SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/-/૧૯૧ મધ્યમ અધ:પ્રૈવેયક, મધ્યમ મધ્યમત્રૈવેયક, મધ્યમ ઉપરમત્રૈવેયક. ઉપરિમ અધઃપ્રૈવેયક, ઉપરિમ મધ્યમત્રૈવેયક, ઉપરિમ ઉપમિત્રૈવેયક. તે સંક્ષેપથી બે ભેટે છે – પતિક અને અપપ્તક. તે ત્રૈવેયકો કહ્યા. અનુત્તરોપાતિક કેટલા ભેદે છે ? પાંચ ભેદે છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સથિસિદ્ધ. તે સંક્ષેપથી બે ભેદે છે પર્યાપ્તક અને અપચપ્તિક. તે અનુત્તરોપાતિક કહ્યા. તે કલ્પાતીત કહ્યા, તે વૈમાનિક કહ્યા, તે દેવો કહ્યા, તે પંરોન્દ્રિયો કહ્યા. તે સંસાર સમાપન્ન જીવ પ્રાપના કહી, તે જીવ પ્રજ્ઞાપના કહી - • વિવેચન-૧૯૧ : - ૮૧ દેવો ચાર પ્રકારે છે – ભવનવાસી આદિ, તેમાં ભવનમાં વસવાના સ્વભાવવાળા તે ભવનવાસી. આ બહુલતાથી નાગકુમારાદિની અપેક્ષાએ જાણવું. તેઓ પ્રાયઃ ભવનોમાં વસે છે, કદાચિત્ આવાસોમાં રહે છે. અસુરકુમારાદિ પ્રચુસ્તાથી આવાસમાં રહે છે, કદાચિત્ ભવનોમાં. ભવન અને આવાસમાં શો ભેદ છે ? ભવનો બહારથી ગોળ અને અંદરથી સમચતુસ, નીચેના ભાગે કમળની કણિકાવાળા છે. આવાસો, શરીર પ્રમાણવાળા, મોટા મંડપવાળા, વિવિધ મણિ-રત્નના દીવાથી દિશાઓના સમુદાયના પ્રભાશક છે. વ્યંતર - વિવિધ પ્રકારના વન, નગર, આવાસરૂપ અંતર - આશ્રય જેઓને છે, તે વ્યંતર કહેવાય છે. તેમાં રત્નપ્રભાના પહેલા રત્નકાંડમાં ઉપર-નીચે સો સો યોજન છોડીને વચ્ચેના આઠસો યોજન પ્રમાણમાં ભવનો હોય છે. નગરો તિર્થાલોકમાં હોય છે. તેમાં તિલિોકમાં, જેમકે જંબૂદ્વીપના દ્વારાધિપતિ વિજય દેવની બીજા જંબુદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન પ્રમાણ નગરી છે અને આવાસો ત્રણે લોકમાં હોય છે. ઉર્ધ્વલોકમાં પંડક વનાદિમાં છે. અથવા જેઓનું મનુષ્યોથી અંતર ગયું છે તે વ્યંતર કહેવાય છે. તે આ પ્રમાણે – કેટલાંક વ્યંતરો ચક્રવર્તી, વાસુદેવ પ્રમુખ મનુષ્યોની નોકર માફક સેવા કરે છે. માટે મનુષ્યોથી તેઓનું અંતર નથી. અથવા – પર્વત, ગુફા કે વનની અંદર વિવિધ પ્રકારના આશ્રયરૂપ અંતર જેઓને છે તે વ્યંતર. વાળામંતર - વનના અંતરોમાં રહેલ તે વાનમંતર. - ૪ * જે જગત્ને પ્રકાશિત કરે છે તે જ્યોતિપ્ - વિમાનો. તેમાં ઉત્પન્ન થયેલા તે જ્યોતિક અથવા મસ્તક ઉપરના મુગટના પ્રકાશના મંડલના સમાન સૂર્યાદિ મંડલ વડે પ્રકાશિત કરે તે જ્યોતિપ્ – સૂર્યાદિ દેવો કહેવાય છે. તે આ રીતે – સૂર્યને મુગટના અગ્રભાગમાં તે સૂર્યકાર, ચંદ્રને ચંદ્રાકાર, ગ્રહને ગ્રહાકાર, નક્ષત્રને નક્ષત્રાકાર, તારાને તારાકાર ચિહ્ન છે, તેના વડે પ્રકાશિત કરે છે. તત્ત્વાર્થ ભાષ્યમાં પણ કહે છે પ્રકાશિત કરે તે જ્યોતિપ્ ઈત્યાદિ. મુગટના જેવા, મસ્તક ઉપરના મુગટમાં રહેલા, પોતપોતાના ચિહ્નરૂપ ઉજ્વલ પ્રભામંડલ સમાન સૂર્યાદિના મંડલ વડે સુશોભિત કાંતિવાળા જ્યોતિક દેવો હોય છે. 20/6 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પુણ્યવાળા જીવો વડે જેનો વિવિધ રીતે ઉપભોગ કરાય તે વિમાનો. તેમાં ઉત્પન્ન થયેલ તે વૈમાનિક, ર હવે એ દેવોના ભેદો અનુક્રમે કહે છે – ભવનવાસી દેવો તે અસુકુમારાદિ છે. તે દર્શને કુમાર કેમ કહે છે ? કુમારની માફક ચેષ્ટા કરે છે માટે કુમાર કહેવાય છે. કુમારની માફક સુકુમાર, મૃદુ, મધુર, સુંદરગતિવાળા, શ્રૃંગારના અભિપ્રાયથી વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉત્તર વૈક્રિય કરવાવાળા, કુમાવત્ ઉદ્ધત રૂપ, વેષ, ભાષા, આભરણ, શસ્ત્ર, વસ્ત્ર, શિબિકાદિયાન-વાહનવાળા કુમાર માફક ઉત્કટ રાગવાળા અને ક્રીડામાં તત્પર હોવાથી કુમાર. કિન્નરો દશ પ્રકારે છે – કિંનર, કિંપુરુષ, કિંપુરુષોત્તમ, કિંનરોત્તમ, હ્રદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, તિપ્રિય અને રતિશ્રેષ્ઠ. કિંપુરુષો દશ પ્રકારે છે – પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મહાદેવ, મરુત્, મેરુપ્રભ, યશસ્વાન. મહોરગ દશ પ્રકારે છે ભુજંગ, ભોગશાલી, મહાકાય, અતિકાય, સ્કંધશાલી, મનોરમ, મહાવેગ, મહાયક્ષ, મેરુકાંત, ભાવાન્. - - ગંધર્વો બાર પ્રકારના છે – હાહા, હૂ, તુંબરુ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈવત, વિશ્વાવસુ, ગીતરતિ, ગીતયશ. યક્ષો તેર પ્રકારે છે પૂર્ણભદ્ર, માણિભદ્ર, શ્વેતભદ્ર, હરિતભદ્ર, સુમનોભદ્ર, વ્યતિપાતિકભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્યપક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ, યક્ષોત્તમ. રાક્ષસો સાત ભેદે છે – ભીમ, મહાભીમ, વિઘ્ન, વિનાયક, જળરાક્ષસ, રાક્ષસરાારા, બ્રહ્મરાક્ષસ. ભૂતો નવ ભેદે છે – સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતોત્તમ, સ્કંદ, મહાદ, મહાવેગ, પ્રતિચ્છન્ન, આકાશગ. પિશાચો સોળ પ્રકારે છે – કૂષ્માંડ, પટક, સુજોષ, આહિનક, કાળ, મહાકાળ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તાક, દેહ, વિદેહ, મહાવિદેહ, તૂષ્ટિક, વનપિશાય. ૫ - આચાર. તે અહીં ઈન્દ્ર, સામાનિકાદિ વ્યવહારરૂપ જાણવો. તે આચારને પ્રાપ્ત તે કલ્પોપગ કહેવાય. થોક્ત આચાર રૂપ કલ્પને અતિક્રમેલા તે કલ્પાતીત જાણવા. - ૪ - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રજ્ઞાપના પદ-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy