SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શરીરના અવયવો શરીરના ઉપચારથી ઉક્ત લક્ષણવાળાં માતા-પિતાના અંગો. જીવનું ભવધારણીય શરીર રહે ત્યાં સુધી - મનુષ્યાદિ ભવો ગ્રાહક શરીર રહે ત્યાં સુધી રહે, પછી નાશ પામે. ઉપચયના અંતિમ સમય પચી નષ્ટ થાય. - ગભધિકારથી બીજું સૂત્ર. ૧/- ૮૩ ૧૧ ખાય, પરિણમા), શ્વાસોચ્છવાસ લે. બાળકના જીવને સ પહોંચાડવા અને માતાને રસ લેવામાં કારણભૂત નાડી માતાના જીવ સાથે પ્રતિબદ્ધ અને પુત્ર જીવ સાથે ઋષ્ટ છે, તેનાથી આહાર છે, પરિણમાવે છે. બીજી પણ એક નાડી પુત્રજીવા સાથે સંબઇ, માતાના જીવને સ્પર્શેલ છે, તેનાથી આહારનો ચય, ઉપચય કરે છે, હે ગૌતમ ! તે કારણથી ગભંગત જીવ મુખેથી કવલાહાર ન કરે. ભગવાન ! માતાના આંગ કેટલા? ગૌતમ! ત્રણ-માંસ, લોહી, માથાનું ભેજું : - ભગવન્! પિતાના અંગ કેટલા ? ગૌતમ! ત્રણ – હાડકાં, મા , કેશ-દાઢી-રોમ-નખ, • • ભગવંતુ તે માતાપિતાના અંગો સંતાનના શરીરમાં કેટલે કાળા રહે ગૌતમ જેટલો કાળ ભવધારણીય શરીર રહે તેટલો કાળ તે અંગો રહે. સમયે સમયે હીન થતાં છેવટે તે શરીર નષ્ટ થતાં તે અંગો પણ નષ્ટ થાય. • વિવેચન-૮૩ - ગર્ભમાં ઉત્પન્ન થતો, નિવૃત્તિ-ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિયો. તે ઈન્દ્રિય પયપ્તિ પૂરી થતાં થાય, માટે અતિન્દ્રિય ઉત્પન્ન થાય તેમ કહ્યું. લબ્ધિ-ઉપયોગ લક્ષણ ભાવેન્દ્રિય. તે સંસારીને સર્વાવસ્થામાં હોય. શરીરવાળો તે શરીરી, તેના નિષેધથી અશરીરી ઉત્પન્ન થાય છે. ગર્ભમાં ઉપજતા જ સૌ પ્રથમ માતાનું આર્તવ-લોહી અને પિતાનું શુક તદ્રુપ આહાર ખાય છે તે બંનેની સંશ્લિષ્ટ કે સંસ્કૃષ્ટ જે તે ગર્ભના જીવની માતા દૂધ આદિ રસ વિગઈ, તેનો એક દેશ, તેની સાથે ઓજનો આહાર કરે છે. વીર • વિષ્ઠા, નિgીવન • ખળ ચૂંકવું, શિંગાળ • નાકનો મેલ, જમશ્ર - દાઢીના વાળ, - કાંખના વાળ, મધ્યમો - સર્વાત્મ વડે વારંવાર કે કદાચિત ખાય કે ન ખાય. ગર્ભગત બાળક આખા શરીર વડે આહાર કરે છે, માટે મુખ વડે કવલાહાર કરતો નથી. [શંકા આખા શરીર વડે કઈ રીતે ખાય ? જેનાથી રસ લેવાય તે નાભિની નાળ, માતાના જીવનની સહરણી તે માતૃસહરણી, પુણને રસના ઉપાદાનમાં કારણભૂત તે પુત્રજીવરસતરણી. માતૃજીવ પ્રતિબદ્ધ અને પુત્ર જીવને સ્પર્શતી. અહીં પ્રતિબદ્ધતા તે ગાઢ સંબંધ અને સ્પષ્ટતા તે સંબંધ માત્ર. અથવા આવી બે નાડી છે. • x - માતૃજીવ પ્રતિબદ્ધ સહરણીથી પણ જીવ સ્પર્શથી આહાર કરે છે. બીજી પુત્રજીવ રસહરણી પણ પુત્ર જીવને બદ્ધ અને માતૃ જીવને સ્પર્શતી છે, તેનાથી શરીરનો ચય કરે છે. બીજા તંત્રોમાં એમ કહ્યું છે - પુણની નાભિમાં અને માતાના હૃદયે નાડીનો સંબંધ છે. ગભધિકારથી જ કહે છે - માતાના આર્તવનો ભાગ વધુ હોય તે માતૃસંગ. પત્થના - માથાનું ભેજું અથવા ચરબી, ફેફસા વગેરે પિતાના વીર્યનો ભાગ જેમાં વધુ હોય તે પિતૃગો - હાડકાનો મધ્ય ભાગ, કેશ આદિ સમાનરૂપ હોવાથી એક સમાન છે. આ સિવાયના જે અંગો છે, તે માતા-પિતાના સાધારણ અંગો કહેવાય. કેમકે તે અંગોમાં પિતાના શુકનો અને માતાનો આર્તવ સમભાગે હોય છે. સૂડ-૮૪ - ભગવન ગર્ભગત જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય? ગૌતમાં કોઈ ઉપજે કોઈ ન ઉપજે. એમ કેમ? ગૌતમાં તે સંજ્ઞી પંરોન્દ્રિય સર્વ પતિથી પતિ, રીયલબ્ધિ અને વૈક્રિયલબ્ધિ વડે શત્રુસૈન્ય આવેલ સાંભળીને, અવધારીને આત્મપદેશોને બહાર ફેંકે છે, ફેંકીને વૈક્રિયસમુહ્યત વડે ચાતુરંગિણી એના વિદુર્વે વિકુવને ચાતુરંગિણી સેના વડે ગુસૈન્ય સાથે સંગ્રામ કરે. તે જીવ અર્થ-રાજ્ય-ભોકામની કામનાથી તથા રાજ્ય-ભોગ-કામની કાથી, અદિની તૃણાથી તશ્ચિત, તમ્મન, તલૈયા, તેના અર્પિત અધ્યવસાય, તીવધ્યવસાય, તેમાં પ્રયનવાળો, તેમાં અર્પિત કરવા અને તેની ભાવનાથી ભાવિત અંતરવાળો થઈ કાળ કરે તો નૈરયિકમાં ઉત્પન્ન થાય. તેથી કહ્યું કે કોઈ ઉપજે કોઈ ન ઉપજે. ભગવન્! ગર્ભગત જીવ દેવલોકમાં ઉપજે? ગૌતમ! કોઈ ઉપજે, કોઇ ન ઉપજે. એમ કેમ કહ્યું? ગૌતમ ! તે સંજ્ઞીપચિન્દ્રિય જીવ સર્વ પયતિથી પયત થયેલો તથારૂપ શ્રમણ કે માહણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક સુવચન સાંભળી, અવધારીને તુરંત સંવેગથી શ્રદ્ધાળુ બની તીવ્ર ધમનુિરાગત થઈ, તે જીવ ધર્મ-પુય-વ-મોક્ષની કામના કરતો-કાંક્ષા કરતો-તૂષિત થઈ તેમાં જ ચિત્ત-મન-બ્લેરયા-અધ્યવસાયનીd અથવસાયવાળો થઈ તેમાં પ્રયત્નવાળો થઈ, સાવધાનતાથી ક્રિયાનો ભોગ આપતો અને તેની ભાવનાથી ભાવિતા અંતરવાળો થઈ કાળ કરે તો દેવલોક ઉત્પન્ન થાય. તેથી કહ્યું કે, કોઈ જીવ દેવ થાય અને કોઈ જીવ ન થાય. ભગવાન ! ગર્ભગત જીવ ચત્તો-પડખાભેર-ઝેરી જેવો કુજ-ઉભેલો-બેઠેલો કે સુતેલો પડખાં ફેરવતો હોય ? તથા માતા સુતી હોય ત્યારે સુતો, જાગતી હોય તો જાગતો, માતાના સુખે સુખી, દુઃખે દુઃખી હોય? હા, ગૌતમ I ગર્ભગત જીવ યાવત માતાના દુઃખે દુઃખી હોય. જે પટાવકાળ સમયે માથા કે ગ દ્વારા આવે તો સરખી રીતે આવે, તિછોં આવે તો મરણ પામે. જીવના કમોં જે અશુભ રીતે ભદ્ર-સ્કૃષ્ટ-નિધdકુd-પ્રસ્થાપિત-અભિનિવિષ્ટ-અભિસમન્વાગત હોય, ઉદીર્ણ હોય પણ ઉપશાંત ન હોય, તો તે જીવ દુરૂપ, દુdણ, દુર્ગન્ધ, દુલ્સ, દુસ્પર્શ, અનિષ્ટ, કાંત, અપિય, શુભ, અમનોજ્ઞ, અમણામ, હીનસ્વર, દીનસ્વર, અનિષ્ટસ્વર, એકાંતરવર, અપિયસ્વર, અશુભરવર, અમનોજ્ઞસ્વર, અમણામસ્વર, અનાદેય વયનવાળો થાય અને જે તે જીવના કર્મો અશુભ રીતે બદ્ધ ન હોય તો બધું પ્રશસ્ત જાણવું યાવત્ તે જીવ અદેય વચન થાય છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy