SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૧/ ૧૩૩ કેવા કેન્દ્રિયવને-પૃથ્વી યાવત્ વનસ્પતિ સંબંધી. તે કેવા ? સૂક્ષ્મ અને બાદર, તે કમોંદયથી સંપાધ છે, તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત, તે કર્મથી ઉપાધ તથા પ્રત્યેક શરીર નામ કર્મથી સંપાધને પ્રત્યેક શરીરનામ કહે છે. સાધારણ શરીરનામકર્મ સંપાઇ તે સાધારણ. આવું એકેન્દ્રિય પ્રાપ્ત કેટલો કાળ ભમે તે કહે છે - પ્રત્યેક શરીરમાં પ્રાણધારણ તે પ્રત્યેક શરીરજીવિત-પૃથ્વી આદિ અસંખ્યાત કાળ ભમે છે. સાધારણ શરીરમાં અનંતકાય અનંતકાળ ભમે છે. • x • તે કેવા છે ? સ્પર્શનેન્દ્રિયવાળા. ભાવ-પરિણામથી સંયુક્ત. દુઃખના સમૂહરૂપ આ કહેવાનાર અનિષ્ટને પામે છે. પુનઃપુનઃ એકેન્દ્રિયવમાં સર્વોત્કૃષ્ટ કાયસ્થિતિ હોય છે. ભવઉત્પત્તિસ્થાન, તરગણ-વૃક્ષગુચ્છાદિ ગુણ સમૂહ જેમાં એકેન્દ્રિયત્વ હોય છે. તેમાં દુ:ખ સમુદયને કહે છે - કુદ્દાલ-કોદાળી, કુલિક-હલ, દાલન-વિચારવું છે. આ પૃથ્વી અને વનસ્પતિકાયના દુ:ખના કારણ કહ્યા. અકાયમાં મલન અને મર્દન, ક્ષોભન, અને રંધન. આના વડે અપ્રકાયિકનું દુઃખ કહ્યું. અગ્નિ અને વાયુકાયને વિવિધ શઓ વડે કાય-પકાય ભેદ વડે જે સંઘન, આના દ્વારા તેઉ-વાયુકાયનું દુઃખ કહ્યું. પરસ્પર હણવા દ્વારા વિરાધના, તે દુ:ખ છે. તે દુ:ખ કેવા છે ? અકામક-અનભિલષણીય. તેને જ વિશેષથી કહે છે : પોતાના સિવાયના બીજા લોકોની પ્રવૃત્તિથી દુ:ખ ઉત્પાદના વડે જાણવું. પ્રયોજનઅવશ્ય કરણીય. કેવા ? પ્રેપ્ય અને પશુ નિમિતે-કર્મકર અને ગાય આદિ હેતુ અને ઉપલક્ષાણવની અન્ય નિમિતથી પણ જે ઔષધ, આહાર આદિ તથા તેના વડે ઉત્પાદન, વચા દૂર કરવી. પંચન-રાંધવું, કુન-ચૂર્ણ કરવું, પ્રેષણ-ઘંટી આદિમાં દળવું. પિન-તાડન કરવું. ભર્જન-મૂંજવું, ગાલન-ગળવું, આમોદન-થોડું ભાંગવું, શટન-જાતે જ ખતમ થવું, કુટત-જાતે જ બે ભાગ થવા. તક્ષણ-લાકડાની માફક છોલવું, વિલુંચન-લોભાદિથી લઈ લેવું. પગઝોડન-પાંદડા, ફળ આદિ પાડવા. આવા દુ:ખો એકેન્દ્રિયોને થાય. - એકેન્દ્રિયના અધિકારનો નિષ્કર્ષ કહે છે - ઉક્ત ક્રમથી એકેન્દ્રિયો ભવ પરંપરામાં જે દુ:ખનો અવિચ્છિન્ન સંબંધ જેમને છે તેઓ સંસારમાં ભમે છે. બીહણકરભયંકર, તેમાં જીવો પ્રાણાતિપાતમાં રત થઈ અનંતકાળ ભમે છે. હવે મનુષ્યગતિમાં તેમને થતા દુઃખ કહે છે – નરકથી નીકળી, મનુષ્યગતિ પામીને અધવા એવા તેમને દશવિ છે - પ્રાયઃ વિકૃતિવિક રૂપવાળા. પ્રાયઃ શGદ તીર્થકરાદિનો પરિહાર કહ્યો. વિકૃતિવિકલરૂપ કેવું ? કુન્જ-વજંઘા, વટભા-ઉપરની કાયા વક હોય, વામન-કાળને આશ્રીને દૂર્વ દેહવાળા. બધીરુબહેર, કુટ-વિકૃત હાયવાળા, પંગલ-પાંગળા, વિકલ-અપરિપૂર્ણ ગાગવાળા, મૂક-બોલવામાં અસમર્થ. - X - જલમૂકા-જળમાં પ્રવેશેલ જેવા, જેનો ‘બુડબુડ' એવો tવનિ થાય છે. મન્મના-જેમને બોલતી વેળા વાણી ખલન પામે છે. સંધિલગ-આંધળા ઈત્યાદિ - X - X - વ્યાધિ-કુષ્ઠ આદિ, રોગ-વરાદિ, આધિ-મનોપીડા. આ ત્રણેથી પીડિત. શસ્ત્ર વધ્ય-શસ્ત્ર વડે હણાય છે. બાલ-બાલીશ, કુલક્ષણ-અપલક્ષણ વડે વ્યાપ્ત દેહવાળા. દુર્બલ, કૃશ આદિ. કુસંસ્થિત-કુસંસ્થાનવાળા. તેથી જ કુરૂપ, કૃપ-રંક કે અત્યાગી. હીન-જાત્યાદિ ગુણથી હીન. નિત્ય સૌખ્ય પરિવર્જિત. અશુભ-અશુભાનુબંધી દુ:ખના ભાગી. નરકથી નીકળીને સાવશેષ કર્મવાળા મનુષ્યોને આવા દુ:ખ હોય. હવે જેવું ફળ આપે છે, તે કહે છે - આ પ્રમાણે ઉક્ત ક્રમથી નક્ક-તિર્યંચકુમાનુષત્વ કહ્યું. તેને પામીને અનંત દુ:ખને તે પાપકારી પ્રાણવઘકો પામે છે. વિશેષથી નિષ્કર્ષ કહે છે - આ પ્રાણવધનો કળવિપાક-મનુષ્ય ભવને આશ્રીને, મનુષ્યની અપેક્ષાએ નરકાદિ ગતિને આશ્રીને કહે છે. અલાસુખ-ભોગસુખનો લેશ માત્ર પામે અથવા અવિધમાનસુખ અને નકાદિ દુ:ખના કારણથી બહુ દુ:ખ, મહાભયરૂપ, પ્રભૂત અને દુ:ખેથી મુક્ત થઈ શકાય તેવા કર્મો પામે છે. તથા દારુણ-રૌદ્ર, કર્કશકઠિન, અસાત-અશાતા વેદનીય કમોંદયરૂ૫ લાખો વર્ષથી કહેવાય છે. હવે આ પ્રાણાતિપાત લક્ષણ આશ્રવ પ્રતિપાદન પર દ્વાર પંચક પ્રતિબદ્ધ પહેલું અધ્યયન કેમ કહ્યું તે જિજ્ઞાસા માટે કહે છે - * * * * * આહંસુ-કહ્યું, જ્ઞાત-ક્ષત્રિય વિશેષ, તેના કુલના નંદન-રોના વંશની સમૃદ્ધિ કનાર, વીરવર એવા પ્રશસ્તનામવાળા, તેમણે પ્રાણવધનો ફળ વિપાક કહ્યો. અધ્યયન અર્ચને મહાવીરે પ્રતિપાદિત કર્યો છતાં, તેના ફળ વિપાકને ફરી કહે છે - પ્રાણવધના એકાંતિક અશુભ ફળપણાના અત્યંત પરિવારને જણાવે છે. હવે શાસ્ત્રકાર પ્રાણવધના સ્વરૂપને પ્રથમ હારને કહીને નિષ્કર્ષ અર્થે કરી જણાવે છે . આ તે પ્રાણવધ કહ્યો, જે અનંતર સ્વરૂપ-પર્યાય-વિધાન-ફળ-કÚતથી જણાવ્યું. •x - ચંડ-કોપન, રૌદ્ર સના પ્રવર્તનથી રોદ્ર, શુદ્ધજન આચરિતવથી બં, અનાર્યલોક-કરણીયવથી અનાર્ય, ધૃણાના અવિધમાનવથી નિધૃણ એ રીતે નૃશંસ, મહાભય, બીહણક, ગાયક, અન્યાચ્ય આદિ શબ્દો જાણવા. નિરવકાંક્ષ-બીજાના પ્રાણની અપેક્ષા રહિત, નિદ્ધર્મ-ધર્મથી દૂર ગયેલ, નિપિપાસ-વધ્ય પ્રતિસ્નેહ રહિત, નિકરણ-દયા રહિત, પ્રકર્ષક-પ્રવર્તક, વૈમનસ્યદૈન્ય, મૃષાવાદાદિ અપેક્ષાએ પ્રથમ અધર્મદ્વાર-આશ્રવ દ્વાર પૂરું થયું. ઘfષ - તીર્થકરના ઉપદેશથી કહું છું. મારી બુદ્ધિથી નહીં, આ રીતે સુધમસ્વિામીએ જંબૂસ્વામીને • X • કહ્યું. મુનિ દીપરત્નસાગરે કરેલા આશ્રવ-અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
SR No.009043
Book TitleAgam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 10, & agam_prashnavyakaran
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy