SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-I-/૧૬૬ થી ૧૦ કે - બીજા શાસ્ત્રોમાં અનેક જાતિ કહી છે. તો પણ લોકમાં અંબષ્ઠ, કલિંદ, વૈદેહ, વેદંગ, હરિત, ચુંટુણરૂપ ઇભ્ય જાતિઓ પૂજ્ય જાતિ રૂપે પ્રસિદ્ધ છે. તેથી આ જાતિ વડે યુક્ત તે જાતિ આર્યો. પણ બાકીની જાતિ વડે જાતિ આર્ય કહેવાતા નથી. શિલાર્યો - તપ - સોયથી આજીવિકાંકતાં, તૈધાય - વણકર, પકાર - પટોળા વણનાર, રેવડા - મસક કરનાર, વસ્ફ-પીંછી કરનાર, છર્વિકા-સાદડી આદિ કત. કઢપાઉ-કાઠ પાદુકાકાર, એ રીતે મુંજપાદુકાકાર, છતાર-છાકાર. એ રીતે બાકીના પદો છે. બ્રાહી, યવનાનિ આદિ લિપિભેદથી સંપ્રદાયથી જાણવા. ભાષાર્યો કહ્યા, હવે જ્ઞાનાર્યો કહે છે. સુગમ છે. હવે દર્શનાર્યો કહે છે. તે બે ભેદે છે – સરાણ દર્શનાર્ય, વીતરાગ દર્શનાર્ય. - X - સરાણ દર્શનાર્ય દશ ભેદે છે - નિસર્ગરચિ ઈત્યાદિ. ( ધે નિસર્ગરચિ કહે છે - નિસf - સ્વભાવ, તેના વડે રુચિ - જિન પ્રણિત તવની અભિલાષારૂપ જેને છે તે. ઉપવેઝ - ગુરૂ આદિ વડે વસ્તુતવનું કથન, તેના વડે રુચિ જેને છે તે. મસા - સર્વજ્ઞ વચનરૂ૫, તેની રુચિ - અભિલાષ તે આજ્ઞાયિ. અર્થાત્ જિનાજ્ઞા જ તવ છે, બાકીની યુક્તિજાળ તવરૂપ નથી, એવું જે માને છે આજ્ઞારુચિ. એ રીતે રુચિ શબ્દ બધે જોડવો. ya- આચારાંગાદિ પ્રવિષ્ટ છે. અંગબાહ્ય- તે આવશ્યક અને દશવૈકાલિક છે, એટલે કે આચારાંગાદિ અંગપ્રવિટ અને દશવૈકાલિકાદિ ગબાહ્ય સૂત્રનું અધ્યયન કરતા જે સમ્યકત્વ પ્રાપ્ત કરે અને પ્રસન્ન, પ્રસન્નતર અધ્યવસાય થાય તે સૂગરચિ. - બીજ માફક અનેકાર્થને જણાવનાર એક પણ વચન તે બીજ જેને છે તે બીજરૂચિ. અધિામ - વિશિષ્ટ પરિજ્ઞાન, તેના વડે રુચિ. વિસ્તાર • સંપૂર્ણ દ્વાદશાંગીનું નયો વડે પર્યાલોચન, તેના વડે વૃદ્ધિગત થયેલ રુચિ જેવી છે તે વિસ્તાર રુચિ. શિયા - સમ્યક્ - સંયમાનુષ્ઠાન, તેમાં રુચિ જેને છે તે ક્રિયારૂચિ. સંક્ષેપ - સંગ્રહ, તેમાં રુચિ જેને વિસ્તૃત અર્ચનું જ્ઞાન નથી. વર્ષ - અસ્તિકાય ધર્મ કે શ્રુતધર્માદિમાં જેને રુચિ છે તે ધર્મરુચિ. હવે વિસ્તારથી સૂત્રકાર પોતે તેની વ્યાખ્યા કરે છે – ભતાર્થપણે - આ પદાથોં સદભૂત રૂપે છે એ પ્રમાણે જેણે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધાદિ જાણેલ છે તે. કઈ રીતે જાણ્યા છે ? આત્માની સાથે રહેલ સંગત - સ્વાભાવિક મતિ વડે અર્થાત્ પરોપદેશ વિના જાતિસ્મરણ અને પ્રતિભાદિ રૂપ મતિ વડે. માત્ર જાણ્યા છે તેમ નહીં, પરંતુ જે જીવાદિ પદાર્થોને અનુભવે તેના ઉપર રુચિ કરે, તવરૂપે આત્મમય પરિણમાવે તે નિસર્ગયિ જાણવો. એ જ અર્થને વધારે સ્પષ્ટ કરે છે – જે જિનેશ્વરે જાણેલા દ્રવ્ય, ફોગ, કાળ, ભાવના ભેદથી અથવા નામાદિ ભેદથી ચાર પ્રકારના ભાવોને સ્વયં જ - કોઈના ઉપદેશ વિના શ્રદ્ધા કરે. કઈ રીતે શ્રદ્ધા કરે ? આ પ્રમાણે આ જીવાદિ જે રીતે જિનોએ જાણેલા છે, તે પ્રમાણે છે - અન્યથા નથી. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ઉપદેશરુચિને કહે છે - જિન કે કદાથે ઉપદેશેલા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરે છે. આજ્ઞાચિને કહે છે – જે વિવક્ષિત અર્થના સાધક હેતુને નથી જાણતો, આજ્ઞાથી જ પ્રવચનની શ્રદ્ધા કરે છે, પ્રવચનોક્ત અર્થ એમ જ છે • અન્યથા નથી તે. સુણરચિ - જે અંગપ્રવિણ કે અંગબાહ્ય સુખનું અધ્યયન કરતો. તેના વડે જ સમ્યકત્વ પામે છે. બીજરૂચિ - જીવાદિતત્વના એક પદ વડે અનેક જીવાદિ પદોને વિશે ધર્મ અને ધર્મીના અભેદ ઉપચાર વડે જે સમ્યકત્વવાળો આત્મા પાણીમાં તેલબિંદુની માફક પ્રસરે. કેવી રીતે ? જેમ પાણીમાં એક ભાગે રહેલ તેલબિંદુ સર્વભાગને વ્યાપ્ત કરે, તેમ જીવાદિ તત્વના એક અંશમાં ઉત્પન્ન રુચિવાળો આત્મા તથાવિધ ક્ષયોપશમથી બાકીના બધાં તવોમાં રચિવાળો થાય તે બીજરૂચિ જાણવો. અધિગમરચિ - જેણે શ્રુતજ્ઞાન એટલે અગિયાર અંગો, ઉત્તરાધ્યયનાદિ પ્રકીર્ણક, દૈષ્ટિવાદ, ઉપાંગાદિને જાણેલ છે તે. વિસ્તારરુચિ - ધર્માસ્તિકાયાદિ સર્વે દ્રવ્યોના સર્વ પર્યાયોને યથાયોગ્ય, પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે અને તૈગમાદિ નયના ભેદોથી જાણેલા છે તે. કેમકે સર્વ દ્રવ્ય-પર્યાયોને જાણવાથી તેની રુચિ અત્યંત નિર્મળ થયેલ છે. કિયારુચિ - દર્શન, જ્ઞાન, ચાત્રિમાં તથા તપ, વિનય, ઈયદિ સર્વ સમિતિમાં અને મન આદિ ગુપ્તિમાં કિયા ભાવની રુચિ અર્થાત્ જેને દર્શનાદિ આસાનું પાલન કરવામાં રુચિ છે તે ક્રિયારુચિ કહેવાય છે. સંaોપરુચિ - જેણે કોઈપણ કુદર્શનનો સ્વીકાર કર્યો નથી, જે જિનપણિત પ્રવચનને વિશે અકુશળ છે અને કપિલાદિ અન્ય દર્શન અભિમુખતાથી ઉપાદેયરૂપે સ્વીકારેલ નથી તે સંક્ષેપરચિ જાણવો. આના વડે બીજા દર્શનના પરિજ્ઞાન માનો નિષેધ કર્યો. ધર્મરુચિ - જે જીવ જિનેશ્વરે કહેલા અસ્તિકાય - ધમસ્તિકાયાદિના ધર્મ-ગતિ ક્રિયામાં સહાય આપવા વગેરે સ્વભાવની અથવા શ્રતધર્મ કે ચાઅિધર્મની શ્રદ્ધા કરે છે. તે ધર્મરુચિ. આ પ્રમાણે નિસગદિની રુચિરૂપ સમ્યક્ દર્શન દશ પ્રકારે કહ્યું. હવે જે લિંગ વડે સમ્યગદર્શન ઉત્પન્ન થયાનો નિશ્ચય કરાય છે, તે લિંગ - ચિહ્નોને બતાવે છે. પરમાર્થ સંતવ - તાત્વિક એવા જીવાદિ પદાર્થોનો પરિચય, તત્પરતાથી બહુમાનપૂર્વક જીવાદિ પદાર્થોને જાણવાનો અભ્યાસ. સુદર્ટ પરમાર્થસેવના • જેણે યથાર્થ રીતે જીવાદિ પદાર્થોને જાણેલા છે, તેની પર્યાપાસના, ચયાશક્તિ તેની વૈયાવૃત્યમાં પ્રવૃત્તિ કરવી તથા દર્શનથી ભ્રષ્ટ નિકૂવાદિ અને કુસિત દર્શનવાળાનો ત્યાગ કરવો, તેમનો પરિચય ન કરવો અને સમ્યકત્વની શ્રદ્ધા કરવી, એ પરમાર્થ-સંતવાદિથી સમ્યકત્વનો નિશ્ચય કરાય છે. આ દર્શનના આઠ આચારો છે, તેનું સમ્યપણે પરિપાલન કરવું. તેના ઉલ્લંઘનથી દર્શનનું પણ ઉલ્લંઘન થાય છે. તેથી આ આચારોને બતાવે છે, તે આ પ્રમાણે -
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy