________________
૧/૧૬ થી ૧૮
૩૪
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
ત્યારે ગૌતમસ્વામીએ છઠ્ઠના પારણે પહેલી પોરિસી સઝાય કરી, બીજી પેરિસીમાં ધ્યાન કર્યું. શ્રીજીમાં ત્વરિત, ચપળ, અસંભાતપણે મુહપત્તિ પ્રતિલેખી, પછી પત્ર અને વસ્ત્રોને પડિલેહીને, તે વસ્ત્ર-પત્રને પ્રમાઈનેપત્રો ગ્રહણ કરી ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને વાંદી-નમીને કહ્યું – ભગવાન ! આપની અનુજ્ઞા પામી છઠ્ઠના પારણે વાણિજ્ય ગામ નગરે ઉચ્ચ-નીચમધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચયએ ભ્રમણ કરવું ઈચ્છે છે. • • સુખ ઉપજે તેમ કરો
ત્યારે ગૌતમ, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંત પાસેથી, દૂતિપલાશક શૈત્યથી નીકળીને અત્વરિત-અચપલ-અસંભાંત થઈ, યુગ પ્રમાણ ભૂમિને જોનારી દૈષ્ટિ વડે માનિ શોધતા, વાણિજ્ય ગામ નગરે ગયા. જઈને
ત્યાં ઉરચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષાચયએ ફરે છે. ત્યારે ગૌતમસ્વામીએ વાણિજ્ય ગ્રામે ભગવતીમાં કહ્યા મુજબ ચાવતું ભિક્ષાચચએિ ફરતા, યથાવયપ્તિ ભકતપાન ગ્રહણ કરીને વાણિજ્યગ્રામથી પાછા વળતા, કોલ્લાસ સંનિવેશથી થોડે દૂરથી જતાં ઘણાં લોકોના અવાજ સાંભળ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે – - હે દેવાનુપિયો ભગવંતના શિષ્ય આનંદશ્રાવકને પૌષધશાળામાં અપશ્ચિમ ચાવત અપેક્ષારહિતપણે વિચરે છે. ત્યારે ગૌતમે ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને આનો સંકલ્પ થયો - હું જાઉં અને આનંદ શ્રાવકને જોઉં. એમ વિચારીને કોલ્લમ સંનિવેશે આનંદ શ્રાવક પાસે પૌષધશાળાએ આવ્યા. ત્યારે આનંદ ગૌતમસ્વામીને આવતા જોયા. જોઈને યાવત્ હર્ષિત હદયી થયો. ગૌતમ સ્વામીને વાંદી-નમીને કહ્યું – હું આ ઉદર યાવત ધમની વ્યાપ્ત થયો છું આપની પાસે આવીને, ત્રણ વખત મસ્તક તડે પાદ વંદન કરવાને અસમર્થ છું. ભલે ! સ્વકીય ઈચ્છાથી, અનાભિયોગપણે અહીં આવો, તો આપને ત્રણ વખત મસ્તક ડે પગે વાંદુ-નમું. ત્યારે ગૌતમ, આનંદ પાસે આવ્યા
[૧૮] ત્યારે આનંદ શ્રાવકે, ગૌતમસ્વામીને ત્રણ વખત મસ્તક વડે, પગે વાંદી-નમીને પૂછયું - ભંતે ! ગૃહસ્થીને ગૃહમધ્યે વસતાં અવધિજ્ઞાન ઉપજે ? • હા, થાય. અંતે ! જે ગૃહીને યાવત ઉપજે, તો મને પણ ગૃહમણે વસતાં અવધિજ્ઞાન થયું છે . પૂર્વમાં લવણસમુદ્ર યાવત નીચે રોય નામે નરકાવાસને હું ઘણું છું - જોઉં છું
ત્યારે ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકને કહ્યું - ગૃહને ચાવતુ ઉપજે,. પણ આટલું મોટું નહીં. હે આનંદ ! તું આ સ્થાનની આલોચના યાવતુ તપોકમને સ્વીકાર, ત્યારે આનંદ, ગૌતમસ્વામીને કહ્યું – તે ! જિનવચનમાં સતુ, તણ, તથાભૂત, સદ્ભૂત ભાવોની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કરાય છે ? ના, તેમ નથી. અંતે જે જિન વચનમાં સતુ ચાવતું ભાવોની આલોચના ચાવતુ તપોકમે સ્વીકાર ન હોય તો ભતા આપ જ આ સ્થાનને આલોચો ચાવતું સ્વીકારો. 1િ5/3]
ત્યારે ગૌતમસ્વામી, આનંદે આમ કહેતા, શંતિ-કાંક્ષિત-વિચિકિત્સા સમાજ થઈ આનંદ પાસેથી નીકળ્યા, નીકળીને દૂતિપલાશ ચૈત્યે ભગવત પાસે આવી, ભગવંતથી થોડે દૂર ગમનાગમન પ્રતિક્રમી, એષણા-અનેષણા આલોચીને ભોજન-પાન દેખાયા. દેuડીને ભગવંતને વાંદી-નમીને કહ્યું - ભગવત્ ! આપની અનુજ્ઞા પામીને આદિ પૂર્વવત ચાવતું ત્યારે હું શાંકિતાદિ થઈને આનંદ પાસેથી નીકળી, જદી અહીં આવ્યો. અંતે! શું તે સ્થાનની આલોચનાદિ આનંદ કરે કે હું કરું?
ગૌતમને આમંત્રીને ભગવંતે કહ્યું - હે ગૌતમ! તું જ તે સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત કર આનંદને એ સંબંધે અમાવ. ત્યારે ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને ‘તહતિ’ કહી આ વાત વિનયથી સ્વીકારીને, તે સ્થાનના આલોચના યાવતું પ્રતિક્રમણ કર્યા. આનંદને આ સંબંધે ખમાવ્યો. પછી ભગવતે કોઈ દિને બાહ્ય જનપદમાં વિચય.
• વિવેચન-૧૬ થ૧૮ -
ઉદાર આદિ વર્ણન, મેઘકુમારના તપવર્ણન સમાન કહેવું. ગહમઝાવસંતસ્સઘરમાં વર્તતા. સંતાઇ આદિ એકાર્થક શબ્દો છે.
• સૂત્ર-૧૯ :
ત્યારે તે આનંદ શ્રમણોપાસક, ઘણાં શીલવતોથી યાવતુ આત્માને ભાવિત કરતા વીશ વર્ષ બ્રમણોપાસક પચયિ પાળીને, અગિયાર ઉપાસક પ્રતિમાને સારી રીતે કાસા વડે સ્પર્શન, માસિકી સંલેખના વડે આત્માને આરાધીને, ૬૦ ભકતોને, અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી, કાળ માટે કાળ કરીને, સૌધર્મ કલામાં સૌધમવતંસક મહાવિમાનના ઉત્તર-પૂર્વમાં અરુણ વિમાને દેવ થયા.
ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે, ત્યાં આનંદ દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ છે.
ભગવતુ આનંદ દેવ તે દેવલોકથી આય ક્ષયાદિથી અનંતર વીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. નિક્ષેપ.
• વિવેચન-૧૯ :
નિફોપ-નિગમન. જેમકે – હે જંબૂ ! ભગવંતે યાવત્ ઉપાસકદશાના પહેલાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ