SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-I-/૧૨ ૨૬ થાય તે આકાશ. તેના પ્રદેશોનો સમૂહ તે આકાશાસ્તિકાય આકાશાસ્તિકાય દેશાદિ પૂર્વવતું. વિશેષ આ - પ્રદેશો અનંતા જાણવા. કેમકે અલોક અનંત છે. ઉદ્ધા - કાળની સંજ્ઞા છે તે રૂ૫ સમય, તે અદ્ધાસમય. અથવા કાળનો નિર્વિભાવ ભાગ દ્ધા સમય, આ કાળ વાસ્તવિક રીતે એક જ વર્તમાન સમયરૂપ છે. અતીત-અનામત સમયરૂપ નથી. કેમકે તેઓ અનુક્રમે વિનાશ પામેલ અને અનુત્પન્ન હોવાથી અવિધમાન છે. સમૂહનો અભાવ હોવાથી કાળમાં દેશ-પ્રદેશની કાના થતી નથી. આવલિકાદિ પણ વ્યવહારથી કલ્પિત જાણવા. અહીં આ ક્રમ ઉપન્યાસમાં શું પ્રયોજન છે? આ ધમસ્તિકાય પદ મંગલરૂપ છે, કેમકે તે આદિમાં ‘ધર્મ' શબ્દ સહિત છે. હવે પદાર્થની પ્રરૂપણાનો પ્રારંભ કર્યો છે. તેથી મંગલને માટે પ્રારંભે ધમસ્તિકાય લીધું. તેના વિપક્ષભૂત અધમસ્તિકાય હોવાથી પછી અધમસ્તિકાયનું ગ્રહણ કર્યું. બંનેના આધારભૂત આકાશ છે, તેથી પછી આકાશાસ્તિકાયનું ગ્રહણ કર્યું. પછી અજીવના સાધર્મ્સથી અદ્ધા સમય લીધો. અથવા અહીં ધમધમસ્તિકાય સર્વવ્યાપક નથી. જો સર્વવ્યાપક હોય તો તેના સામર્થ્યથી જીવ અને પુદ્ગલના અખલિત પ્રચાર પ્રવૃત્તિમાં લોકાલોક વ્યવસ્થા ના ઘટી શકે. પણ લોકાલોક વ્યવસ્થા છે. કેમકે તે-તે પ્રદેશમાં સાક્ષાત્ દેખાય છે, તેથી જેટલા ક્ષેત્રમાં તે બે છે, તેટલો પ્રમાણ લોક, બાકી અલોક. • x - x - આ રીતે લોકાલોકની વ્યવસ્થાનું કારણ ધમધમસ્તિકાય છે માટે તેનું ઉપાદાન પહેલા કર્યું. માંગલિક માટે પહેલાં ધમસ્તિકાયનું, પછી પ્રતિપક્ષી અધર્મ, પછી લોકાલોકવ્યાપી આકાશન, લોકમાં સમય-અસમય ક્ષેત્ર વ્યવસ્થાકારીપણાથી અદ્ધા સમયને ગ્રહણ છે. • સૂત્ર-૧૩ :- (ચાલુ). રૂપી અજીવપજ્ઞાપના કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે - અંધ, કંદેશ, કંtપદેશ, પરમાણુ યુગલ. યુગલો સંક્ષેપથી પાંચ ભેદે છે. તે આ - વણ પરિણd, ગંધ પરિણત રસ પરિણત, સ્પર્શ પરિણત, સંસ્થાન પરિપત. • વિવેચન-૧૩ :- (ચાલુ) તે રૂપી અજીવપ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? આચાર્યએ કહ્યું - ચાર ભેદે. (૧) સ્કંધ-પુદ્ગલોના છુટા પાડવાથી શોષણ પામે, મળવાથી વૃદ્ધિ પામે તે સ્કંધ, બહુવચના પુદ્ગલ સ્કંધોનું અનંતત્વ જણાવે છે. આ વાત આગમમાં કહી છે, દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત છે. સ્કંધ દેશ - સ્કંધોના જ સ્કંધરૂપ પરિણામનો ત્યાગ ના કરતા એવા બુદ્ધિકલિત બે, ત્રણ ઈત્યાદિ પ્રદેશના સમુદાયરૂપ વિભાગ તે સ્કંધ દેશ. - x • સ્કંધ પ્રદેશ - સ્કંધરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા સ્કંધોને જ બુદ્ધિકલિત અત્યંત સૂમ દેશ. જેના ભાગ કાપી ન શકાય એવા ભાગો સ્કંધદેશો કહેવાય છે. • X • પરમાણુ પુદ્ગલ - અત્યંત સૂક્ષ્મ અણુ, જેના ભાગ કભી ન શકાય એવા નિર્વિભાગ દ્રવ્યરૂપ પુદ્ગલો તે પરમાણુ યુગલો અને સ્કંધ રૂપ પરિણામ રહિત કેવળ પરમાણુ જાણવા. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તે સોપથી યથાયોગ્યપણે પાંચ પ્રકારે કહ્યા છે. તે આ રીતે વર્ણપરિણત - વર્ણ પરિણામવાળા, એમ ગંધરસ-સ્પર્શ-સંસ્થાના પરિણત, “પરિણત”એ અતીતકાળ નિર્દેશ છે, વર્તમાન અને ભાવિ કાળના સૂચક છે. કેમકે તે બે વિના ભૂતકાળ સંભવે નહીં. કહ્યું છે – જે વર્તમાનને ઉલ્લંઘે તે અતીત થાય છે અને વર્તમાનવને તે અનુભવે છે, જે અનાગતને અતીકમેલ છે. તેથી વર્ણ પરિણત એટલે વર્ણરૂપે પરિણત છે - પરિણમે છે અને પરિણમશે. એ રીતે ગંધ, રસ પરિણાદિ કહેવા. • સૂત્ર-૧૩ :- (ચાલુ) જે વર્ણ પરિણત છે, તે પાંચ ભેદે કહ્યા છે. તે આ - કાળા-નીલાલોહિત-હાલિદ્ર-શુક્લ વર્ષ પરિણત. જે ગંધરૂપે પરિણત છે, તે બે ભેદે છે - સુરભિ અને દુરભિસંધ પરિણત જે રસ પરિણત છે, તે પાંચ ભેદે છે - કડવા, તીખા, તુરા, ખાટા અને મધુર સપણે પરિણત. જે પણ પણિત છે તે આઠ ભેદે છે - કર્કશ, મૃદુ, ભારે, હલકો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, હૃક્ષ સ્પર્શ પરિણત. જે સંસ્થાન પરિણત છે તે પાંચ ભેદે છે – પરિમંડલ, વૃત્ત, ચય, ચતુરા, આયત સંથાન પરિણત. • વિવેચન-૧૩ :- (ચાલુ) જે વર્ણ પરિણત છે, તે પાંચ ભેદે કહ્યા છે - કાજળ આદિવ, કૃષ્ણ વર્ણ પરિણત, ગળી આદિ માફક નીલવર્ણ પરિણત, હિંગલોક આદિવતુ લોહિતવર્ણ પરિણત, હળદરદિવહારિદ્રવર્ણ પરિણત. શંખાદિવત શુક્લવર્ણ પરિણત. જે ગંધ પરિણત છે તે બે ભેદે-ચંદનાદિષત સુગંધ પરિણત, લસણ આદિવ, દૂધ પરિણત. જો કે કોઈપણરૂપે રહેલ પુદ્ગલ સામગ્રીના વશથી સુગંધ કે દુર્ગધરૂપે પરિણમે છે. જે સપણે પરિણત છે, તે પાંચ ભેદે કહ્યા છે – કોશાતકી આદિવ4 કડવા રસરૂપે પરિણત, સુંઠ આદિવ તીખા રસરૂપે પરિણત. કાયા કોઠા માફક કષાયસપણે પરિણમેલ. અખ્ત વેતસાદિવટુ અરસ પરિણત, મધુરસ પરિણત. જે સ્પર્શ પરિણત છે, તે આઠ ભેદે છે - પત્યની જેમ કર્કશસ્પર્શ પરિણd, ૩ આદિ પેઠે મૃદુ સ્પર્શ પરિમત, વજાડિવત્ ગુરુ સ્પર્શ પરિણત, અર્કqલાદિવ લઘુસ્પર્શ પરિણત, મૃણાલ આદિવત્ શીતસ્પર્શ પરિણત, વલિ આદિવ ઉણ સ્પર્શ પરિણત, ઘી આદિવ, નિષ્પ સ્પર્શ પરિણત, રૂક્ષ સ્પર્શ - જે સંસ્થાન પરિણત છે, તે પાંચ ભેદે છે – વલયની જેમ પરિમંડલ સંસ્થાન પરિણત, કુંભારના ચાકડા માફક વૃત સંસ્થાન પરિણત, શીંગોડાની માફક સંસ્થાન પરિણત, કંભિકાદિ માફક ચોરસ સંસ્થાન પરિણત દંડાદિ માકક આયત સંસ્થાન પરિણત. આ પરિમંડલાદિ સંસ્થાન ઘન અને પ્રતા ભેદથી બે પ્રકારે છે વળી પરિમંડલને છોડીને બાકીના સંસ્થાન ઓજ: પ્રદેશ જનિત અને યુગ્મ પ્રદેશજનિત બે ભેદે છે. તેમાં ઉત્કૃષ્ટ પરિમંડલાદિ બધાં સંસ્થાનો નિયત સંખ્યાવાળા પરમાણુઓથી ઉત્પન્ન અને અસંખ્યાતા આકાશપ્રદેશમાં રહેલા છે અને જઘન્ય સંસ્થાન નિયત
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy