SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ર પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ૧/-/-/૧૬૨ અને ભગવનના ઉત્તરરૂપ સૂગને આગમના બહુમાનથી કહે છે. ભગવતુ ! ઈત્યાદિ - પરમ કલ્યાણયોગી ! આસાલિકો કયાં સંમૂચ્છે છે ? તેઓ ગર્ભજ હોતા નથી. પણ સંમૂર્ણિમ જ છે, તેથી “સંમૂર્હ છે” તેમ કહ્યું. ગૌતમ ! મનુષ્ય ફોનમાં, બહાર નહીં. - x • સર્વત્ર મનાયફોન નહીં, પણ અઢી દ્વીપમાં જ. આ રીત તે લવણ અને કાલોદ સમુદ્રમાં ન હોય તેમ કહ્યું. નિર્ણાઘાત - વ્યાઘાતનો અભાવ. તેમાં પાંચ ભરત, પાંચ ૌરવતમાં સુષમ સુષમાદિ રૂપ અને દુષમ દુ:૫માદિ રૂપ કાળ વ્યાઘાતના હેતુપણે હોવાથી, વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે અને વ્યાઘાતને આશ્રીને પાંચ ભરત અને પાંચ સ્વતમાં તેવા પ્રકારના કાળરૂપ પ્રતિબંધ હોય ત્યારે પાંચ મહાવિદેહોમાં ઉત્પન્ન થાય છે. આમ કહીને ત્રીશે અકર્મભૂમિમાં સાલિકોની ઉત્પત્તિ થતી નથી તેમ જણાવ્યું. પંદર કર્મભૂમિમાં કે મહાવિદેહમાં સર્વત્ર ન સર્જી પણ ચકવર્તીની છાવણી આદિમાં, ગામ આદિમાં ઉપજે. ગ્રામાદિનો અર્થ - ગામ એટલે બુદ્ધયાદિ ગુણોનો ગ્રાસ કરે છે. અથવા શાસ્ત્ર પ્રસિદ્ધ અઢાર પ્રકારનો કર લેવાતો હોય તે ગામ. નિગમ-ઘણાં વણિક વર્ગો રહેતા હોય છે. ખેટ-ધૂળના કિલ્લાથી બંધાયેલ. કર્નટ-નાના પ્રકાશ્યી વીંટાયેલ. મર્ડબ-અઢી ગાવમાં બીજા ગામથી રહિત. પટ્ટણ-જયાં ગાય, ઘોડા કે નૌકાથી જવાય [સ્થળ અને જળમાર્ગ યુક્ત]. દ્રોણ મુખ-જ્યાં જળનું પ્રવેશ અને નિર્ગમ સ્થાન હોય. આકર-સોનાની ખાણ આદિ. આશ્રમ-તાપસ આવાસ. સંબોધ-ચાનાર્થે આવેલ ઘણાં મનુષ્યોનો નિવાસ હોય. રાજધાની - રાજા રહેતો હોય છે. ચકવર્તીની છાવણી આદિનો વિનાશ થવાનો હોય ત્યારે તે સ્થાનોમાં આસાલિક ઉત્પન્ન થાય છે. તે જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ હોય, તે ઉત્પતિ પ્રથમ સમયે જાણવું. ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ-લંબાઈને અનુરૂપ વિકુંભ-વિસ્તાર, બાહલ્યજાડાઈ. - x - તે અસંજ્ઞી અર્થાત્ અમનક છે કેમકે સંમૂર્ણિમ છે. મિથ્યાદૃષ્ટિ છે કેમકે તેઓને સાસ્વાદન સમ્યકત્વ પણ અસંભવ છે. તેથી અજ્ઞાની છે. દાંતમુહૂર્તમાં કાળ કરે છે. તેમ બીજા આગમમાં કહેલ છે. હવે મહોગોને જણાવે છે - તે સુગમ છે. વિશેષ એ કે - ૧૨ ગુલની ૧-વેંત થાય. રનિ-હાથ, કુક્ષિ-બે હાથ પ્રમાણ, ધનુષ-ચાર હાથ. ગભૂત-૨૦૦૦ ધનુ પ્રમાણ. ચાર ગાઉનો એક યોજન. આ વેંત વગેરેનું પ્રમાણ ઉસેધ ગુલ અપેક્ષાએ જાણવું. કેમકે અહીં શરીર પ્રમાણની વિચારણા કરી છે. વળી અહીં પ્રસ્ત શબ્દથી કેટલાંક મહોરગોની શરીરવગાહના અંગુલ પ્રમાણ છે, કેટલાંકની અંગુલ પૃથકવ પ્રમાણ છે. ઈત્યાદિ. ઉક્ત મહોગો સ્થલચર વિશેષ હોવાથી સ્થળે જન્મે છે, સ્થળે જન્મીને જળમાં પણ સ્થળની માફક ફરે છે અને સ્થળમાં પણ કરે છે, કેમકે તેમનો તથાભવ સ્વભાવ છે. જો એમ છે, તો દેખાતા કેમ નથી ? યયોક્ત પ્રકારના મહોરણો મનુષ્યોગમાં નથી, માટે દેખાતા નથી. પણ બહારના હીપ-સમુદ્રોમાં હોય છે. સમુદ્રોમાં હોવા છતાં સ્થળચર હોવાથી પર્વત, દેવનગરી આદિમાં ઉત્પન્ન થાય, જળમાં ઉત્પન્ન ન થાય. તે સિવાયના બીજા પણ દશ અંગુલ વગેરે શરીર પ્રમાણવાળા તેવા પ્રકારના હોય છે. તે પણ મહોરણો જાણવા. તે સ્થળચરો સંક્ષેપથી બે પ્રકારે છે આદિ પૂર્વવતું. તેમની દશ લાખ કરોડ જાતિલ યોનિપ્રમુખ છે. તેમના શરીર આદિ દ્વારોનો વિચાર જીવાભિગમની ટીકાથી જાણવો. હવે ભુજપરિસર્પને કહે છે – સુગમ છે. વિશેષ એ - મુજપરિસર્પના ભેદો અપ્રસિદ્ધ છે. તે લોકથી જાણવા. નવ-લાખ કોડ જાતિ-કુલભ્યોનિ. શરીરદિ દ્વાર જીવાભિગમ ટીકાવ. હવે ખેચર પંચેન્દ્રિય તિર્યચયોનિકને કહે છે - • સૂત્ર-૧૬૩ થી ૧૬પ : [૧૬] ખેચર પંચેન્દ્રિય તિચિ યોનિક કેટલા ભેટે છે ? તે ચાર ભેટે છે – ચર્મપક્ષી, રોમપક્ષી, સમુદ્ભકપક્ષી, વિતતપક્ષી. ચર્મપાણીના કેટલા ભેદ છે ? અનેક ભેદે કહાં છે – વાગુલી, જલોયા, અકિલ્લા, ભારંડપક્ષી, જીવંજીd, સમુદ્રવાયસ, કરણતિયા, પક્ષી વિરાલિકા, બીજ પણ તેવા પ્રકારના હોય છે. લોમપણી કેટલા ભેદે છે ? અનેક ભેદે કહેલ છે – ઢંક, કંક, કુરલ, વાયસ, ચકવાક, હંસ, કલહંસ, રાજહંસ, પાયહંસ, આડ, રોટી, બગલા, પાલિત, કૌચ, સાસ, મેસર, મસૂર, મયૂર સપ્તહરd, ગહર, પુંડરીક, કાક, કામિંજુય, વજુલા, તેતર, બતક, લાવક, કપોત, કપિંજણ, પારેવા, ચકલા, ચાસ, કુકડા, શુક, મોર, મદનશલાકા, કોકિલ, સેહ, વરિલ્લગ ઇત્યાદિ. સમુગકપક્ષી કેટલા ભેદ છે ? એક પ્રકારે છે. તેઓ અહીં નથી, બહારના દ્વીપસમુદ્રોમાં હોય છે. વિતતપક્ષી કેટલા ભેદે છે? એક પ્રકારે છે. તે પણ અહીં નથી, બહારના હીપ-ન્સમુદ્રોમાં છે. એમ વિતતપક્ષી કહ્યા. ખેચરપક્ષી સંક્ષેપથી બે ભેદે છે – સંમૂર્છાિમ, ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે, તે બધાં નપુંસક છે. જે ગર્ભજ છે, તે ત્રણ ભેદ છે - Dી, પરષ, નપુંસક. એ પ્રકારના પ્રયતા અને અપયખા ખેર પંચેન્દ્રિય તિચિયોનિકોની બાર કોડ જાતિ—લખ્યોનિપમુખ થાય છે, તેમ કહેલ છે. [૧૬] બેઈન્દ્રિયાદિથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સુધી અનુક્રમે સાત, આઠ, નવ, સાડાબાર, દશ, દશ, નવ અને બાર લાખ કરોડ જાતિકૂળો જાણવા [૧૬૫ ખેચર કહ્યા. પાંચેન્દ્રિય તિર્યંચયોનિક કહ્યા. • વિવેચન-૧૬૩ થી ૧૬૫ - ખેચર પંચેન્દ્રિય તિર્યચયોનિક ચાર ભેદે કહ્યા છે. ચર્મપક્ષી – ચર્મમય પાંખવાળા, લોમપક્ષી - રોમમય પાંખવાળા, સમુગક પક્ષી - ગમન કરવા છતાં પેટી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy