SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-//૮૦ ૧૦૯ સવને આહારે છે. • • આહાર સાથે ઉત્પાદના બે દંડક પૂર્વે કહ્યા. હવે ઉત્પાદનો પ્રતિપક્ષ હોવાથી - x • ઉદ્વર્તના દંડક આહાર દંડક સાથે કહ્યો છે. અનુત્પન્ન જીવની ઉદ્ધતના હોતી નથી, માટે હવે પછી આહાર સાથે ઉત્પન્ન જીવ સંબંધે બે દંડક કહ્યા છે. ઉત્પનો પ્રતિપક્ષ હોવાથી આહાર સાથે ઉદ્વર્તનાના બે દંડક કહ્યા છે. ઇત્યાદિ એ પ્રમાણે આઠ દંડકો વડે દેશ અને સર્વથી ઉત્પાદાદિ વિચાર કર્યો. બીજા આઠ દંડકથી અર્ધ અને સર્વ વડે ઉત્પાદાદિ વિશે વિચારણા છે. • x • ઉત્પત્તિ, ઉદ્વના ગતિપૂર્વક થાય માટે ગતિ – • સૂઝ-૮૧ - ભગવાન ! શું જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે કે આવિગ્રહ ગતિને ? ગૌતમ ! થોડો વિગ્રહ ગતિને અને થોડો વિગ્રહ ગતિને પ્રાપ્ત છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. -- ભગવન ! જીવો વિગ્રહ ગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહ ગતિને ? ગૌતમ બંને. ભગવાન ! બૈરયિકો વિગ્રહગતિને પ્રાપ્ત છે કે આવિગ્રહ ગતિને ? ગૌતમ ! તે બધાં અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે અથવા ઘણાં આવિગ્રહગતિને પ્રાપ્ત છે અને એક વિગ્રહગતિને પ્રાપ્ત છે અથવા ઘણાં અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે, ઘણાં વિગ્રહગતિને. એ પ્રમાણે સવા ત્રણ ભંગ છે માત્ર જીવ અને એકેન્દ્રિયમાં નહીં. • વિવેચન-૮૧ : fવપ્ર - વક, તેની મુખ્યતાવાળી ગતિ તે વિગ્રહગતિ. બીજી ગતિમાં વાંકો ચાલે ત્યારે તે વિગ્રહગતિ પ્રાપ્ત કહેવાય. અવિગ્રહગતિ પ્રાપ્ત તે ગાજુગતિમાં રહેલો, તેમાં ગતિવાળો કે ગતિ વિનાનો તે અવિગ્રહ ગતિ પ્રાપ્ત કહેવાય. હવે જો “હજુ ગતિવાળો” એ જ અર્થ કરાય તો સૂત્રમાં કહેલ અવિગ્રહ ગતિ સમાપણનો અર્થ કરતા નાહીમાં હજુ ગતિવાળા જીવો ઘણાં હશે તેમ અર્થ થશે. તેમ નથી. શાસ્ત્રમાં એક-બે જીવનો ઉત્પાદ સંભળાય છે. ટીકાકારે કોઈપણ અભિપાયથી હજુગતિક અર્થ કર્યો છે. “નવા અંતૈ' આદિ પ્રશ્ન - જીવો અનંત હોવાથી પ્રતિ સમયે વિગ્રહગતિવાળાનો નિષેધ કરીને મહત્વના ભાવથી કહે છે - જીવો કરતાં નાકોનું અભિવ હોવાથી વિગ્રહગતિવાળાનો કદાચ અસંભવ હોય અને સંભવે તો એકાદિ હોય, તેથી વિગ્રહગતિવાળાનો નિષેધ કરીને કહે છે - અહીં ત્રણ વિકલ્પ છે - “મળે ય સાવ અસુરાદિમાં એ વાત અતિદેશ થકી કહે છે - જીવો અને એકેન્દ્રિયો ઉક્ત યુક્તિ વડે વિગ્રહગતિવાળા અને વિનાના ઘણાં હોય છે, માટે અહીં ત્રણ ભંગ કહ્યા નથી. પણ એ સિવાય તો ત્રણ ભાંગા જ જાણવા. - ગતિ અધિકારથી ચ્યવનસૂત્ર • સૂત્ર-૮૨ - ભગવાન ! મહદિક, મહાદ્યુતિક, મહાબલિ, મહાયશ, મહાનુભાવ, મરણકાળે ઢવતો મહેશ દેવ લા-ગંછા-પરીષહને કારણે થોડો સમય આહાર કરતો ૧૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી, પછી આહાર કરે છે અને લેવાતો આહાર પરિણમે પણ છે, છેવટે તેનું આય સર્વથા નષ્ટ થાય છે, તેથી તે દેવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાંસુ આવું અનુભવે. તે તિચિયોનિકનું કે મનુષ્યનું આયુ જાણવું ? હે ગૌતમાં તે મહર્વિક દેવનું ચાવતું મનુષ્યનું આવું પણ જાણવું. • વિવેચન-૮૨ - વિમાન, પરિવારાદિથી મહદ્ધિક, શરીરાભરણાદિથી મહધુતિક, શેરીપ્રાણથી મહાબલ, યશકીર્તિથી મહાયશ, મહેશનામનો અથવા મહાસુખવાળો, વિશિષ્ટ વૈકિયાદિ અચિંત્ય સામર્થ્યથી મહાનુભાવ, - X • ઉત્પતિ - x - કે - x • મરણ સમયે થતું જીવતો જ મરવાની તૈયારીવાળો કે શરીરને છોડતો કેટલોક કાળ ખાય પણ નહીં. કેમ ? લજ્જા નિમિતે, કેમકે જ્યાં ઉત્પન્ન થવાનો છે, તે સ્થાન જોઈને શરમાય છે, કેમકે તે સ્થાન દેવભવ કરતાં વિદેશ છે, પુરુષ દ્વારા ભોગવાતી સ્ત્રીનો ગર્ભાશય છે તેથી શરમથી ન ખાય. વળી ધૃણા નિમિત-ઉત્પત્તિ ગંદડકીરૂપ વીર્યાદિથી છે તથા અરતિ પરીષહને લીધે ચેન ન પડવાથી ખાતો નથી. દેવાદાર-તથાવિધ પગલો મનથી ગ્રહપ્ત કરવા. હવે પછીના સમયે આહાર કરે છે, કેમકે ભૂખની પીડા લાંબો કાળ સહેવાતી નથી - x • આ સૂત્રથી ક્રિયાકાળ-નિષ્ઠાકાળના અભેદ અભિધાનથી આહાર કાળની આપતા કહી છે. આહાર કર્યા પછી તેનું આયુ ક્ષીણ થતાં જ્યાં મનુષ્યાદિમાં ઉત્પન્ન થવાનું છે, તેનું આયુ અનુભવે છે અથવા તિર્યંચ યોનિમાયુ અનુભવ છે. દેવ-નરક ગતિમાં ઉત્પન્ન ન થાય માટે તેનો નિષેધ છે. ઉત્પત્તિ અધિકારથી કહે છે – • સૂત્ર-૮૩ : ભગવાન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ સેન્દ્રિય ઉત્પન્ન થાય કે અનિન્દ્રિય ? ગૌતમ / ઈન્દ્રિયવાળો પણ ઉત્પન્ન થાય, ઈન્દ્રિય વિનાનો પણ. એમ કેમ કહ્યું? ગૌતમ ! દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ અનિન્દ્રિય અને ભાવેન્દ્રિય અપેક્ષાએ ઈન્દ્રિયવાળો ઉત્પન્ન થાય, તેથી. ભગવના ગર્ભમાં ઉપજતો જીવ સારીરી ઉત્પન્ન થાય કે અશરીરી ? ગૌતમ! શરીરવાળો અને વિનાનો બંને ઉત્પન્ન થાય. એમ કેમ કહ્યું ? ગૌતમ ! ઔદાકિ, વૈક્તિ, આહારક અપેક્ષાએ શરીર રહિત અને તૈજસ, કામણની અપેક્ષાએ શરીર સહિત ઉત્પન્ન થાય. ભગવન! ગર્ભમાં ઉત્પન્ન થતાં જ જીવ પહેલા શું ખાય ? ગૌતમ ! માતાનું આર્તવ અને પિતાનું વીર્ય, તદુભય સંકૃષ્ટ કલુષ અને કિલ્પિષનો સૌ પહેલાં આહાર કરે છે. ભગવન્! ગર્ભમાં ગયેલ જીવ શું ખાય ? ગૌતમ ! માતાએ ખાધેલા અનેકવિધ રસ વિગઈનો એક દેશ અને માતાનું આવિ ખાય. ભગવના ગર્ભગત જીવ મુખેથી કવલાહાર લઈ શકે ? ગૌતમ! ન લઈ શકે. કેમકે • તે સવભિ વડે - ખાય, પરિણમાd, afસોશ્વાસ છે, કદાચિ4
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy