SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧/૪ મહાવ્રત. ઘોર બ્રહ્મચર્ય-અલ્પ સવ્વ વડે જે દુઃખે આચરાય તે. - ૪ - ઉછૂટ શરીર - સત્કાર પરત્વે નિસ્પૃહ. સંક્ષિપ્ત-શરીર અન્તર્વતી, વિપુલ - અનેક યોજન પ્રમાણ ક્ષેત્રાશ્રિત વસ્તુદહન સમર્થ. તેજોલેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિથી ઉત્પન્ન તેજ જ્વાલા. * X - ૨૩ ચાર જ્ઞાનયુક્ત - કેવળજ્ઞાન સિવાયના. આના દ્વારા તેમને જ્ઞાનપ્રધાન કહ્યા. અનગાર-સાધુ. - ૪ - ગામાણુગામ-એક ગામથી બીજા ગામ જતા, આના દ્વારા અપ્રતિબદ્ધ વિહાર કહ્યા. " X - • સુખંસુખેત-શરીરના ખેદના અભાવથી અને સંયમમાં બાધાના અભાવથી. - ૪ - ૪ - યથા પ્રતિરૂપ - મુનિજનને યથોચિત, અનુજ્ઞાપૂર્વક ગ્રહણ કરીને. - ૪ - -સૂત્ર-૫ થી ૮ઃ [૫] ત્યારે ચંપાનગરીથી પર્યાદા નીકળી. કોણિક નીકળ્યો. ધર્મ કહ્યો. પર્યાદા જે દિશાથી આવેલી, તે દિશામાં પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્મા અણગારના મોટા શિષ્ય આર્ય જંબૂ નામે અણગાર, જે કાશ્યપગોત્રના, સાત હાથ ઉંચા હતા યાવત્ આર્ય સુધર્મા સ્થવિરની દૂર નહીં - નજીક નહીં એવા સ્થાને ઉધ્વજાનુ, અધોશિર થઈ ધ્યાન કોષ્ઠમાં પ્રવેશી સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે તે આજિંબૂ જાત, જાતસંશય, જાતકુતૂહલ, સંજાત, શ્રદ્ધા, સંજાત સંશય, સંજાત કુતૂહલ, ઉત્પન્ન શ્રદ્ધા-સંશય, કુતૂહલ, સમુત્પન્ન શ્રદ્ધાસંશય-કુતૂહલ, ઉત્થાનથી ઉઠીને, જ્યાં આર્ય સુધર્મા સ્થવિર હતાં ત્યાં આવે છે. આવીને આર્ય સુધનિ ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદે છે - નમે છે, વાંદી-નમીને આર્ય સુધર્માની અતિ દૂર કે નીકટ નહીં તેવા સ્થાને શ્રવણની ઈચ્છાથી, નમન કરતા, અભિમુખ હાથ જોડી, વિનયથી પપાસના કરતાં આમ કહ્યું . ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીર, કે જે આદિકર, તીર્થંકર, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષીંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તિ, લોકોત્તમ, લોકનાથ, લોકહિતક, લોકપદીપક, લોકોતકર, અભયદાતા, શરણંદ, ચક્ષુમુદ, માર્ગદ, બોધિદ, ધર્મદ, ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ધર્મવર ચાતુરંત ચક્રવર્તી, અપ્રતિહત જ્ઞાન-દર્શનધર, વિવૃત્ત છા, જિનાક, તીણ-તારક, બુદ્ધ-બોધક, મુક્ત-મોચક, સર્વજ્ઞ-સર્વદર્શી, શિવ-અચલ-અટ્ઠજ-અનંત-અક્ષય-અવ્યાબાધઅપુનરાવર્તિક-શાશ્વત સ્થાનને પામેલ હતા, તેઓએ પાંચમા અંગનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન્ ! છટ્ઠા અંગ જ્ઞાતાધર્મનો અર્થ શો કહ્યો છે ? હે જીંબૂ ! એમ આમંત્રી, આર્યસુધાં સ્થવિરે આર્ય જંબૂ અણગારને આમ કહ્યું – હે જંબૂ ! યાવત્ સિદ્ધિ સ્થાન પ્રાપ્ત ભગવંત મહાવીરે છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધ કહ્યા છે. ગાતા અને ધર્મ કથાઓ. - ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે - ૪ - બે શ્રુતસ્કંધ કહ્યા છે - x - તો હે ભગવન્ ! પ્રથમ શ્રુતસ્કંધના - ૪ - ભગવંતે કેટલા અધ્યયનો કહ્યા ૨૪ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ છે ? હે જંબૂ ! - ૪ - ૧૯ અધ્યયનો કહ્યા છે. [૬ થી ૮] - ઉત્કૃપ્ત જ્ઞાન, સંઘાટ, ડ, રૂમ, શૈલક, તુંબ, રોહિણી, મલ્લી, માર્કદી, ચંદ્ર... દાવદ્રવ, ઉદકજ્ઞાત, મંડૂક, તેતલીપુત્ર, નંદીફળ, પકકા, આકી, સુંસમા... પુંડરીક, એ ૧૯મું છે. • વિવેચન-૫ થી ૮ : - ૪ - કૂણિક રાજા આદિ સુધર્માસ્વામીને વંદનાર્થે નીકળ્યા. જે દિશામાંથી આવેલા, તે જ દિશામાં પાછા ગયા. - ૪ - સાત હાથ ઉંચા, યાવત્ શબ્દથી આમ જાણવું - સમચતુરસ સંસ્થાન સંસ્થિત, વઋષભનારાય સંઘયણી, સુવર્ણરેખાસમાન તથા પદ્મગર્ભવત્ ગૌરવર્ણવાળા, - ૪ - વર્ણાતિશય પ્રધાન જે રેખા તેના જે પદ્મબહુલત્વ તેના સમાન ગૌર, ઉગતપ કર્તા, તપ તપનાર તે તાર્પિત તપ્ત, જેના વડે કર્મોને સંતાપીને, તે તપ વડે પોતાના આત્માને પણ તપોરૂપ સંતાપિત - X - તથા પ્રશસ્ત તપ કે બૃહત તપથી મહાતપસ્વી તથા દીપ્ત તપ, દીપ્ત એટલે અગ્નિ માફ્ક જ્વલન્ તેજ, કર્મ ઇંધનના દાહકવથી કહ્યું. ઉદાર, ઘોર, ઘોરગુણ ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી આદિ ગુણ વિશિષ્ટ જંબુસ્વામી, આર્ય સુધર્મ સ્થવિરની અતિ દૂર કે અતિ સમીપે નહીં પણ ઉચિત દેશમાં રહેલ. કઈ રીતે? ઉદ્ભનાળ - શુદ્ધ પૃથ્વી આસન વર્જનથી ઔપગ્રહિક નિષધા અભાવથી ઉત્કટાસન રૂપ કહેવાય, તે ઉર્ધ્વ જાનૂ. અધ:શિ - અધોમુખ, ઉર્ધ્વ કે તીછાં નહીં, તે રીતે દૃષ્ટિ ન રાખીને, નિયત ભૂમિ ભાગમાં દૃષ્ટિ રાખીને, ધ્યાન રૂપ કોષ્ઠને પામેલ. જેમ કોઠામાં ધાન્ય ક્ષેપ કરતાં વિખેરાતું નથી, તેમ ધર્મધ્યાનરૂપ કોઠામાં પ્રવેશીને ઈન્દ્રિય અને મનને આશ્રીને સંવૃત્તાત્મા થાય છે. સંયમ-સંવર વડે તપ-ધ્યાન વડે આત્માને વાસિત કરતા વિયરે છે. -.. ધ્યાન પછી પૂર્વ પ્રસ્તુત પરામર્શાZ - X - વિશેષાવધારણ અર્થે આર્યજંબૂ ઉધમ્ થાય છે. કેવા થઈને ? જેની ઈચ્છા પ્રવૃત્ત થઈ તે જાતશ્રદ્ધ, વક્ષ્યમાણ પદાર્થોનો તત્ત્વ પરિજ્ઞાનમાં જાતશ્રદ્ધ. જાત સંશય અનિદ્ધતિાર્થ જ્ઞાન ઉભય વસ્તુ અવલંબીને પ્રવૃત્ત, તે તે મુનિને થયું - જે રીતે ત્રિભુવન પ્રકાશ પ્રદીપ સમાન ભગવંત મહાવીર વર્ધમાન સ્વામીએ પાંચમાં અંગની સમસ્ત વસ્તુને - ૪ - અર્થથી કહી, એ રીતે જ છઠ્ઠા અંગમાં પણ કહી છે કે અન્ય રીતે ? તથા જાતકુતૂહલ-ઉત્સુકતાથી. સંજાતશ્રદ્ધ આદિ, સમુત્પન્ન શ્રદ્ધ આદિમાં સં શબ્દ-પ્રકર્ષ આદિ વચન, તથા જેને પૂર્વે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તે ઉત્પન્ન શ્રદ્ધ. હવે ઉત્પન્ન શ્રદ્ધત્વ અને જાત શ્રદ્ધત્વમાં શો અર્થ ભેદ છે ? કશો નહીં. હેતુ પ્રદર્શનાર્થે આ પ્રયોગ છે. તેથી કહે છે – ઉત્પન્ન શ્રદ્ધત્વથી જાતશ્રદ્ધ-પ્રવૃત્તશ્રદ્ધ બીજા કહે છે – જે પૂછનારને શ્રદ્ધા જન્મી છે તે જાતશ્રદ્ધ. જાતશ્રદ્ધ કેમ ? જેનાથી જાતસંશય છે. કઈ રીતે સંશય જન્મો ? જાતકુતૂહલથી. જેમકે - છઠ્ઠા અંગનો અર્થ કેવો હશે ? - X - એ પ્રમાણે સંજાત-ઉત્પન્ન-સમુત્પન્ન શ્રદ્ધાદિને ઇહા અપાય-ધારણા ભેદથી કહેવા. - ૪ - તિવદ્યુત્તો - ત્રણ વખત જમણી બાજુથી આરંભી, પરિભ્રમણ કરતા તે આદક્ષિણ
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy