SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ ૧/૧૨ થી ૧૪ તેના ઉપર બેસીને, પૌષધશાળામાં પૌષધ લઈ દર્ભ સંથારે બેસી, ભગવંત મહાવીર પાસે ધમંપાતિ સ્વીકારીને રહ્યો. • વિવેચન-૧૨ થી ૧૪ - અંતે થાય તે આંતિકી, ભગવંત પાસે સ્વીકારેલી. ધર્મ પ્રજ્ઞાપના, અનુષ્ઠાન વડે સ્વીકારીને, ‘પૂન' - ભગવતીમાં કહેલ બાલતપસ્વી, તેની જેમ આનંદે કર્યું - * * * * નાયકલ-સ્વજનગૃહ, ઉપકરોતુ-રાંધવું, ઉવકરેઉ-રાંધેલને બીન દ્રવ્યો વડે સંસ્કારવું-ગુણાંતર કરવું. • સૂઝ-૧૫ - ત્યારપછી આનંદ શ્રાવક ઉપાસક પ્રતિમા સ્વીકારીને વિચરે છે, પહેલી શ્રાવકપ્રતિજ્ઞા યથા-સૂત્ર, માર્ગ, તથ્યથી સમ્યફ, કાયા વડે સ્પર્શે છે, uળે છે, શોભે છે, પૂર્ણ કરે છે, કીર્તન-આરાધન કરે છે. પછી તે બીજી-સ્ત્રીજીગ્નોથીપાંચમી-છઠ્ઠી યાવતુ અગીયારમી પ્રતિમા યાવત્ આરાધે છે. • વિવેચન-૧૫ - પૂજન - અગિયારમાં પહેલી ઉપાસક પ્રતિમા-શ્રાવકોચિત અભિગ્રહ વિશેષ. તે આ • શંકાદિ શચરહિત સમ્યગ્દર્શનયુક્ત, શેષ ગુણ રહિત, જે પ્રાણી તે પહેલી પ્રતિમા. સમ્યગદર્શન સ્વીકાર તેની પૂર્વે પણ હતો. અહીં શંકાદિ દોષ, રાજાભિયોગાદિ અપવાદ સિવાય, તથાવિધ સમ્યગદર્શનાચારના વિશેષ પાલન વડે પ્રતિમાત્વ સંભવે છે. તે સિવાય પહેલી પ્રતિમા એકમાણે, બીજી બે માસે યાવતુ અગિયારે પ્રતિમા સાડા પાંચ વર્ષે પૂર્ણ કરી, તેમ કહ્યું, તે અર્થ સંગત થશે નહીં. આ અર્થ દશાશ્રુતસ્કંધાદિમાં નથી, કેમકે ત્યાં શ્રદ્ધામાત્ર રૂપ પહેલી પ્રતિમાનું પ્રતિપાદન છે. ઉIઈસુ આદિ-સૂત્ર પ્રમાણે, પ્રતિમાચાર ઉલ્લંધ્યા વિના, ક્ષાયોપથમિક ભાવ ન છોડીને, તવ મુજબ. પાસે$ = આદિ-સ્પર્શે છે, સતત ઉપયોગ જાગૃતિ વડે રક્ષે છે, ગરપુજા પૂર્વક પારણું કરીને શોભાવે છે અથવા નિરતિચાપણે શુદ્ધ કરે છે, કાળ મર્યાદા પૂર્ણ થવા છતાં પરિણામને તજતો નથી, તેની સમાપ્તિમાં “મેં કરવા યોગ્ય કર્યું” એમ સ્તુતિ કરે છે. આ બધાં પ્રકારો વડે નિર્દોષપણે પૂર્ણ કરે છે. બીજી પ્રતિમા-દર્શન પ્રતિમા યુક્ત નિરતિચાર અણુવતને પાળતો, અનુકંપાદિ ગુણયુકત જીવને બીજી પ્રતિમા હોય. -- ત્રીજી પ્રતિમા-સામાયિક પ્રતિમા-શ્રેષ્ઠ દર્શન, વ્રતયુક્ત, જે ત્રિસંધ્યા સામાયિક કરે છે તે આ ત્રણ માસની પ્રતિમા છે. ચોથીપૌષધ પ્રતિમા, પૂવોક્ત પ્રતિમા યુક્ત આઠમ, ચૌદશ આદિ પર્વદિને ચાર માસ સુધી સંપૂર્ણ પૌષધ પાળે. પાંચમી-કાયોત્સર્ગ પ્રતિમા-સમ્યકત્વ, અણુવત, ગુણવત, શિક્ષાવતવાળો, સ્થિર, જ્ઞાની, આઠમ-ચૌદશે એક સનિ કાયોત્સર્ગમાં સ્થિર રહે, તે સિવાયના દિવસે સ્નાન અને સાત્રિભોજન છોડી, કચ્છને મોકળો મુકી દિવસે બ્રહ્મચારી અને રણે પરિમાણ કરેલો હોય, ત્રિલોકપૂજ્ય-જિતકષાયી જિનનું, પ્રતિમા સ્થાયી (શ્રાવક) ધ્યાન કરે અથવા નિજ દોષ સિવાયનું ધ્યાન પાંચ માસ કરે. છઠ્ઠી બ્રાહ્મ વર્જન પ્રતિમાપૂર્વોક્ત પ્રતિમા ગુણયુક્ત, મોહનીય કર્મ જિતેલો, એકાંતે મૈથુન ત્યાગે અને રાત્રિએ સ્થિર ચિત હોય. શૃંગાર કથા વિરક્ત તે સ્ત્રી સાથે ન રહે, સ્ત્રીનો અતિપ્રસંગ અને ઉત્કૃષ્ટ વિભૂષા ત્યજે, એ રીતે છ માસ સુધી રહે. અથવા બીજી રીતે ચાવજીવ અબ્રહ્મને ત્યાગે. સાતમી સચિતાહાર ભાગરૂપ પ્રતિમાસંપૂર્ણ સચિતાહારનો વિધિપૂર્વક ત્યાગ અને બાકીની પ્રતિમાઓના પદ વડે ચાવતું સાતમાસ યુક્ત રહે. આઠમી સ્વયં આરંભવર્જન પ્રતિમાઆઠ માસ માટે સ્વયં સાવધારંભ તજે. વૃત્તિ નિમિતે પ્રેગ્યાદિ દ્વારા આરંભ કરાવે, પૂર્વોક્ત પ્રતિમા પાળે. નવમી મૃતક પેપ્યારંભ વર્જનપ્રતિમા-પેપ્ય દ્વારા સાવધ આરંભ ન કરાવે અને પૂર્વોક્ત પ્રતિમાયુક્ત નવ માસ રહે. દશમી ઉદ્દિષ્ટ ભક્તવર્જન પ્રતિમા-ઉદ્દિષ્ટ કૃત ભોજન પણ વર્ષે, અમાથી મુંડ થાય કે શિખા ધારે. દ્રવ્ય વિશે પૂછતા, જાણવા છતાં, જાણું છું કે નહીં, તેમ ન કહે. પૂર્વોક્ત ગુણ યુક્ત, કાલમાન-દશ માસ. અગિયારમી શ્રમણભૂત પ્રતિમા અમાથી મુંડ કે લોચ કરેલ, જોહરણ અને અવગ્રહ ગ્રહી, શ્રમણ માફક કાયા વડે ધર્મને સ્પર્શતો એક દિવસથી આરંભી, અગિયાર માસ સુધી વિચરે. સૂત્ર-૧૬ થી ૧૮ : [૧૬] ત્યારપછી આનંદ શ્રાવક આ આવા ઉદાર, વિપુલ, પ્રયનરૂપ, પ્રગૃહીત તપોકમથી શુદ્ધ કાવત્ કૃશ અને ધમનિ વ્યાપ્ત થયો. ત્યારપછી આનંદ શ્રાવકને અન્ય કોઈ દિને મધ્યરાત્રે ધર્મ જાગરિા કરતાં આનો સંકલ્પ થયો કે - હું ચાવત ધમતિ બાપ્ત થયો છું. હજી મારામાં ઉથાન, કર્મ, ભલ, વીય, પરાકાર પરાક્રમ, શ્રદ્ધા-વૈર્યન્સવેગ છે, તો મારામાં જ્યાં સુધી ઉત્થાન ચાવતુ સંવેગ છે, મારા ધમચિાર્ય, ધર્મોપદેશક, જિન-સુહસ્તિ શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં સુધી, માટે ઉચિત છે કે આવતીકાલે યાવતુ સૂર્ય ઉગતા, અપશ્ચિમ મારણાંતિક સંખના, આરાધના યુક્ત થઈને, ભાત-aણીનું પ્રત્યાખ્યાન કરીને કાલની અપેક્ષા ન કરીને વિચરવું. એમ વિચારીને કોઈ દિવસે શુભઅધ્યવસાય, શુભ પરિણામ, વિદ્ધ થતી વેશ્યા, તદાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉપયુ. પૂર્વમાં લવણસમુદ્રમાં પ00 યોજન ફ્રોઝને જાણે-જુએ છે. એ રીતે દક્ષિણ અને પશ્ચિમમાં જાણવું. ઉત્તરમાં ગુલ્લ હિમવંત વધર પર્વત સુધી, ઉંચે સૌધર્મકલ્પ, નીચે આ રનભા ગૃવીના ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રોટય નરક સુધી જાણે-જુએ છે. ૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. હર્ષદા નીકળી યાવતુ પાછી ગઈ. ત્યારે ભગવંતના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર, જે ગૌતમ ગોટેમીય, સાત હાથ ઉંચા, સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વજasષભનારા સંઘયણી, સુવર્ણપુલક નિઘસ પાગૌર, ઉગ્ર-દિપ્તtપ્ત-ધો-મહાતપસ્વી, ઉદર, ઘોર ગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચારી, શરીર મમત્વ ત્યાગ, સંક્ષિપ્ત-વિપુલ કોલેસ્પી, નિરંતર છ-છઠ્ઠ તપોકર્મથી સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા.
SR No.009040
Book TitleAgam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 07, & agam_upasakdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy