SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૨૯ ૨૦૩ ૨૦૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પાંચમો અને છઠ્ઠો આરો પૂર્ણ થયો. તે પૂર્ણ થતાં અવસર્પિણી કાળ પણ પૂર્ણ થયો. તેના પૂર્ણ થવાથી અવસર્પિણી અને ઉત્સર્પિણી રૂપ કાળ ચંદ્ર પણ પૂર્ણ થયું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૨-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ — U — — — 0 — છે – ૬ ભાગ-૨૫ મો નહીં. તેમજ શાસનીય મનુષ્યો તેવા દંડને ઉચિત અપરાધ પણ કરશે નહીં. ત્યારપછી અરિષ્ઠ નામક ચક્રવર્તીના સંતાનીય પંદર કુલકરો થશે. બાકીના તેમણે કરેલ મયદાના પાલક થશે અને ક્રમથી બધાં પણ અહમિન્દ્ર મનુષ્યત્વને પ્રાપ્ત કરશે. અહીં ઋષભ નામે કુલકર, પરંતુ ઋષભ નામે તીર્થકર ન લેવા. તેને સ્થાને ભદ્રકૃત તીર્થકર, પ્રસ્તુત આરાના ૮૯-પક્ષ વ્યતિકાંત થતાં ઉત્પન્ન થનાપણે આગમમાં કહ્યા છે. જો કે સ્થાનાંગના સાતમા સ્થાનમાં સાત કુલકરો કહ્યા છે, તેમાં સુમતિ નામ પણ કહેલ નથી. દશમાં સ્થાનમાં સીમંકર આદિ દશ કુલકર કહ્યા છે, તેમાં સુમતિ નામ કહ્યું છે, પરંતુ અંતે નહીં. વળી સમવાયાંગમાં તો સાત જ પૂર્વવત્ કહ્યા છે. દશમાં વિમલવાહનથી સુમતિ સુધીના કહ્યા છે. સ્થાનાંગમાં નવમાં સ્થાનકમાં સુમતિના પુત્રપણાથી પડાનાભની ઉત્પત્તિ કહી છે. તથા પ્રસ્તુત ગ્રંથમાં બીજા આરાનાં કુલકરો મૂલથી જ કહ્યા નથી. ચોથા આરામાં મતાંતરથી સુમતિ આદિ પંદર કહ્યા છે, તેથી કુલકરોને આશ્રીને ભિન્ન-ભિન્ન નામપણું, વ્યસ્તનામપણું, અન્યૂનાધિક નામપણારૂપ સૂરપાઠના દર્શનથી વ્યામોહ ન કરવો જોઈએ. કેમકે તે વાચનાભેદ જનિતપણું છે. વાયના ભેદથી પાઠભેદ થાય છે. તત્વ કેવલિ જાણે. હવે અહીં જ પ્રિભાગમાં શું શું લુચ્છેદ પામશે તે દર્શાવતા કહે છે - તે ચરામાં પહેલા ત્રિભાગમાં રાજધર્મ યાવત્ ચાસ્ત્રિધર્મ વિચ્છેદ પામશે ચાવત્ શબ્દથી ગણધર્મ, પાખંડધર્મ, અગ્નિધર્મ પણ વિચ્છેદ પામશે તેમ જાણવું. હવે શેષ દ્વિભાણ વક્તવ્યતાને કહે છે - તે આરામાં મધ્યમ અને પશ્ચિમ પ્રિભાગમાં, પ્રથમ અને મધ્યમની અહીં યથાસંભવ અર્થ યોજનાના ઔચિત્યથી મધ્યમ અને પ્રથમ, એ પ્રમાણે જાણવું જોઈએ. અત્યથા શુદ્ધ પ્રતિલોમ્ય અભાવથી અર્થની અનુપપત્તિ થાય છે. અવસર્પિણીની વક્તવ્યતા તે કહેવી. ચોથો આરો પૂર્ણ થયો. હવે પાંચમો અને છટ્ટો આરો અતિદેશથી કહે છે – ‘સુષમા' પાંચમાં આરાના લક્ષણ, કાળ તે પ્રમાણે આ અવસર્પિણીના બીજા આરા પ્રમાણે છે. ‘સુષમાસુષમા' નામનો છઠ્ઠો આરો, તે પણ • તે પ્રમાણે જ • અવસર્પિણીના પહેલા આરા સમાન છે. - આ બધું ક્યાં સુધી જાણવું ? તે કહે છે – જ્યાં સુધી છ પ્રકારના મનુષ્યો સંતતિ વડે અનુવર્તશે યાવત્ શનૈશ્ચારી. અહીં ચાવત્ પદથી પધાગંધાદિ પૂર્વોકત જ ગ્રહણ કરવી.
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy