SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૬/૪૯ ૧૬૧ પરિસમાપકથી શ્રવિષ્ઠા નક્ષત્રથી ઉપલક્ષિત જે શ્રાવણ માસ, તે પણ ઉપચારથી શ્રાવિષ્ઠામાં થાય તો શ્રાવિષ્ઠી. શું કહેવા માંગે છે ? શ્રવિષ્ઠા નક્ષત્ર પરિસમાપ્યમાન શ્રાવણમાસભાવિની. એ પ્રમાણે. પૌષ્ઠપદી પ્રૌષ્ઠપદા નક્ષત્ર પરિસમાપ્યમાન ભાદ્રપદમાસ ભાવિની. એ પ્રમાણે સર્વત્ર પણ વાક્યાર્થે કહેવો. શ્રાવિષ્ઠી અમાવાસ્યા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? કેટલા નક્ષ્ણો યોગ મુજબ ચંદ્ર સાથે જોડાઈને શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પરિસમાપ્ત કેર છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રમાં યોગ કરે છે તે આ પ્રમાણે - આશ્લેષા અને મઘા. આ વ્યવહારનયમતથી જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય છે, તેથી આરંભીને પૂર્વના પંદર નક્ષત્રમાં અમાવાસ્યા થાય છે. જે નક્ષત્રમાં અમાવાસ્યા છે, ત્યાંથી આરંભીને પછી પંદર નક્ષત્રમાં પૂર્ણિમા આવે. તેમાં શ્રાવિષ્ઠી પૂર્ણિમામાં શ્રવણમાં ધનિષ્ઠામાં કહેલ છે, તેથી અમાવાસ્યામાં પણ આ શ્રાવિષ્ઠામાં આશ્લેષા અને મઘા કહ્યા છે. લોકમાં તિથિ ગણિત અનુસાર ગયેલ અમાવાસ્યામાં વર્તમાનમાં પણ એકમમાં જે અહોરાત્રમાં પહેલાથી અમાવાસ્યા થાય, તે સર્વ પણ અહોરાત્ર અમાવાસ્યા છે તેવો વ્યવહાર થાય છે. તેથી મઘાનક્ષેત્ર પણ એ પ્રમાણે વ્યવહારથી અમાવાસ્યાને પ્રાપ્ત કરે છે, તેથી કોઈ વિરોધ નથી. પરમાર્થથી વળી આ અમાવાસ્યાને શ્રાવિષ્ઠી આ ત્રણ નક્ષત્રો પરિસમાપ્ત કરે છે તે આ - પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. તેથી જ કહે છે કે – અમાવાસ્યા ચંદ્રયોગ પરિજ્ઞાનાર્થ કરણ પૂર્વે કહેલ છે. તેમાં તે ભાવના કરાય છે. કોઈક પૂછે છે – યુગની આદિમાં પહેલી શ્રાવિષ્ઠી અમાવાસ્યા ક્યાં ચંદ્રયુક્ત નક્ષત્ર વડે યુક્ત થઈ સમાપ્તિને પામે છે ? તેમાં પૂર્વાદિત સ્વરૂપ અવધારીને જે રાશિ છે તે ૬૬-મુહૂર્ત અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૧/૬૭ ભાગ એ પ્રમાણે કરીને તેને એક વડે ગુણીએ. - ૪ - એક વડે ગુણતા તે જ રાશિ થાય છે. તેથી તે ૨૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ એ પરિમાણ પુનર્વસુ શોધનક શોધાય છે. તેમાં ૬૬ મુહૂર્તો વડે ૨૨-મુહૂર્તો શુદ્ધ થાય છે. તેથી રહે છે - ૪૪-તેમાંથી એક મુહૂર્ત ખેંચી લઈને તેના ૬૨ ભાગો કરાય છે. કરીને તે ૬૨ ભાગ રાશિ મધ્યે ઉમેરાય છે. તેથી થશે૬૭ સંખ્યા. તેના વડે ૪૬ શુદ્ધ થાય છે. શેષ રહે છે - ૨૧. પછી ૪૩ મુહૂર્તો વડે ૩૦ મુહૂર્વથી પુષ્ય શુદ્ધ થાય છે. ત્યારપછી રહેશે ૧૩-મુહૂર્તો. આશ્લેષા નક્ષત્ર દ્વિક્ષેત્ર છે, તેથી ૧૫-મુહૂર્ત પ્રમાણ છે. તેનાથી આ આવે છે - આશ્લેષા નક્ષત્ર એક મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૦/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૬૭ ભેદે છેદતાં ૬૬ સંખ્યા ભાગો બાકી રહેતા પહેલી અમાવાસ્યા સમાપ્તિ પામે છે તથા કહેવાય છે કે – આ પાંચ સંવત્સરોમાં પહેલી અમાવાસ્યામાં ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? આશ્લેષાનો [યોગ કરે છે] આશ્લેષા, એક મુહૂર્તના ૪૦/૬૨ ભાગ મુહૂર્તના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૬ ચૂર્ણિ ભાગો બાકી રહે છે. જ્યારે બીજી અમાવાસ્યાને વિચારીએ ત્યાર તે યુગની આદિથી આરંભીને ૧૩ થાય છે. તે વરાશિ ૬૬ / ૫/૬ / ૧/૬૭ ને તેર વડે ગુણીએ છીએ, ત્યારે મુહૂર્તોના ૮૫૮ થાય છે. એક મુહૂર્તના 23/11 ૧૬૨ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૬૫/૬૨ ભાગો છે. ૬૫ અને ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ તે ૧૩ થાય. તેમાં ૪૪૨ મુહૂર્ત વડે ૪૬/૬૨ ભાગો વડે ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે - મુહૂર્તના ૪૧૬ ભાગ. એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગ થાય અને ૧/૬૨ ભાગના હોવાથી ૧૩/૬૭ ભાગ થતાં સંખ્યા આ રીતે આવશે ૪૧૬ | ૧૯/૬૨ / ૧૩/૬૭. તેથી આ ૩૯૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ થતાં આ સંખ્યા આવશે - ૩૯૯ / ૨/૬૨ / ૬/૬૭ તેમાં ૪૧૬થી ૩૯૯ બાદ કરાતા પછી રહેશે ૧૭-મુહૂર્તો. તેમાંથી એક મુહૂર્ત ગ્રહણ કરીને તેના ૬૨ ભાગો કરાય છે. કરીને ૬૨ ભાગ રાશિ ઉમેરીએ, તેથી ૮૧ થશે. તેના ૨૪ શુદ્ધ કરાતા પછી રહે છે - ૫૭, તેના એકને લઈને ૬૭ ભાગો કરાય છે તેથી ૬૬ શુદ્ધ કરાતાં પછી એક સંખ્યા રહેશે. તે ૬૭ ભાગ રાશિમાં ઉમેરવામાં આવે. તો થશે ૧૪/૬૭ ભાગ. આવશે પુષ્ય નક્ષત્ર-૧૬ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૬/૬૨ ભાગોમાંથી ૧/૬૨ ભાગના ૧૪/૬૭ ભાગ અતિક્રાંત થતાં બીજી શ્રાવિષ્ઠા અમાવાસ્યા પૂર્ણ થાય છે. - જ્યારે ત્રીજી અમાવાસ્યાને વિચારીએ. તે યુગાદિના આરંભથી ૨૫મી છે. તે ધ્રુવરાશિ ૬૬ / Ö/૬૨ / ૧/૬૭ ને ૨૫ વડે ગુણીએ છીએ, તેથી થાય છે ૧૬૫૦ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૧૨૫/૬૨ ભાગ થાય. તેમાં ૧/૬૨ ભાગના ૨૫/૬૭ ભાગ થાય છે. તેમાં ૪૪૨ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે પહેલા ઉત્તરાષાઢા સુધી શોધનક શોધાયું. પછી રહે છે - મુહૂર્તના ૧૨૦૮ અને ૬૨ ભાગો. મુહૂર્તના ૭૯ અને ૧/૬૨ ભાગના ૨૫/૬૭ ભાગ થાય. ત્યારપછી ૮૧૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગ વડે એક નક્ષત્રપર્યાય શોધાય છે. પછી રહે છે - ૩૮૯ મુહૂર્તો. તેમાં એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગો છે. ૧/૬૨ ભાગના ૨૬/૬૭ ભાગ થાય છે. પછી ફરી ૩૦૯ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે અભિજિતાદિથી રોહિણિકા સુધીના શોધિત થાય છે. ત્યારપછી રહેશે - ૮૦ મુહૂર્તો. એક મુર્ત્તના ૨૯/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગ છે. તે આ રીતે - ૮૦ / ૨૯/૬૨ / ૨૭/૬૭ પછી ૩૦ મુહૂર્તો વડે મૃગશિર નક્ષત્ર શોધિત થતાં બાકી રહેશે ૫૦ મુહૂર્તો. તેમાંથી ૧૫-વડે આર્દ્ર શોધાય છે. તેથી રહેશે ૩૫ મુહૂર્ત. તેથી આવશે પુનર્વસુ નક્ષત્ર. આ ૩૫ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગો જતાં ત્રીજી શ્રાવિષ્ઠી અમાવાસ્યા પૂર્ણ થાય છે. એ પ્રમાણે ચોથી શ્રાવિષ્ઠી અમાવાસ્યા આશ્લેષા નક્ષત્ર છે, પહેલા મુહૂર્તના /૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૩ ભાગો અર્થાત્ /૬૨ / ૪૧/૬૭ જતાં અમાસ પૂર્ણ થાય છે. પાંચમી શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પુષ્યનક્ષત્ર [પૂર્ણ કરે ત્રણ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૨/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૪/૬૭ ભાગો જતાં અર્થાત્ ૩ / ૪૨/૬૨
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy