SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ૧/-/૧/૩૨ દીક્ષા લેજે. પણ તે માતાપિતા હિરણય, સુવર્ણ યાવતુ સાર દ્રવ્ય અનિચોરાજી-દાયિત-મૃત્યુ સાધિત છે. તે અગ્નિ સામાન્ય ચાવતું મૃત્યુ સામાન્ય છે, સડણ-પતન-વિદdય ધામ છે, પહેલા કે પછી અવશ્ય યાજ્ય છે. વળી હે માતાપિતા કોણ જાણે છે કે પહેલા કોણ જશે ? પછી કોણ જશે ? ચાવતુ દીu લેવા ઈચ્છું છું. ત્યારે તે મેઘકુમારને તેના માતાપિતા જ્યારે ઘણી વિષય-અનુકૂળ આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના, વિજ્ઞાપના વડે સમજાવવા, પ્રજ્ઞાપિત કરવા, સંબોધિત કરવા કે મનાવવામાં સમર્થ ન થયા, ત્યારે વિષયને પ્રતિકૂળ, સંયમ પતિ ભય અને ઉદ્વેગકારી પ્રજ્ઞાપનાથી આમ કહ્યું – હે પુત્ર! આ નિન્જ પ્રવચન સત્ય, અનુત્તર કૈવલિક, પ્રતિપૂર્ણ, નૈયાયિક, સંશુદ્ધ, શચકતક, સિદ્ધિમાર્ગ, મુક્તિમાર્ગ, નિયણિમાર્ગ, નિવણમાગ, સર્વ દુઃખ પ્રક્ષીણ માર્ગ છે. [પરંતુ સર્ષ માફક એકાંત દૈષ્ટિક, છુસ સમાન એકાંત વારવાળું, લોઢાના ચણા ચાવવા સમાન, રેતીના કવલ સમાન સ્વાદહીન, ગંગા મહાનદીના સામા પૂરમાં તરવા સમાન, મહાસમુદ્રને ભૂા વડે હુસ્તર, તીણ તલવારને આક્રમવા સમાન, મહાશિલા જેવી ભારે વસ્તુઓને ગળામાં બાંધવા સમાન ખગની ધાર ઉપર ચાલવા સમાન છે... હે પુત્ર, શ્રમણ નિન્જને આધાકમ, શિક, કીતકૃત, સ્થાપિત, રચિત, દુભિકd, કાંતારભકત, વલિકાભકd, પ્લાનભકત, મૂલ-કંદ-ફળબીજ-હરિત ભોજન ખાવું કે પીવું ન કહ્યું. - હે પુત્ર! તું સુખ ભોગવવા યોગ્ય છે, દુઃખ ભોગવવા યોગ્ય નથી. તે ઠંડી કે ગમ, ભુખ કે તરસ, વાત-પિત્ત-કફ-સંનિપાત જન્ય વિવિધ રોગાતંક, પ્રતિકૂળ વયનો, ગ્રામ કંટક, ઉત્પન્ન બાવીશ પરીષહ, ઉપસર્ગોને સહન કરવા સમર્થ નથી, હે પુત્ર! તેથી માનુષી કામભોગોને ભોગવ, ત્યારપછી ભુકતભોગી થઈ શ્રમણ ભગવંત મહાવીર પાસે દીક્ષા લેજે ત્યારે તે મેઘકમારે માતા-પિતાને આ પ્રમાણે કહેતા સાંભળી તેઓને આમ કહ્યું - હે માતાપિતા! જ્યારે તમે મને એમ કહો છો કે હે યુઝ / નિશ્વિ પ્રવચન સત્ય, અનુત્તર છે યાવતુ પછી ભકતભોગી થઈ ભગવંત પાસે ચાવતુ દીક્ષા લેજે, પણ હે માતાપિતા ! નિર્ગસ્થ પ્રવચન કલીભ કાયર કાપુરષો, આલોક પ્રતિબદ્ધ, પરલોકના સુખને ન ઈચ્છનાર સામાન્યજન માટે દુર છે, પણ ધીર, દેઢ સંકલાવાળાને આમાં પાલન કરવાનું શું દુષ્કર છે ? તેથી હે માતાપિતા / આપની અનુજ્ઞા પામીને હું શ્રમણ ભગવંત પાસે યાવતું દીક્ષા લેવા ઈચ્છું છું. • વિવેચન-૩ર : નાથ - પુત્ર. ઈટ-ઈચ્છાવિષયવથી, કમનીય હોવાથી કાંત, પ્રેમ તિબંધનcવથી પ્રિય, મન વડે ઉપાદેયપણે હોવાથી મનોજ્ઞ, મન વડે જણાય માટે મનોમ, શૈર્યગુણ યોગથી ધૈર્ય, વિશ્વાસ સ્થાન, કાર્યકરણમાં સંમત, ઘણાં કાર્યોમાં બહુમત • x• કાર્ય વિધાન પછી પણ અનુમત, આભરણ રનવત્ x • ચિંતામણી રત્નાદિ સમાન, અમારા જીવિતના ઉચ્છવાસ વધારનાર અથવા જીવિત ઉત્સવ સમાન, હૃદયનાં આનંદ જનક - X • છે. અમે જીવીએ છીએ ત્યાં સુધી ભોગ ભોગવ. • x • પુત્ર પૌત્રાદિ વડે કુલવંશસંતાન તંતુની વૃદ્ધિ કરીને - x • બધાં પ્રયોજનોથી નિપેક્ષ થઈને [દીક્ષા લે] મધુવ - સૂર્યોદયવત ધ્રુવ નહીં, પ્રતિનિયત કાળે અવશ્ય થનાર નહીં. નિયત - ઐશ્વર્ય છતાં પણ દરિદ્વાદિ ભાવથી, શાશ્વત - ક્ષણ વિનશ્ચરચી, સન - ધુતચોરી આદિ તે સેંકડો ઉપદ્રવ સંભવ અથવા સદા ઉપદ્રવોથી વ્યાપ્ત છે. શન - કુષ્ઠાદિ વડે આંગળી આદિનું ખરવું, ખડ્ઝ વડે બાહુ આદિનું છેદન તે પાન, વિધ્વંસ-ક્ષય એવો જેનો સ્વભાવ છે. તે પૂર્વે કે પછી અવશ્ય ત્યાજ્ય છે. વળી કોઈ જાણતું નથી કે - x - પહેલા કે પછી કોણ મરશે. વાચનાંતરમાં મેઘકુમારની પત્નીનું વર્ણન આ રીતે મળે છે - આ તારી પનીઓ વિપુલ કુલની બાલિકાઓ છે, કલાકુશળ-સર્વકાળ લાલિત સુખોચિત, માવ ગણયુકત, નિપુણ, વિનયોપચાર પંડિત વિચક્ષણ - પંડિત મણે વિયાણ છે. મંજુલકોમળ, શબ્દથી પરિમિત, મધુર-અકઠોર, ભણિત-હસિત-ઈત્યાદિ છે. અવિકલ કુલશીલ-શાલિની, વિશુદ્ધ કુળવંશ-સંતાન તંતુ વર્લ્ડન પ્રકૃષ્ટ ગર્ભ સંભવ લક્ષણ પ્રભાવી છે. મનોનુકૂલ, હૃદયને ઈષ્ટ, તારી ગુણ વડે વલ્લભ આઠ ભાયઓ, નિત્ય ભાવાનું રક્ત, સવાંગ સુંદરીઓ છે. - - - માનુષ્ય કામભોગ-તેના આધારભૂત સ્ત્રી-પુરુષ શરીરોને અભિપ્રેત, અશુચિકારણત્વથી અશુચિ, વમનને ઝરનાર આદિ છે, આ રીતે બીજા પદો પણ જાણવા. - - - વિશેષ એ કે - - કફ, શુક-સાતમી ધાતુ, શોણિત-લોહી, દુરૂપ-વિરૂપ જે મુગ-મળપૂતાદિથી બહુપતિપૂર્ણ. વ્યાર ૦ મળ, પ્રસવણ-મૂત્ર, સિંધાન-નાકનો મેલ, વાંતાદિ, સંભવ-ઉત્પત્તિ. આ તારા આર્થિવ પિતામહ, પિતાના પિતામહ, પિતાના પ્રપિતામહ, તેની પાસેથી આવેલ અથવા આર્યક-પ્રાર્યક-પિતાનો જે પયય કે પરિપાટીથી આવેલ છે. અગ્નિ સાધિત, દાવાદ-પુત્રાદિ, આ જ દ્રવ્યના અતિપાતને અવશ્ય પ્રતિપાદનાર્થે પર્યાયાંતરચી કહે છે - અગ્નિ સામાન્યાદિ. વસ્ત્રાદિનું લાંબા ગાળે શયન, વદિ વિનાશ તે પતન, નાશ, સ્વાભાવિક ઉચ્છેદ ધર્મ જેનો છે તે... સંવાતિ - સમર્ચ, વિષય-શબ્દાદિનો અનુલોમ-પ્રવૃત્તિજનકcવથી અનુકૂલ-વિષયાનુલોમ, આગાપન-સામાન્ય થકી પ્રતિપાદન, પ્રજ્ઞાપના-વિશેષથી કથન, સંબોધન વડે સંજ્ઞાપન, વિજ્ઞપ્તિથી વિજ્ઞાપન. • x - ત્યારે વિષય પ્રતિકૂળ-શબ્દાદિ વિષયોના પરિભોગ નિષેધકત્વથી પ્રતિલોમ, સંયમથી ભય અને ઉદ્વેગ કરીને-સંયમના કરવ પ્રતિપાદન પર એવી પ્રજ્ઞાપના વડે પ્રજ્ઞાપિત કરતા • x - નિર્ણન્ય-સાધુ, પ્રવચન એ જ પ્રવચન, સજ્જનોને હિતકારી છે અથવા સદ્ભૂત તે સત્ય. જેનાથી પ્રધાનતર કોઈ નથી તે અનુત્તર, એવું બીજું પણ અનુત્તર હોય, તેથી કહે છે – કૈવલિક, કેવલ એટલે અદ્વિતીય અથવા કેવલી પ્રણિત, પ્રતિપૂર્ણ
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy