________________
૩/ઈન્દ્રિય/૩૦૬
છે ઈન્દ્રિય વિષયાધિકાર
— * — * — * —
હમણાં દ્વીપસમુદ્રના પુદ્ગલ પરિણામત્વથી કહ્યા. તે પુદ્ગલોના વિશિષ્ટ પરિણામ પરિણતોના ઈન્દ્રિય ગ્રાહ્યત્વથી ઈન્દ્રિયવિષય પુદ્ગલ પરિણામ કહે છે – • સૂત્ર-૩૦૬ :
ભગવન્ ! ઈન્દ્રિયોના વિષયભૂત પુદ્ગલ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - શ્રોપ્રેન્દ્રિય વિષય યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય. - - - ભગવન્ ! શ્રોત્રોન્દ્રિય વિષય પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – શુભ શબ્દ પરિણામ અને અશુભ શબ્દ પરિણામ. એ પ્રમાણે ચક્ષુ આદિ ઈન્દ્રિય વિષય પણ બબ્બે ભેટે છે. જેમકે – સુરૂપ અને દુરૂપ પરિણામ. સુગંધ અને દુર્ગન્ધ પરિણામ. સુરસ-દુરસ પરિણામ. સુસ્પર્શ પરિણામ અને દુઃસ્પર્શ પરિણામ.
૧૧૯
ભગવન્ ! ઉત્તમ-અધમ શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શ-પરિણામમાં પરિણમતા પુદ્ગલ પરિણમ્યા એમ કહી શકાય? હા, ગૌતમ ! ઉત્તમ-અધમ શબ્દ પરિણામોમાં પરિણમતા પુદ્ગલો પરિણમ્યા કહેવાય. ભગવન્ ! શું શુભ શબ્દ પુદ્ગલો અશુભ શબ્દપણે અને અશુભ શબ્દ પુદ્ગલો શુભ શબ્દપણે પરિણમે છે? હા, ગૌતમ ! તે બંને પરસ્પર પરિણમે છે.
• સૂત્ર-૩૦૭ :
-
ભગવન્ ! શું સુરૂપ પુદ્ગલો દુરૂપપણે, કુરૂપ પુદ્ગલો સુરૂપપણે પરિણમે છે? હા, ગૌતમ ! પરિણમે છે. એ પ્રમાણે સુગંધી પુદ્ગલ દુર્ગંધી પુલપણે, દુર્ગન્ધી પુદ્ગલ સુગંધી પુદ્ગલપણે પરિણમે છે. એ રીતે સુસ્પર્શ, દુઃસ્પર્શપણે અને સુરસ દુરસપણે પરિણમે ? હા, પરિણમે છે.
• વિવેચન-૩૦૬ :
ભદંત ! ઈન્દ્રિય વિષય પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – થ્રોગેન્દ્રિય વિષયાદિ, સુગમ છે. - ૪ - નૂનં - નિશ્ચિત. ઉચ્ચાવચ્ચ - ઉત્તમ અને અધમ. - ૪ - ૪ - પરિણામના યથાવસ્થિત ભાવથી. દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીના વશથી તે-તે રૂપે થવું તે પરિણામ. શુમાવ્યા - શુભ શબ્દરૂપ પુદ્ગલો. - ૪ - ઈત્યાદિ સુપ્રતીત છે. - ૪ - ૪ -
# દેવ શક્તિ અધિકાર છ
— — — -
ભગવન્ કોઈ મહદ્ધિક યાવત્ મહાનુભાગ દેવ પહેલાં પુદ્ગલ ફેંકે અને પછી તે ગતિ કરતો તે વસ્તુને વચમાં પકડવાને સમર્થ છે ? હા, છે. ભગવન્ ! એવું કયા કારણથી કહો છે કે – મહર્ષિક દેવ યાવત્ પકડી શકે? ગૌતમ ! ફેંકેલ પુદ્ગલની પહેલા શીઘ્રગતિ હોય છે, પછી તેની મંદગતિ થાય છે. જ્યારે તે મહર્ષિક યાવત્ મહાનુભાગ દેવની ગતિ પહેલાં પણ શીઘ્ર હોય છે અને પછી
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પણ શીઘ્ર હોય છે. તે કારણથી હે ગૌતમ ! એમ કહ્યું કે ાવત્ ગતિ કરતો
દેવ પકડી લે છે.
૧૨૦
ભગવન્ ! કોઈ મહદ્ધિક દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના અને કોઈ બાળકને પહેલા છેધા-ભેધા વિના તેના શરીરને સાધવામાં સમર્થ છે શું? ના,
તે અર્થ સંગત નથી.
ભગવન્ ! કોઈ મહદ્ધિક દેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, પણ બાળકના શરીરને પહેલાં છેલ્લા-મેધા વિના તેને સાંધવામાં સમર્થ છે શું? ના, તે અર્થ
સંગત નથી.
ભગવન્ ! કોઈ મહદ્ધિક યાવત્ મહાનુભાગ દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, પહેલાં બાળકને છેદી-ભેદીને પછી તેને સાંધવામાં સમર્થ છે? હા, સમર્થ છે, તે ગ્રંથિને છદ્મસ્થ જાણી કે જોઈ શકતો નથી, એવી સૂક્ષ્મ ગ્રંથિ તે હોય છે. ભગવન્ ! મહાદ્ધિક દેવ પહેલા બાળકને છેલ્લા-ભેધા વિના દીર્ઘ કે હ્રસ્વ કરવામાં સમર્થ છે શું? ના, તેમ નથી.
આ પ્રમાણે ચારે આલાવા છે. પહેલા-બીજા ભંગમાં બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ નથી. એકાંતરિક છેદન-ભેદન નથી. બાકી પૂર્વવત્ તે સિદ્ધિને છાસ્થ જાણતો કે જોતો નથી. આટલી સૂક્ષ્મ તે દીર્ઘ કે છૂવ કરવાની વિધિ હોય છે.
• વિવેચન-૩૦૭ :
ભદંત ! દેવ [કેવા ?] મહર્ષિક, મહાધુતિક, મહાબલ, મહાયશા, મહાનુભાગ. પુતિ - ટૂંકુ આદિ પ્રયત્નથી ફેંકે. તે જ પુદ્ગલ ભૂમિ ઉપર પડે તે પહેલા પ્રદક્ષિણાથી ભમીને પકડી લેવા સમર્થ છે ? હા, છે. કેમકે દેવની શક્તિ ઘણી છે. ત્યારે જિજ્ઞાસુ પૂછે છે કે કઈ રીતે? ભગવંતે કહ્યું – ગૌતમ ! પ્રયત્ન જનિત સંસ્કારની તીવ્રતાથી પુદ્ગલની પહેલાં તીવ્રગતિ હોય છે, પણ પછી સંસ્કારની મંદ મંદતાથી પછી મંદગતિ થાય છે. દેવને પહેલા કે પછી શીઘ્ર ઉત્સાહ વિશેષથી શીઘ્ર ગતિ જ હોય છે.
દેવ બાહ્ય પુદ્ગલ લીધા વિના બાળકને છેધા કે ભેધા વિના - તેના શરીરને થોડી પણ વિક્રિયા કર્યા વિના દૃઢ બંધને બદ્ધ કરવામાં સમર્થ છે ? ના, તેમ નથી. કેમકે બાહ્ય પુદ્ગલ લીધાં વિના, શરીરને વિક્રિયા વિના બંધન કરવું અશક્ય છે. આના દ્વારા દેવો પણ નિબંધના ક્રિયા ન કરે તેમ કહ્યું.
બીજા સૂત્રમાં બાળકને છેદવું-ભેદવું એ વિશેષ છે. બાકી પૂર્વવત્. અહીં પણ ઉભય કારણજન્ય ગ્રંથન કરવાની અશક્તિ છે. ત્રીજા સૂત્રમાં બાહ્ય પુદ્ગલ લઈને, બાળકને ન છેદે - ન ભેદે તે વિશેષ છે. ચોથામાં બાહ્ય પુદ્ગલો લઈને અને બાળકને છેદી-ભેદીને એ વિશેષ છે. અહીં ગ્રથન કરવા સમર્થ છે તેમ કહેવું. કેમકે કારણ-સામગ્રી સંભવે છે. તે ગ્રંથીને છાસ્ય મનુષ્યો જાણતા કે જોતાં નથી. તે બાળક કે અન્ય પુરુષ અતિશય જ્ઞાની ન હોવાથી ન જાણે, ન જુએ. એટલું સૂક્ષ્મ દેવો ગુંચે.