SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૯/-/૧૭૫ થી ૧૯૨ ૧૮૧ તથા મનુષ્ય ક્ષેત્રથી બહાર બધાં ચંદ્રો સર્વદા અભિજિત્ નામથી યુક્ત અને સૂર્ય પુષ્પ વડે યુક્ત હોય છે. મનુષ્ય ફોનની બહાર ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર પરિપૂર્ણ ૫૦,૦૦૦ યોજન હોય છે. એ પ્રમાણે સૂર્યનું અને ચંદ્રનું પરસ્પર અંતર કહ્યું. પે ચંદ્ર અને ચંદ્રનું તથા સૂર્ય અને સૂર્યનું પરસ્પર અંતર કહે છે - ૪ - માનુષોતર પર્વતની બહાર સૂર્ય-સૂર્યનું પરસ્પર અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર હોય છે એક લાખ યોજન. તેથી કહે છે – ચંદ્રથી અંતરિત સૂર્ય અને સૂર્ય અંતરિત ચંદ્ર વ્યવસ્થિત છે. ચંદ્ર-સૂર્યોના પરસ્પર સંત-૫૦,૦૦૦ ચોજન છે. તેથી તેમનું પરસ્પર અંતર લાખ યોજના થાય. હવે બહારના ચંદ્ર-સૂર્યોની પંક્તિમાં અવસ્થાન કહે છે - મનુષ્ય લોકની બહાર પંક્તિમાં રહેલ સૂર્યથી અંતરિતચંદ્ર અને ચંદ્ર અંતરિત સૂર્યદીપ્ત- અર્થાત - ભાસ્વર છે. તે ચંદ્રસૂર્યકેવા પ્રકારના છે ? ચિમાંતર વૈશ્યાકા. ચિત્ર તરલેશ્યા-પ્રકાશરૂપ જેમાં છે, તે તથા. તેમાં ચિત્રઅંતર ચંદ્રોના સૂર્ય અંતરિતપણાથી અને સૂર્યના ચંદ્રાંતરિતવણી છે. ચિત્રલેશ્યા ચંદ્રની શીતરશ્મિત્વથી અને સૂર્યની ઉણરશ્મિત્વથી છે. લેશ્યાના વિશેષ પ્રદર્શનાર્થે કહે છે - સુખલેશ્યા, ચંદ્રની મનુષ્યલોકના શીતકાલ જેવી નથી કેમકે તે અત્યંત શીતરશ્મિ છે. સૂર્યની મંડલેશ્યામનુષ્યલોકના ઉનાળા જેવી નથી, પણ એકાંતે ઉણ રશ્મિ છે, તેમ જાણવું. તત્વાર્થ ટીકાકાર હરિભદ્રસૂરિજી કહે છે - અત્યંત શીત ચંદ્ર નથી કે સૂર્ય પણ અતિ ઉષ્ણ નથી. પણ બંને સાધારણ છે. અહીં આમ કહેલ છે – જે દ્વીપ કે સમુદ્રમાં નક્ષત્ર આદિ પરિમાણ જાણવાની ઈચ્છા હોય, તેમાં એક ચંદ્ર પરિવારભૂત નક્ષત્ર આદિ પરિમાણ તેટલા ચંદ્રો વડે ગુણવું જોઈએ. પછી એક ચંદ્ર પરિવારભૂત ગ્રહોની સંખ્યા કહે છે – તે બંને ગાથાઓ નિષદ સિદ્ધ છે. મનુષ્યોગની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ દેવો છે, તે શું - વિશેષણો નીચે મુજબ છે.] o ઉtવપપલ- સૌઘમિિદ બાર કલ્પોથી ઉર્વ ઉપપ ઉદેવપપણ કહેવાય છે. o ભોપપન્ન- કલા એટલે સૌધર્માદિ, તેમાં ઉપપન્ન. o વિમાનોપપન્ન- વિમાનમાં - સામાન્યથી ઉપપH. • ચારોપપન્ન - વાર - મંડલગતિથી પરિભ્રમણ, તે રીતે ઉપપન્ન ચારને આશ્રીતે ઉપપન્ન. ૦ ચારસ્થિતિક-વાર ચોક્ત સ્વરૂપ, સ્થિતિ - અભાવ જેમાં છે, તેયારસ્થિતિક અર્થાત્ ચાર સહિત. ૦ ગતિરતિક - ગતિમાં રતિ-આસક્તિ, પ્રીતિ જેમાં છે તે. આના વડે ગતિમાં રતિમાસ કહી, હવે સાક્ષાત્ ગતિનો પ્રશ્ન કરે છે. 0 ગતિસમાપન્ન- ગતિયુક્ત. એમ પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું તે ચંદ્રાદિ દેવો ઉપપન્ન નથી, કપોપપન્ન પણ નથી, પરંતુ વિમાનોપપન્ન છે, ચારોપપ• ચાર સહિત છે, ચારસ્થિતિક નથી. તેવા સ્વભાવથી પણ ગતિરતિક, સાક્ષાત્ ગતિયુક્ત છે. ઉદર્વમુખીકૃત કલંબુડાપુપ સંસ્થાન સંસ્થિત યોજન સાહસિક વડે, અનેક યોજના સહસ પ્રમાણ તાપગ વડે, સાહસિક-અનેક સહસ સંખ્યા વડે બાહ્ય પર્ષદા વડે. વૈકુર્વિકા-વિકુર્વિત વિવિધરૂપ ધારિણી. મોટા રવ વડે એ યોગ છે - તે જોડવું. મત - અક્ષત, જ નાટ્યો, ગીતો, વાદિળો અને જે તંત્રી-વીણા, જે હસ્તકાલ, જે ટિસ-બાકીના વાઘો, જે ધન-ધનાકાર ધ્વનિ સાધચ્ચેથી. પટુ પ્રવાદિત-નિપુણ પુરુષ વડે પ્રવાદિત મૃદંગ, તેના રવ વડે - તથા - સ્વભાવથી ગતિરતિક બાહ્ય પર્ષદા અંતર્ગતુ દેવો વડે વેગથી જતાં વિમાનોમાં ઉત્કર્ષ વશથી જે સીંહનાદો કરાતા એવા જે બોલ, વન • મોઢા ઉપર હાથ દઈને મોટા શબ્દોથી પૂત્કરણ. અને જે વનજિન - વ્યાકુળ શબ્દ સમૂહ, તેનો સ્વ. વિશિષ્ટ શું છે ? તે કહે છે - છ અતીવ સ્વચ્છ, અતિ નિર્મળ કેમકે જાંબૂનદ રનની બહુલતા છે. પર્વતરાજ - પર્વતન્દ્રને પ્રદક્ષિણાવર્ત મંડલવાર જે રીતે થાય, તે રીતે મેરુને અનુલક્ષીને પર્યટન કરે છે. ફરી પ્રશ્ન કરે છે - તે જયોતિક દેવોનો ઈન્દ્ર જ્યારે સ્ત્રવે છે, ત્યારે તે દેવો ઈન્દ્ર વિરહકાળે કઈ રીતે કરે છે ? ભગવંતે કહ્યું- ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો એકઠાં થઈને તે શૂન્ય ઈન્દ્ર સ્થાનને સ્વીકારીને વિચારે છે - તે ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે. -x કેટલો કાળ સુધી ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે ? કહે છે - જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય. ઈન્દ્ર સ્થાન કેટલો કાળ ઉપપાતથી વિરહિત કહેલો છે ? ભગવંતે કહ્યું- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ. તા થવા i ઈત્યાદિ પ્રમ્નસૂત્ર, પૂર્વવત્ કહેવું - x - ભગવંતે કહ્યું - x - તે મનુષ્યફોગથી બહાર રહેલાં ચંદ્રાદિ દેવો ઉર્વોપપન્ન નથી, કભોપપન્ન નથી, પરંતુ વિમાનોપપ છે. તથા ચારયુકત નથી પરંતુ ચારસ્થિતિક છે. તેથી જ ગતિરતિક પણ નથી ગતિ સમાપન્નક નથી.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy