતા-અયોધ્યા નામે રાજધાની-રાજનિવાસ નગરી મેં તથા બીજા તીર્થકરોએ કહેલી છે.
સાધિક ૧૧૪ યોજન ઉત્પતિમાં આ રીતે છે – ભરતોબ પ૨૬ યોજન અને ૬/૧૯ ભાગરૂપે વિસ્તૃત છે. એમાંથી ૫૦-યોજન વૈતાઢ્ય ગિરિનો વ્યાસ બાદ કરીએ, તો ૪૭૬-/૧૯ કળા આવે. દક્ષિણ અને ઉત્તર ભરતાદ્ધના વિભાજનથી તેનું અડધું કરતાં ૨૩૮-૯ યોજન. આટલા દક્ષિણાદ્ધ ભરતના વ્યાસથી - X - વિનીતાના વિસ્તારરૂ૫ ૯ યોજન બાદ કરતાં ૨૨૯-૩૧૯ યોજન થાય. તેના મધ્ય ભાગમાં
આ ઉપાંગની ચર્ણિ અને અન્યાન્ય વૃત્તિ ચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિની છે, જેમાં શ્રી હીરવિજયજીકૃત વૃતિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે.
સાત વક્ષસ્કારો (અધ્યયન] વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલાં ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને બીજામાં ત્રણ વાસ્કાર ગોઠવેલ છે, જેમાં આ બીજા ભાગમાં વક્ષસ્કાર ત્રણ અને ચારનો અનુવાદ કર્યો છે.
પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે. ન્યાય વ્યાકરણ આદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે. માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેયન” નામે ઓળખાવીએ છીએ.
2િ6/2]