SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫-૧૫૩૨ ૬૫ અપવર્ગ પ્રાપક ગણ વડે ભરેલ, નૈયાયિક-મોક્ષગમક અથવા ન્યાયમાં થનાર. સંશુદ્ધસામન્યથી શુદ્ધ, એકાંત અકલંક. શરા-માયાદિ, કાપવું તે શલ્યકર્તક. સિદ્ધિહિતાર્થ પ્રાપ્તિ, તેનો માર્ગ, તે સિદ્ધિ માર્ગ. મુક્તિ માર્ગ-અહિતકર્મ વિમ્યુતિનો ઉપાય, ત્યાં લઈ જાય છે યાન, નિરુપમ યાન તે નિર્માણ-સિદ્ધિ ક્ષેત્ર, તેનો માર્ગ છે નિયણિ માર્ગ, એ રીતે નિર્વાણ માર્ગ પણ કહેવો. વિશેષ એ કે - નિવણ એટલે સકલ કમી વિરહજન્ય સુખ. સર્વ દુઃખના ક્ષયનો માર્ગ. સપના પક્ષે માંસ ગ્રહણના એકત્વ લક્ષણ એકનિશ્ચયા દૃષ્ટિ, જેની છે તે એકાંતદષ્ટિક. છરીની જેમ એક ધારવાળો અથતુ અપવાદ ક્રિયાના અભાવથી અથવા એક વિભાગ આશ્રિત ધારા જેની છે તે. લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર ચારિત્ર, રેતીના કણ જેવું નિરાસ્વાદ, વૈષયિક સુખ આસ્વાદન અપેક્ષાથી કહ્યું, ગંગાની જેમ • x - પ્રવચન પાલન દુત્તર છે, •x• તીર્ણ ખગાદિ ઉપર આક્રમણ સમાન આ પ્રવચન છે અર્થાત તેની જેમ પાલન અશક્ય છે, મહાશિલાદિને અવલંબવા સમાન દુકર, જે વ્રત-નિયમ છે તે તલવારની ધાર માફક સેવવા રૂપ છે. અર્થાતુ આ પ્રવચનનું અનુપાલન તેની જેમ કુકર છે. આનું કરવું કેમ છે ? તે કહે છે - X • રચિત - ઔશિક ભેદથી લાડુના ચૂર્ણને ફરી લાડુપણે બનાવવા. જ્યાં ભિક્ષાકાર્યો દુકાળમાં સંસ્કારાય તે દુભિક્ષભક્ત. એ રીતે બીજા પણ કહેવા. વિશેષ એ કે - કાંતાર એટલે અરણ્ય, વÉલિકા-વૃષ્ટિ, ગ્લાન હોય તેને આરોગ્યને માટે જે અપાય તે ગ્લાન ભક્ત. મૂળ-પાણિજ્ઞાટિકાદિ. શીતાદિ સહેવા સમર્થ નથી. રોગ-કુષ્ઠાદિ, આતંક-જલ્દી ઘાત કરનાર શૂળાદિ. વિવિધ ઈન્દ્રિય વર્ગ પ્રતિકૂળ, તે ગ્રામકંટક. જેમ લોઢાના ચણાદિની ઉપમા દુ:ખથી સેવાતા નૈર્ગસ્થ પ્રવચનને માટે કહી પણ તે દીકર કોના માટે ? ક્લીબ-મંદ સંતનનવાળા, કાતર-કાયર, કાપુરષ-કુત્સિત મનુષ્ય, દુરનુચદુ:ખથી સેવિત. - x - પણ ધીર-સાહસિકને દુરનુચર નથી, જેને નિશ્ચય કર્મ છે તેને કંઈ દુકર નથી. સુત્ર-33 - ત્યારપછી મેઘકુમારને તેના માતાપિતા જ્યારે વિષયને અનુકૂળ અને પ્રતિકૂળ ઘણી ખ્યાપના, પ્રજ્ઞાપના, વિજ્ઞાપનાથી સમજાવવા, બૂઝાવવા, સંબોધન અને વિજ્ઞપ્તિ કરવામાં સમર્થ ન થયા, ત્યારે ઈચ્છા વિના મેઘકુમારને આમ કહ્યું - હે માં એક દિવસને માટે પણ તારી રાજ્યશ્રીને લેવા ઈચ્છીએ છીએ. ત્યારે તે મેઘકુમાર, માતા-પિતાની ઈચ્છાને અનુવતતો મૌન રહ્યો. ત્યારે તે શ્રેણિક રાજ, કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી મેઘકુમારના મહાઈ, મહાઈ મહાહ, વિપલરાજ્યાભિષેકની તૈયારી કરો. ત્યારે કૌટુંબિક પુરષોએ યાવતું તે પ્રમાણે કર્યું. ત્યારે તે શ્રેણિક રાજા ઘણાં ગણનાયક-દંડનાયક વડે ચાવતુ પરીવરીને મેષકુમારને ૧૦૮-૧૦૮ સુવણ, ય, સુવણરૂણ, મણિમય, સુવર્ણમણિમય, રૂધ્યમણિમય, સુવણરૂધ્યમણિમય, માટીના કળશો વડે [ ૮૬૪ કળશો સવ[14/5 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ઉદક, માટી, પુષ, ગંધ, મારા, ઔષધિ તથા સરસવ વડે ભરીને, સર્વતિ-સવ બળ વડે યાવતુ ટુંદુભિનિઘોંષ નાદિત રવથી મોટા-મોટા રાજાભિષેક વડે અભિસિંચિત કરો. કરીને શ્રેણિક રાજાએ મેઘને બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી આમ કહ્યું - હે નંદ ! તમારો જય થાઓ. હે ભદ્ર! તમારો જય થાઓ. હે જગત નંદ ! તમારું ભદ્ધ થાઓ. તમે ન જીતેલને જીતો, જીતેલા મિત્રપક્ષનું પાલન કરો, જીતેલા મણે વસો, ન જીતેલ શત્રુપક્ષને જીતો, યાવતું મનુષ્યોમાં ભરત ચકી માફક રાજગૃહ નગરના અન્ય ઘણાં ગામ, આક્ર, નગર ચાવતું સંનિવેશનું આધિપત્ય કરતા યાવત વિયરો. એમ કરીને જય-જય શGદ કરે છે. ત્યારે તે મેઘ, મહાન રાજા થઈ ચાવતું વિચારે છે. ત્યારપછી તે મેઘરાજાના માતા-પિતાએ આમ કહ્યું - હે પુમા બોલો, શું દઈએ? શું આપીએ ? તારા હૃદયને શું ઈચ્છિત છે ? ત્યારે તે મેઘરાજાએ માતાપિતાને આમ કહ્યું - હે માતાપિતા ! હું ઈચ્છ છું કે કુમિકાપણથી રજોહરણ, પાત્ર, વાણંદને બોલાવો. ત્યારે તે શ્રેણિક રાજ કૌટુંબિક પુરુષને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! બે જાઓ, શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લઈને બે લાખ મુદ્રાથી કુમિકાપણથી રજોહરણ અને પાકા લાવો અને એક લાખ મુદ્રાથી વાણંદને બોલાવો. ત્યારે તે કૌટુંબિક પુરયો શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી હષ્ટતુષ્ટ થઈ શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લઈને, કુમિકાપણથી બે લાખ મુદ્રા વડે રજોહરણ અને પત્ર લાવ્યા, એક લાખથી વાણંદ બોલાવ્યો. ત્યારે તે વાણંદ, તે કૌટુંબિક પુરપ વડે બોલાવાતા હષ્ટ ચાવત્ હર્ષિત હદયથી સ્નાન કરી, બકુકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી. શુદ્ધ-પાવેય મંગલ ઉત્તમ વસ્ત્ર પહેર્યા, અા-મહાઈ આભરણથી અલંકૃત્ શરીરી થઈ શ્રેણિક રાજાની પાસે આવ્યા. આવીને રાજાને બે હાથ જોડી, અંજલિ કરી આમ કહ્યું - હે દેવાનપિય! આજ્ઞા કરો કે મારે શું કરણીય છે? ત્યારે તે શ્રેણિક રાજા વાણંદને આમ કહે છે - હે દેવાનુપિયા તું જ, સુરભિ ગંધોદક વડે સારી રીતે હાથ-પગ ધોઇ, ચાર પડવાળા શેત વાણી મુખ બાંધીને મેઘકુમારના નિષ્ક્રમણ યોગ્ય ચાર અંગુલ છોડીને અગ્રકેશને કાપો. ત્યારે તે વાણંદ, શિક રાજાએ આમ કહેતા હર્ષિત યાવતું હદયી થઈ ચાવતું આજ્ઞા સ્વીકારી. પછી સુરભિ ગંધોદક વડે હાથ-પગ ધોયા, ધોઈને શુદ્ધ વરુ વડે મુખ બાંધ્યું, બાંધીને પરમ યતનાથી મેઘકુમારના નિષ્ક્રમણ યોગ્ય ચાર અંગુલને છોડીને અગ્રકેશ કાયા. ત્યારે તે મેઘકુમારની માતાએ મહાઈ હંસલક્ષણ પટણાટકથી અગ્રકેશને લીધા, લઈને સુરભિ ગંધોદકથી ધોઇ, ધોઈને સરસ ગોશીષ ચંદન વડે ચર્ચા કરી, પછી શ્વેત વસ્યામાં બાંધ્યા, બાંધીને રન સમુગકમાં મૂક્યા, મૂકીને પેટીમાં રાખ્યા. રાખીને જલધારા-નિગુડીના ફૂલટુટેલા મોતીના હાર સમાન
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy