SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૨/૨૬ • વિવેચન-૨૬ : રાથfrદે આદિ પૂર્વવતું. તેમાં ‘સ્વયંકૃત” બીજાએ કરેલ કર્મ તે વેદતો નથી, તે પ્રસિદ્ધ જ છે. ‘સ્વયંકૃત સંબંધી પ્રશ્ન છે. સાંસારિક સુખ વસ્તુતઃ દુ:ખરૂપ જ છે, કમ દુ:ખપ્રાપ્તિમાં કારણ છે, માટે અહીં દુઃખ એટલે કર્મ. ઉદયમાં આવેલ કમનિ વેદે છે, અનુદીર્ણ કર્મનું વેદત થઈ ન શકે. તેથી કહ્યું કે ઉદીને વેદે છે, અનુદીને નહીં. કમને બાંધ્યા પછી તે તુરંત જ ઉદયમાં આવતું નથી માટે જે કર્મો ચોક્કસ વેદવાનાં છે, તેમાંનું કોઈ કર્મ વેદે છે અને કોઈ વેદતો નથી. કહ્યું છે કે કરેલ કર્મોનો વિદ્યા વિના મોક્ષ નથી. તેમ ૨૪-દંડકમાં છે. બહુવચનમાં બીજો દંડક છે, તે આ - ભગવત્ ! નૈરયિકો સ્વયંકૃત દુ:ખને વેદે છે ? ઇત્યાદિ. [શંકા રોકવયન જે અર્થ છે, તે જ બહુવચનમાં છે, તો બહુવચન પ્રગ્નની શી જરૂર ? કોઈ વસ્તુમાં એકવ-બહત્વમાં અર્થ વિશેષ જોવાય છે. જેમકે - સમ્યકત્વ સ્થિતિ એક જીવને આશ્રીને સાધિક ૬૬-સાગરોપમ છે, બહુ જીવોને આશ્રીને સદાકાળ છે. અહીં આવો પ્રશ્ન સંભવી શકે, માટે બહત્વપપ્ન દોષ નથી. અથવા અવ્યુત્પન્ન મતિવાળા શિષ્ય માટે આ પ્રશ્ન છે. નકાદિની વ્યાખ્યામાં આયુષ્યની મુખ્યતા હોવાથી આયુને આશ્રીને બે દંડક છે, તેની વૃદ્ધોક્ત ભાવના આ છે - વાસુદેવે સાતમી નરક યોગ્ય આયુ બાંઘેલું, કાળાંતરે પરિણામ વિશેષથી ત્રીજી નક યોગ્ય કર્યું. તો તેવા આયુની અપેક્ષાએ કહેવાય છે કે પૂર્વે બાંધેલ આયુ અનુદીર્ણ હોવાથી વેદાયું નહીં, ઉત્પન્ન થયા ત્યાં ઉદીર્ષાયુ વેધુ. હવે આહારાદિ વડે ૨૪-દંડકની નિરૂપણા – • સૂત્ર-૨૭,૨૮ - ]િ ભગવન નૈરયિકો બધાં, સમાન આહારી, સમાન શરીરી, સમાન ઉચ્છવાસ-નિઃશસવાળા છે ? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. ભગવાન છે એવું શા હેતુથી કહો છો ? - x - ગૌતમ નૈરયિકો બે પ્રકારે છે. મહાશરીરી, અશરીરી. તેમાં મહાશરીરી ઘણાં યુગલોને આહારે છે, ઘણાં યુગલોને પરિણમાવે છે, ઘણાં યુગલોનો ઉચ્છવાસ નિઃશ્વાસ લે છે. વારંવાર આહારે છે, વારંવાર પરિણમાવે છેવારંવાર ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે. જે અાશરીરી છે તે થોડો યુગલો આહારે છે, થોડા પરિણાવે છે, થોડા પુદ્ગલોનો ઉચ્છવાસનિઃશ્વાસ લે છે. કદાચિત આહારે છે . પરિણમાવે છે - ઉચ્છવાસ નિઃશ્વાસ લે છે. માટે હે ગૌતમ ! એમ કહ્યું કે બધાં નૈરયિકો સમાહાર, સમશરીરાદિ નથી. ભગવાન ! બધાં નૈરયિકો સમાન કર્યા છે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી.. એમ કેમ કહ્યું? ગૌતમ નૈરયિકો બે ભેદે - પૂવપયજ્ઞક, પશ્ચાદપwnક. પ્રવપક અપકમતક છે, પશ્ચાદવપક મહામંતસ્ક છે, તેથી એમ કહ્યું. • • નૈરયિકો બધાં સમવર્તી છે ? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. એવું કેમ કાં ? ગૌતમ જે પૂવપક છે તે વિશુદ્ધ તિર છે, જે અaliદુપપHક છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તે અવિશુદ્ધતરવર્તક છે. ભગવન / નૈરયિકો બધાં સમલેચી છે ? ગૌતમ ! આ કથન યોગ્ય નથી. • એવું કેમ કહો છો ? ગૌતમ! તેમાં જે પૂવષક છે, તે વિશુદ્ધતર લેશ્યક છે, પશ્ચાદુપપક અવિશુદ્ધતરલેશ્યક છે. ભગવતુ ! બૈરયિકો સર્વે સમવેદનાવાળા છે. ગૌતમ આ કથન યોગ્ય નથી. - - એવું કેમ કહો છો ? - ગૌતમ ! નૈરયિકો બે પ્રકારે - સંજ્ઞિભૂત અસંજ્ઞિભૂત. તેમાં સાિભૂત મહાવેદનાવાળા છે, અસંજ્ઞિભૂત અલ્પ વેદનાવાળા છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે. ભગવન બધાં ઔરસિકો સમાન ક્રિયાવાળા છે ? ગૌતમી એ કથન યોગ્ય નથી. - - એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારે છે - સમ્યગૃષ્ટિ મિશ્રાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. તેમાં જે સમ્યગૃષ્ટિ છે, તેમને ચાર કિયાઓ હોય છે - આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયા, અપત્યાખ્યાન કિયા. જે મિથ્યાËષ્ટિ છે, તેઓને પાંચ ક્રિયાઓ હોય છે ઉકત ચાર અને મિથ્યાદષ્ટિ પ્રત્યયા. એ રીતે મિશ્રદૈષ્ટિને પણ જણા. - તેથી હે ગૌતમ ! આમ કહ્યું છે. - ભગવન બધાં નૈરયિકો સમાન આપ્યું અને સમાન કાળ ઉત્પન્ન થયેલા છે? ગૌતમ ! આ કથન યોગ્ય નથી. - એમ કેમ કહ્યું? ગૌતમ નૈરયિકો ચાર ભેદ : કેટલાક સમય-સમકાલોત્પન્ન, કેટલાક સમ આયુ-વિષમકાલોus, કેટલાંક વિષમઆયુ-ન્સમકાલઉત્પન્ન અને કેટલાક વિષમઆયુ-વિષમકાલોww. તેથી એમ કહ્યું.. ભગવદ્ ! અસુરકુમાણે સર્વે સમ આહારી, સમ શરીર છે / નૈરસિકો માફક બધું જાણવું. વિશેષ એ કે – કર્મ, વર્ણ, લેસ્યાનું વર્ણન કરવું જોઈએ. તેમાં જે પૂવોંધપક છે તે મહાકતર, અવિશુદ્ધ વણતર, અવિશુદ્ધ ઉચ્ચતરક છે. પશ્ચાદુપપwક પ્રશસ્ત છે. બાકી બધું પૂર્વવત. એ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત કહેવું. પૃedીકાયિકોના આહાર, કર્મ, વર્ણ, વૈશ્યા નૈરપિકવ છે. ભગવાન ! પૃવીકાયિકો બધાં સમવેદનાવાળા છે? હા, છે. • • એમ કેમ કહ્યું? ગૌતમ ! પૃવીકાયિકો સર્વે અસંજ્ઞી છે, અસંજ્ઞીભૂત વેદનાને અનિધરિતરૂપે વેદે છે. તેથી એમ કહ્યું. ભગવન ! સર્વે પૃવીકાયિકો સમાન ક્રિયાવાળા છે? હા, છે. • એવું કેમ કહ્યું? ગૌતમી મારી મિયાદેષ્ટિ છે, નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે - આરિભકા સાવતુ મિયાદન પ્રત્યયા. નૈરયિકોની જેમ પૃવીકાયિકો સમ-આયુ, સમોપHક છે. જેમ પૃedીકાવિકો છે, તેમ યાવતુ ચઉરિન્દ્રિયો છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પણ નૈરયિક માફક જાણu. માત્ર ક્રિયામાં ભેદ છે. ભગવન / પંચેન્દ્રિય તિચિયોનિકો બધાં સમાન કિયાવાળ છે / ગૌતમ!
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy