SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૯ ૧/૬/૪૮ કરે છે, તે ચાવતુ શેષમાં પૂર્ણ કરે છે, તે તેને શેષ કહેવાય છે. તેથી તેના અનુરોધથી અમે પણ અહીં તેમજ કહ્યું. જેટલા વળી જેટલા અતિકાંત થઈ પૂર્ણ કરે છે, તેટલા જ પૂર્વોક્ત કરણના વશથી કહેવા જોઈએ. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં પણ તેમજ કહીશ. અમાસનો અધિકાર પણ અનંતર તેમજ કહીશું. એ રીતે જે નક્ષત્રો જે પૂર્ણિમાનો યોગ કરે છે, તે કહ્યા. હવે મંદમતિ માટે કુલાદિ યોજનાને કહે છે – • સૂત્ર-૪૯ - તે શ્રાવિછી પૂર્ણિમા કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે ? તે કુલનો યોગ કરે કે ઉપકુલનો યોગ રે કે કુલપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ધનિષ્ઠા નામનો યોગ કરે, ઉપકુલનો યોગ કરતાં શ્રવણ નક્ષત્રનો યોગ કરે છે. કુલોપકુલનો યોગ કરતાં અભિજિત નામનો યોગ કરે છે. [એ રીતે શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે. કુલ-ઉપકુલ કે કુલોપકુલ સાથે જોડાયેલ અવિછી પૂર્ણિમા જોડાયેલ કહેતી. તે પૌષ્ઠપદી પૂર્ણિમા શું કુલનો યોગ કરે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે ? તે કુલનો, ઉપકુલનો કે કુલપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરપછપદા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં પૂવ પૌહાપદનtઝનો યોગ કરે છે, કુલોપકુલનો યોગ કરll adભિયજ નક્ષત્રનો યોગ કરે છે. (એ રીતે પૌષ્ઠપદી પૂર્ણિમાને કુલ, ઉપકુલ કે કુલોપકુલનો યોગ કરે છે. કુલ-ઉપકુલ કે કુલોપકુલ સાથે જોડાયેલ પૌષ્ઠપદી પૂર્ણિમાને જોડાયેલી કહેવી. આસોજ પૂર્ણિમા એ કુલનો યોગ રે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે? કુલોપકુલનો યોગ પામતા નથી. કુલનો યોગ કરતાં અશ્વિની નક્ષત્રમાં યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્રનો યોગ કરે છે. [એ રીતે આસોજ પૂર્ણિમા કુલ કે ઉપકુલનો યોગ કરે છે. કુલની સાથે યુકત કે ઉપકુલની સાથે યુક્ત આસોજ પૂર્ણિમા યુકત છે તેમ કહેવાય છે. પોષપૂર્ણિમા અને વ્હામૂલ પૂર્ણિમા ફુલોપકુલનો યોગ કરે છે. બાકીની પૂર્ણિમાને ફુલોપકુલ નથી. શાવિહી અમાવાસ્યા કેટલા નક્ષત્રનો યોગ કરે છે ? બે નplનો યોગ કરે છે. તે - આષા અને મઘા. એ પ્રમાણે આ અભિલાપ વડે જાણવું કે પૌષ્ઠપદી બે નક્ષત્રનો યોગ કરે છે – પૂર્વ ફાળુની અને ઉત્તરાફાલ્ગની. આયુઝ હસ્ત અને ચિનો, કાર્તિકી સ્વાતિ અને વિશાખાનો. મૃગશીર્ષ અનુરાધા અને જ્યેષ્ઠા મૂલીનો, પોષી પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાનો, માળી અભિજિત શ્રવણ અને ધનિષ્ઠાનો, ફાલ્યુની શતભિષજ અને પૂર્વ પૌષ્ઠપદા અને ઉત્તર પૌષ્ઠપદીનો. ચૈત્રી રેવતી, અશ્વિનીનો. વૈશાખી ભરણી અને કૃતિકાનો, જ્યેષ્ઠામૂલી ૧૬૦ સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રનો યોગ કેર છે. આષાઢી અમાવાસ્યા કેટલાં નાઝનો યોગ કરે છે ? તે ત્રણ નામનો યોગ કરે છે. તે આ - અદ્ધિ પુનર્વસુ, પુષ્યનો. તે શ્રાવિષ્ઠી અમાવાસ્યા શું કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે કે કુલોપકુલનો યોગ કરે છે? કુલનો યોગ કરે છે કે ઉપકુલનો યોગ કરે છે. કલોપકલનો યોગ કરતી નથી. કુલનો યોગ કરતાં મઘાનtત્રનો યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં આશ્લેષનો યોગ કરે છે. કુલ કે ઉપકુલ સાથે યુકત શ્રાવિષ્ઠી અમાસ યુકત છે તેમ કહેતું. એમ જાણવું. વિશેષ એ કે – મૃગશિર્ષ, માળી, આષાઢી અમાવાસ્યા કુલપકુલનો યોગ કરે છે બાકીનીને નથી. • વિવેચન-૪૯ : શ્રાવિષ્ઠી પૂર્ણિમા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે, કે કુલોપકુલને જોડે છે ? ભગવંતે કહ્યું - કુલને જોડે છે. ‘વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી કુલને પણ જોડે છે અર્થ થાય. એ રીતે ઉપકુલને પણ અને કુલીપકુલને પણ જોડે છે. તેમાં કુલને જોડતાં ધનિષ્ઠાનક્ષત્રને જોડે છે. તે જ કુલપણે પ્રસિદ્ધ થયેલ શ્રાવિહી પૂર્ણિમાને. ઉપકુલને જોડતાં શ્રવણનક્ષત્રને જોડે છે. કુલપકુલને જોડતાં અભિજિત નામને જોડે છે. તે જ ત્રીજી શ્રાવિષ્ઠા પૂર્ણિમામાં બાર મુહૂર્તમાં કંઈક સમ અધિક બાકીમાં ચંદ્ર સાથે યોગ કરે છે. પછી શ્રવણની સાથે સહચરત્વથી સ્વયં પણ તે પૂર્ણિમાના પર્યાવર્તી હોવાથી તેને પણ તે પરિસમાપ્ત કરે છે, એમ વિવક્ષિતત્વથી, જોડે છે, એમ કહે છે. હવે ઉપસંહાર કહે છે – જે કારણે એ પ્રમાણે ત્રણે કુલાદિ વડે શ્રાવિષ્ઠી પૂર્ણિમાની યોજના છે, તેથી શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલને પણ જોડે છે, ઉપકુલને પણ જોડે છે, કુલોપકુલને પણ જોડે છે. એમ સ્વશિષ્યોને પ્રતિપાદન કરવું અથવા કુલથી પણ યુક્ત થઈ શ્રાવિષ્ઠી પૂર્ણિમા, ઉપકુલ વડે કે કુલોપકુલ વડે યુક્ત છે તેમ કહેવું. એ પ્રમાણે બાકીના સૂત્રનું નિગમન કરવું ચાવતુ એ પ્રમાણે બાકીની પણ પૂર્ણિમાઓ પણ જાણવી, અર્થાત પાઠક્કમ વડે કહેવો જોઈએ. --- - - - વિશેષ એ કે પૌષી પૂર્ણિમા અને જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કુલપકુલને જોડે છે, બાકીની પૂર્ણિમાઓમાં કુલોપકુલ નક્ષત્ર નથી હોતું એમ ભાવના કરીને કહેવું જોઈએ. તે આ પ્રમાણે - કાર્તિકી પૂર્ણિમાં શું કુલને જોડે છે કે ઉપકુલને જોડે છે ? તે કુલને પણ જોડે છે અને ઉપકુલને પણ જોડે છે. કુલોપકુલને જોડતાં નથી. કુલનો યોગ કરતાં કૃતિકાનમાં યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે. તે કાર્તિકી પૂર્ણિમા કુલને અને ઉપકુલનો પણ યોગ કરે છે. કુલ કે ઉપકુલ સાથે યુક્ત કાર્તિકી પૂર્ણિમાનો યોગ કરે છે, તેમ કહેવું. એ પ્રમાણે આષાઢી પૂર્ણિમા સુધી સૂત્ર કહેવું. એ પ્રમાણે પૂર્ણિમા સંબંધી વક્તવ્યતા કહી. હવે અમાવાસ્યા સંબંધી વક્તવ્યતા કહેવી. બાર અમાસો કહેલી છે - શ્રાવિષ્ઠી, પૌષ્ઠપદી ઈત્યાદિ. તેમાં માસના
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy