SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૨/૨૭,૨૮ અશુદ્ધ વર્ણાદિ છે. પશ્ચાદુત્પન્ન અસુરો અબદ્ધાયુ હોવાથી સાકર્મી છે. તેમનું શુભ કર્મ ક્ષીણ ન હોવાથી શુભ વર્ણ અને શુભ લેશ્યાવાળા છે. જો કે અસુરોનું વેદના સૂત્ર નારકોની માફક છે, તો પણ વિશેષ એ છે કે - સંજ્ઞીભૂત છે તેઓને ચારિત્ર વિરાધનાજન્ય ચિત સંતાપથી મહાવેદના છે. અથવા સંજ્ઞીભૂત એટલે પૂર્વે સંજ્ઞીરૂપ હતા તે કે પર્યાપ્તા, તેઓ શુભ વેદના અપેક્ષાએ મહાવેદનાવાળા છે, અસંજ્ઞીભૂત અસુરો અાવેદના વાળા છે. એ રીતે નાગકુમારદિ પણ કહેવા. પૃથ્વીકાયિકોના આહાર, કર્મ, વર્ણ, લેશ્યા ત્યારે નાક સૂત્રવત્ કહેવા. માત્ર આહાર સૂત્રમાં પૃથ્વીકાયિકો અંગુલના અસંખ્યાત ભાગ માત્ર શરીરવથી અશરીરી, મહાશરીરી છે. આગમવચન છે – પૃથ્વીકાયિકો અવગાહનાર્થથી ચાર સ્થાનવાળા છે મહાશરીરી તેઓ લોમાહારથી ઘણાં પુદ્ગલોને આહારે છે, વારંવાર ઉશ્વાસ લે છે. અલાશરીરી અલા આહાર અને થોડો ઉચ્છવાસ લે છે. તે બંનેનું કદાચિલ્પણું પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થાને આશ્રીને જાણવું. કમદિ સૂત્રોમાં પૂર્વોત્પન્ન અને પશ્ચાદુત્પન્ન પૃવીકાયિકોમાં કર્મ, વર્ણ, લેગ્યા વિભાગનાકવત્ છે. વેદના અને ક્રિયામાં વિશેષતા છે, તે કહે છે - ઉમર - મિથ્યાર્દષ્ટિ કે અમનક, અસંજ્ઞીભૂત કે અસંજ્ઞીને જે વેદના થાય છે - અનિઘરિણતાથી વેદનાને અનુભવે છે, અર્થાત્ વેદનાને અનુભવવા છતાં નથી જાણતાં કે આ પૂવોંપાત અશુભ કર્મની પરિણતિ છે. કેમકે મિથ્યાદેષ્ટિ કે વિમનક હોય છે. પ્રાયઃ માયાવીઓ તેમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે - ઉન્માદિક, માર્ગનાશક, ગૂઢહદય, માયાવી, શઠ સ્વભાવી, શચવાનું જીવ તિર્યંચાયુ બાંધે છે. તેથી તેઓ માયાવી કહેવાય. અથવા માયાવી અનંતાનુબંધી કષાયવાળા છે. મિથ્યાદષ્ટિ તેઓને પાંચે ક્રિયાઓ હોય છે. પણ ત્રણ કે ચાર ક્રિયા ન હોય. નવ વત્રાં અહીં મહાશરીર-લઘુશરીરવ સ્વસ્વ અવગાહનાથી જાણવું. બેઈન્દ્રિયાદિનો આહાર કવલરૂપ જાણવો. પંચેન્દ્રિયતિર્યંચ યોનિકને તૈરયિકવત જાણવા, તે સ્પષ્ટ છે. વિશેષ આ - મહાશરીરી વારંવાર આહાર અને ઉચ્છવાસ લે છે.” એવું જે કહ્યું તે સંખ્યાતવષયવાળા માટે જાણવું, અસંખ્યાત વર્ષઆયુવાળા માટે નહીં કેમકે તેમનો પ્રક્ષેપાહાર બે દિવસ પછી કહ્યો છે. લોમાહાર અપેક્ષાએ તો બધાંને પણ વારંવાર આહાર ઘટે જ છે. અા શરીરીને કદાચિપણું અપતિપણામાં લોમાહાર અને ઉચ્છવાસ ન થવાથી અને પર્યાપ્તપણામાં તે બંને થવાથી કહ્યું છે. કર્મસૂત્રમાં પૂર્વોત્પન્નનું અ૫ કર્મત્વ, પશ્ચાદુત્પન્નનું મહાકર્મ_ કહ્યું, તે તેના આયુની તભવવેધ કમષિક્ષાએ કહ્યું છે. વર્ણ અને લેણ્યા સૂરમાં પૂર્વોત્પજ્ઞનું શુભ વણિિદ કહ્યું કે તારુણ્ય અપેક્ષાએ અને પશ્ચાદુન્યજ્ઞનું અશુભ વર્ણાદિ બાલ્યત્વથી છે. સંયતાસંયત - દેશવિરત, સ્થૂળ પ્રાણાતિપાતાદિથી નિવૃત હોવાથી સંયત અને [9/5] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બીજાથી નિવૃત્ત ન હોવાથી અસંયત છે. મનુષ્યોને નૈરયિક માફક કહેવા એ ગમ્ય છે. તેમાં ભેદ આ છે. • x મનુષ્યો બે ભેદ - મહાશરીરી, અાશરીરી. તેમાં મહાશરીરી છે તે ઘણાં પુદ્ગલો આહારે છે, તેમજ પરિણમાવે છે, શ્વાસોચ્છવાસ કરે છે. આ સ્થાને નાકસૂત્રમાં વારંવાર આહાર કરે છે કહ્યું અહીં કદાચિત્ કરે છે તેમ કહેવું. મહાશરીરી યુગલિકો કદાચિત્ જ કવલથી આહારે છે. અશરીરી અા પણ વારંવાર ખાય છે. બાળકોમાં તેવું જોવાય છે. અાશરીરી સંમૂર્છાિમ મનુષ્યોને નિરંતરાહાર સંભવે છે. પૂર્વોત્પન્નોનું શુભવણદિ તારુણ્ય કે સંમૂર્હિમ અપેક્ષાએ જાણવું. HTTયત - જેઓના કષાય ક્ષીણ કે ઉપશાંત થયા નથી તે. ચીતર *THથત . જેઓના કષાય ક્ષીણ કે ક્ષીણ થયા છે. તે ક્રિય - ક્રિયારહિત, અપ્રમત્ત સંયતોને એક જ માયાપત્યયા ક્રિયા હોય કેમકે તેઓ અક્ષણ કપાય છે. પ્રમત્ત સંયતોને આરંભિકી અને કષાય ક્ષીણ ન થયા હોવાથી “માયાપત્યયા’ ક્રિયા છે. વાણમંતર, જ્યોતિકોનું શરીરનું નાના-મોટાપણું તેમની અવગાહનાનુસાર જાણવું. અસુરકુમારોની વેદના સંડીને મહા અને સંજ્ઞીને અા છે. વ્યંતરોને પણ તેમજ જાણવા. કેમકે આસુરી વ્યંતરમાં અસંજ્ઞીઓ ઉત્પન્ન થાય છે. કેમકે અહીં જ આગળ કહેશે કે - અસંજ્ઞીઓ જઘન્યથી ભવનપતિમાં, ઉત્કૃષ્ટથી બંતરમાં ઉપજે. તેઓ અાવેદનાવાળા છે તેમ જાણવું. સં - સમ્યગૃષ્ટિ, મરી - મિથ્યાષ્ટિ, જ્યોતિકો, વૈમાનિકો અસંજ્ઞમાં ઉત્પન્ન ન થાય. તે માટે વેદનાપદમાં કહે છે કે - માયી મિથ્યાદષ્ટિ અલવેદનાવાળા છે. હવે લેશ્યાદિ ભેદ વિશેષથી ૨૪ દંડકને આહારદિ પદોથી નિરૂપતા પહેલા સાત દંડક કહે છે. સર્વેક્ષા નથી આહાર, શરીર, ઉપવાસ, કર્મ, વર્ણ, લેગ્યા, વેદના, ક્રિયા, ઉપપાત નામે પૂર્વોક્ત નવ પદથી નાકાદિ ૨૪ પદનો દંડક વેશ્યા પદથી સચવ્યો. - x-x - એ રીતે સાત દંડક સંબંધી સત્રના સંક્ષેપ માટે જે દંડક કહેવાનો છે, તેને દર્શાવતા કહે છે કે – ઔધિક - નિર્વિશેષણ નાકાદિનો, અધિકૃત સલેચ્છકોનો અને સપ્તમ દંડકથી શુક્લ લેશ્યાવાળાનો, એ ત્રણેનો સરખો પાઠ છે. માત્ર લેશ્યાવાળા અને શુક્લ લેશ્યાવાળા એવો જ વિશેષણ ભેદ છે. • x • તેથી અહીં પંચેન્દ્રિયતિર્યચ, મનુષ્યો, વૈમાનિક કહેવા, પણ નારકો ન કહેવા કેમકે તેમને શુ લેશ્યાનો અભાવ છે. કૃષ્ણ અને નીલ લેયાવાળાનો એક જ - ધિક પાઠ છે. વિશેષ એ - કૃષ્ણ અને નીલ લેશ્યા દંડકમાં વેદના સૂત્રમાં સંજ્ઞી, અસંજ્ઞી નૈયિકો ઔધિક દંડકમાં કહ્યા છે તે ન કહેવું. કેમકે અસંજ્ઞીની ઉત્પત્તિ પહેલી પૃથ્વીમાં જ થાય છે. • X • પહેલીમાં કૃષ્ણ, નીલ ગ્લેશ્યાનો અભાવ છે. તો તેને બદલે શું કહેવું ? માયિ મિથ્યાદેષ્ટિ મહાવેદનાવાળા છે. કેમકે તેઓ સર્વથી વિશેષ અશુભ સ્થિતિને ઉત્પન્ન કરે છે. બીજાને તો ઓછી વેદના હોય છે. - - મનુષ્યપદમાં કિયા સૂત્રમાં ઔધિક દંડકમાં મનુષ્યો ત્રણ પ્રકારે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy