________________
૧૩/-/૬/૫૮૭,૫૮૮
જ્યાં ચંપાનગરીમાં કોણિક રાજા હતો, ત્યાં આવ્યો. આવીને કોણિક રાજાનો આશ્રય કરી રહેવા લાગ્યો. ત્યાં પણ તે વિપુલ ભોગ સામગ્રીથી સંપન્ન થઈ ગયો. ત્યારપછી તે અભીચિકુમાર શ્રાવક થયો, જીવાજીવને જાણતો યાવત્ વિચરે છે. તે ઉંદાયન રાજર્ષિ પ્રતિ વૈરના અનુબંધથી યુક્ત હતો.
તે કાળે, તે સમયે આ રત્નપભા પૃથ્વીના નકાવાસોના પરિપાર્શ્વમાં અસુરકુમારોના ૬૪-લાખ આવાસ છે. ત્યારે તે અભીચિકુમાર ઘણાં વર્ષો સુધી
શ્રમણ પતિ પાળીને, અર્ધમાસિક સંલેખનાથી ૩૦ ભક્તને અનશન વડે છેદીને, પૂર્વોકત સ્થાનના આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ માસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નક આવારાની સમીપે રહેલા ૬૪ લાખ ‘આપ’ નામક અસુરકુમારાવાસમાં કોઈ એક આતાપમાં અસુકુમાર દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં ઘણા આતાપ અસુરકુમાર દેવોની સ્થિતિ એક પલ્યોપમ છે, ત્યાં અભીચિદેવની સ્થિતિ પણ એક પલ્યોપમની થઈ.
૪૩
ભગવન્ ! તે અભીચિદેવ, તે દેવલોકથી આયુક્ષયાદિ પછી અનંતર ઉદ્ધર્તીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ ત કરશે. ભગવન્ ! તે એમ જ છે.
• વિવેચન-૫૮૭,૫૮૮ :
સિંધુૌવીર - સિંધુ નદી નીકટ, સૌવીર - જનપદ વિશેષ. તિમય - જેમાંથી ઈતિ અને ભય ચાલ્યા ગયા છે તે. કોઈ વિદર્ભ કહે છે. સર્વઋતુક પુષ્પ-ફળથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન. જ્યાં કર નથી તે નર, સોનું આદિ ઉત્પત્તિ સ્થાન તે આકર - x - જેઓને છત્ર વિસ્તારેલ છે, ચામર રૂપ બાલ વ્યંજનિકા છે તેઓ. અત્તિા - અપ્રીતિ સ્વભાવથી મનનો વિકાર, મનમાં તે માનસિક, બહાર દેખાતો એવો નહીં. દુઃખથી પોતાનાં ભાંડ, માત્ર, શય્યાદિ ઉપકરણ લઈને - x - વૈરભાવ છોડ્યા વિના. આચાવ - અસુકુમાર વિશેષ, તેની કંઈ વધુ માહિતી નથી. શતક-૧૩, ઉદ્દેશો-૭-“ભાષા” છે
— x — * - * — * -
અનંતર ઉદ્દેશામાં અર્થો કહ્યા, તે ભાષા વડે કહ્યા. તેથી ભાષા કહે છે – • સૂત્ર-૫૮૯ -
રાજગૃહમાં આ પ્રમાણે કહ્યું – ભગવન્! ભાષા આત્મા છે કે બીજું છે? ગૌતમ! ભાષા' આત્મા નથી. ભાષા બીજું છે. - - ભગવન્! ભાષા, રૂપી છે કે અરૂપી? ગૌતમ! ભાષારૂપી છે, અરૂપી નથી . ભગવન્! ભાષા સચિત્ત છે કે અચિત્ત? ગૌતમ! ભાષા સચિત્ત નથી, અચિત છે ભગવના ભાષા, જીવ છે કે અજીવ ગૌતમ! ભાષા, જીવ નથી જીવ છે. ભગવન્! ભાષા જીવોને હોય કે અજીવોને હોય? ગૌતમ! ભાષા, જીવોને હોય, અજીવોને નહીં,
ભગવન્ ! [બોલ્યા] પહેલા ભાષા છે, બોલાતી તે ભાષા છે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા છે ? ગૌતમ ! બોલ્યા પૂર્વે કે સમય વીત્યા પછી, તે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
ભાષા નથી, પણ બોલાતી હોય ત્યારે તે ભાષા છે. - - ભગવન્ ! બોલ્યા પૂર્વે ભાષા ભેદાય, બોલાતી ભાષા ભેદાય કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાય છે ? ગૌતમ ! બોલ્યા પૂર્વે કે બોલવાનો સમય વીત્યા પછી ભાષા ભેદાતી નથી, પણ બોલાતી વખતે ભાષા ભેદાય છે.
ભગવન્ ! ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે. તે આ – સત્યા, મૃણા, સત્યામૃષા અને અસત્યામૃષા. • વિવેચન-૫૮૯ :
આવા - જીવ, જીવ સ્વભાવા ભાષા. જેથી જીવ વડે વ્યાવૃત છે, જીવને બંધમોક્ષાર્થે થાય છે, તેથી જીવધર્મત્વથી ‘જીવ' એ રીતે જ્ઞાનવત્ વ્યપદેશ યોગ્ય છે? અથવા જીવ સ્વરૂપ નથી કેમકે શ્રોત્ર ઈન્દ્રિયના ગ્રાપણાથી મૂર્તપણે આત્માથી વિલક્ષણ છે, માટે શંકા કરી ? તેનો ઉત્તર આપે છે ભાષા, આત્મરૂપ નથી. તે પુદ્ગલમય છે. આત્મા વડે ફેંકાયેલ ઢેફાની માફક. આકાશ માફ્ક અચેતન છે, જે કહ્યું કે – જીવ વડે વ્યાપાર્યમાન હોવાથી જીવ છે, જ્ઞાન માફક તે અનૈકાંતિક છે. જીવ વ્યાપાર છતાં જીવથી અત્યંત ભિન્ન સ્વરૂપ દાત્રાદિમાં દેખાય છે.
૪૪
ભાષા, સાંભળનારને અનુગ્રહ-ઉપઘાતકારીપણાથી તથાવિધ કાનના આભરણવત્ રૂપી છે ? કે ધર્માસ્તિકાયાદિવત્ ચક્ષુ વડે અનુપલબ્ધ હોવાથી અરૂપી છે ? તેનો ઉત્તર છે - ભાષારૂપી છે. ચક્ષુ વડે અગ્રાહ્યત્વથી અરૂપીત્વ કહ્યું, તે અનૈકાંતિક છે. પરમાણુ, વાયુ, પિશાચાદિ રૂપવાન હોવા છતાં ચક્ષુ વડે અગ્રાહ્ય છે.
અનાત્મરૂપ હોવા છતાં જીવ-શરીવત્ સચિત ભાષા કેમ નહીં? ઉત્તર છે - ભાષા સચિત્ત નથી, તે જીવ દ્વારા નિકૃષ્ટ પુદ્ગલ સમૂહરૂપ છે. - - જીવે છે તે જીવ - પ્રાણધારણ સ્વરૂપ ભાષા છે કે તેથી વિલક્ષણ છે ? ઉત્તર છે - ઉશ્ર્વાસાદિ પ્રાણોના અભાવે ભાષા જીવ નથી. કેટલાંક ભાષાને અપૌરુષેચી માને છે, તેના મત મુજબ પ્રશ્ન કર્યો છે - ભાષા, જીવને હોય કે જીવને ? તાલુ આદિ વ્યાપારથી ઉત્પન્ન વર્ણોનો સમૂહ તે ભાષા. તેથી જીવ પ્રયત્નકૃત્ હોવાથી ભાષા જીવને જ હોય. ભલે અજીવથી પણ શબ્દ ઉત્પન્ન થાય છે, તો પણ તે ભાષા નથી. ભાષાપર્યાપ્તિજન્ય શબ્દને જ
ભાષા કહેવાય છે. બોલ્યા પહેલાં ભાષા ન કહેવાય. જેમ માટીના પિંડની સ્થિતિમાં રહેલ ઘટ, ઘટ ન કહેવાય. ‘ઘટ’ સ્થિતિમાં રહેલ ‘ઘટ' માફક બોલાતી તે ભાષા છે. ફૂટી ગયા પછી જેમ ઘડાની ઠીકરી ઘડો ન કહેવાય, તેમ બોલવાનો સમય વીત્યા પછી તે ભાષા ન કહેવાય.
શબ્દ દ્રવ્ય નીકળ્યા પહેલાં તેનું ભેદન કઈ રીતે થાય ? માટે બોલાયા પૂર્વે ભાષા ભેદાતી નથી. બોલાતી ભાષા ભેદાય છે. કોઈ મંદ પ્રયત્ન વક્તા હોય, તે અભિન્ન શબ્દ દ્રવ્યો કાઢે. તે નીકળેલા શબ્દો પરિસ્થૂલ હોવાથી અસંખ્યાત રૂપે ભેદાય, સંખ્યાત યોજન જઈને શબ્દ પરિણામ ત્યાગ કરે છે. કોઈ મહાપ્રયત્ન હોય, તો આદાન-વિસર્ગ પ્રયત્ન વડે ભેદીને જ શબ્દો કાઢે. - ૪ - ૪ - તેથી આમ કહ્યું. ભાષા પરિણામ પરિત્યક્ત હોવાથી બોલાયા પછી તે ભેદાતી નથી.
ભાષા કહી, તે પ્રાયઃ મનપૂર્વક હોય તેથી ‘મન' વિશે કથન.