________________
૧૦/૧૭/૨૦
પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રામૃત-૧૭ છે
૨૦૩
એ પ્રમાણે દશમાં પ્રાભૂતનું ૧૬મું પ્રાભૂતામૃત કહ્યું હવે ૧૩માંનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે – ‘‘ભોજનનું કથન'' તેથી તદ્વિષયક પ્રશ્ન સૂત્ર કહે
છે
• સૂત્ર-૭૦ :
કઈ રીતે તે [નક્ષત્રોનું] ભોજન કહેલ છે, તેમ કહેવું ? આ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં કૃતિકામાં દહીં-ભાત ખાઈને કાર્ય સાધવું. રોહિણીમાં ધતુરાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. મૃગશિર્ષમાં ઇન્દ્રાવાણી ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. આમિાં માખણ ખાઈને કાર્ય સાધવું પુનર્વસુમાં ઘી ખાઈને કાર્ય સાધવું. પુષ્યમાં ખીર ખાઈને કાર્ય સાધવું. આશ્લેષામાં અજમાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું.
મઘામાં કસ્તુરી ખાઈને કાર્ય સાધવું, પૂવફિાલ્ગુનીમાં મંડુક પર્ણિકા ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. ઉત્તરા ફાલ્ગુનીમાં વાઘનખીનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. હસ્તમાં ચોખાની કાંજી ખાઈને કાર્ય સાધવું. ચિત્રામાં મગનું સુપ ખાઈને કાર્ય સાધવું. સ્વાતીમાં ફળો ખાઈને કાર્ય સાધવું. વિશાખામાં અગતિ ખાઈને કાર્ય સાધવું. અનુરાધામાં મિશ્રિકૃત્ કુર ખાઈને કાર્ય સાધવું.
જ્યેષ્ઠામાં બોરનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. પૂર્વાષાઢામાં આમળાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. ઉત્તરાષાઢામાં બિલ્વફળ ખાઈને કાર્ય સાધવું. અભીજિતમાં પુષ્પ ખાઈને કાર્ય સાધવું. શ્રવણમાં ખીર ખાઈને કાર્ય સાધવું. શતભિષામાં તુવેર ખાઈને કાર્ય સાધવું. પૂર્ણ પૌષ્ઠપદામાં કારેલા ખાઈને કાર્ય સાધવું, ઉત્તરાપૌષ્ઠપદામાં વરાહકંદ ખાઈને કાર્ય સાધવું.
રેવતીમાં જલચર વનસ્પતિ ખાઈને કાર્ય સાધવું. અશ્વિનીમાં તિત્તિર કે વૃક વનસ્પતિ ખાઈને કાર્ય સાધવું, ભરણીમાં તલ તેંદુલક ખાઈને કાર્ય સાધવું. • વિવેચન-૭૦ :
વૃત્તિકારશ્રીની વૃત્તિનો અનુવાદ કરતાં પૂર્વે એક સ્પષ્ટતા આવશ્યક છે . કેમકે વૃત્તિકારશ્રીએ ભોજનના શબ્દોના અર્થો બતાવ્યા નથી. સૂત્રમાં પ્રયોજાયેલ શબ્દોનો પ્રત્યક્ષ અર્થ કરવા જઈએ તો જૈન ધર્મની પાયાની માન્યતાથી વિસંગત અર્થ નિષ્પન્ન થઈ જશે. જેમકે
- અનેક ભોજનમાં 'વ'' શબ્દ પ્રયોજાયેલ છે, જેનો સીધો અર્થ કોઈપણ ‘માંસ' એવો જ કરે. વળી મિનયંમ એટલે મૃગનું માંસ મેદમંત્ર એટલે મેંઢનું માંસ એવા અર્થો નીકળે, જે અર્થો ઉચિત નથી. અમે અહીં ગ્રંથાતરથી અર્ધો કર્યા છે, વૃત્તિકારશ્રીએ કર્યા જ નથી. સત્ય અર્થ શું હોઈ શકે તે તો બહુશ્રુત જ કહી શકે.
- X "X "X -
કયા પ્રકારે નક્ષત્ર વિષયક ભોજન કહેલા છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - x - આ અનંતર કહેલ અઠ્ઠાવીશ નક્ષત્રોમાં કૃતિકા વડે પુરુષ દહીં સાથે ભાત ખાઈને
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
કાર્ય સાધવામાં આવે છે. અર્થાત્ શું કહેવા માંગે છે ? કૃતિકા નક્ષત્રમાં પ્રારબ્ધ કાર્ય દહીં ખાઈને પ્રાયઃ નિર્વિઘ્ને સિદ્ધિને પામે છે.
એ પ્રમાણે બાકીના સૂત્રોમાં પણ ભાવના કરવી.
૨૦૪
૦ પ્રાકૃતપામૃત-૧૭-નો સટીક અનુવાદ પૂર્ણ ૦
— — — x — x — x —