SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૧૦/૪૩૫ ૨૩૩ • સૂત્ર-૪૩૫ - ભગવાના કેટલી કમપકૃતિ છે? ગૌતમાં આઠ. તે આ જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. • • ભગવના નૈરયિકોની કેટલી કર્મ પકૃતિઓ છે? ગૌતમાં આઠ, એ રીતે બધાં જીવોની આઠ કર્મ પ્રકૃતિ સ્થાપવી. યાવતું વૈમાનિક, ભગવન જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદો છે ? ગૌતમ અનંતા. - - નૈરયિકોના જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદો છે ? ગૌતમ અનંતા. એ પ્રમાણે બધાં જીવોના 1ણવા. વૈમાનિકની પૃચ્છા. ગૌતમ ! અનંત અવિભાગ પરિચ્છેદો છે. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીયના અવિભાગપરિચ્છેદો કહ્યા, તેમ આઠે કર્મ પ્રકૃતિના અંતરાય પર્યત વૈમાનિક સુધી કહેવા. ભગવના એક એક જીવનમાં એક એક જીduદેશે જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે ? ગૌતમ! કથંચિત આવેષ્ટિત-પરિવેષ્ટિત છે, કથંચિત નથી. જો આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય તો નિયમા અનંત વડે હોય. ભગવન ! એક-એક નૈરયિકના એક-એક જીવપદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ-પરિચ્છેદ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે? ગૌતમ! નિયમો અનંતા. જેમ નૈરયિક કા તેમ યાવત વૈમાનિક કહેવા. વિશેષ એ કે - મનુષ્યોને જીવની માફક જાણવા. - ભગવાન ! એક એક જીવને એક એક જીવપદેશે દર્શનાવરણીય કર્મના કેટલા? જ્ઞાનાવરણીય માફક દંડક કહેવો યાવત્ વૈમાનિક. એ પ્રમાણે અંતરાયના સુધી કહેવું. વિશેષ આ - વેદનીય, આયુ, નામ, ગોત્ર આ ચાર કર્મોના વિષયમાં નૈરયિકવ4 મનુષ્યો કહેવા. વિવેચન-૪૩૫ : જેનાથી પરિચ્છેદ થાય, તે પરિચ્છેદ અર્થાત્ અંશ. તે સવિભાગ પણ હોય, તેથી વિશેષથી કહે છે - અવિભાગ. અવિભાગ-પરિચ્છેદ એટલે અંશ રહિતના અંશ. તે જ્ઞાનાવરણીય કર્મના અનંતા છે. કઈ રીતે ? જ્ઞાનાવરણીય કર્મ જ્યાં સુધી જ્ઞાનના અવિભાગ ભેદોને આવરણ કરે, ત્યાં સુધી જ તેનો અવિભાગ પરિચ્છેદ છે. અથવા દલિકોની અપેક્ષાએ તેના અનંત પરમાણુરૂપ છે. તે પરમાણુ વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત થતુ અત્યંત પરિવેષ્ટિત અથવા આવેટ્ય પરિવેષ્ટિત. કેવળીને આશ્રીને આવેષ્ટિત પરિવેષ્ટિત નથી, કેમકે તેમને ક્ષીણ જ્ઞાનાવરણવથી તે પ્રદેશના જ્ઞાનાવરણીય અવિભાગ પરિચ્છેદ વડે આવેપ્ટનપરિવેટનનો અભાવ છે. મનુષ્યની અપેક્ષાએ આવેષ્ટિત-પરિવેષ્ટિતપણામાં તેના ઈતરનો સંભવ હોવાથી કથંચિત્ આવેષ્ટિત આદિ કહ્યું. એ પ્રમાણે દર્શનાવરણીય, મોહનીય, અંતરાયમાં પણ કહેવું. વેદનીય, આયુ, નામ, ગોત્રમાં ફરી જીવ પદ માફક ભજના કહેવી, ૨૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સિદ્ધની અપેક્ષાએ. મનુષ્યપદમાં આમ નથી. તેમાં વેદનીયાદિનો સભાવ છે. - - હવે જ્ઞાનાવરણને બાકીના સાથે ચિંવતે છે – • સૂત્ર-૪૩૬,૪૩૭ : [13] ભગવન્જેના જ્ઞાનાવરણીય છે, તેના દર્શનાવરણીય પણ છે અને જેના દર્શનાવરણીય છે, તેના જ્ઞાનાવરણીય પણ છે? ગૌતમાં નિયમ : x - આ બંને હોય. • • ભગવતા જેના જ્ઞાનાવરણીય છે, તેના વેદનીય છે, જેના વેદનીય છે તેના જ્ઞાનાવરણીય પણ છે? ગીતમાં જેના નtવરણીય છે, તેના વેદનીય નિયમ છે, પણ જેના વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય કદાચ હોય, કદાચ ન હોય. ભગવના જેના જ્ઞાનાવરણીય છે, તેના મોહનીય છે, જેના મોહનીય છે, તેના જ્ઞાનાવરણીય છે? ગૌતમાં જેના જ્ઞાનાવરણીય છે તેના મોહનીય કદાય હોય, કદાચ ન હોય. જેના મોહનીય હોય, તેના જ્ઞાનાવરણીય નિયમો હોય. • • ભગવન! જેના જ્ઞાનાવરણીય છે, તેને આયુ છે, એ પ્રમાણે જેમ વેદનીય કહ્યું તેમ આમાં પણ કહે. એ પ્રમાણે નામકમાં, ગોઝક્રમમાં પણ કહેવું. જે રીતે દર્શનાવરણીય સાથે કહ્યું તે પ્રમાણે અંતરાયમાં પણ નિયમથી પરસ્પર સહભાવ છે. ભગવન્! જેને દર્શનાવરણીય કર્મ છે, તેને વેદનીય છે, જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે? જે પ્રમાણે જ્ઞાનાવરણીયનું કથન ઉપર સાત કમ સાથે કર્યું, એ જ પ્રકારે દર્શનાવરણીય કર્મનું પણ અંતરાયકર્મ સુધી છ કમ સાથે કથન કરવું. - ભગવન! જેને વેદનીય છે, તેને મોહનીય છે અને જેને મોહનીય છે, તેને વેદનીય છે? ગૌતમાં જેને વેદનીય છે, તેને મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. જેને મોહનીય છે, તેને વેદનીય નીયમાં હોય. ભગવન્! જેને વેદનીય છે, તેને આય? આ બંને નિયમો પરસ્પર સાથે હોય. જેમ યુની સાથે વેદનીય કહ્યું તેમ નામ સાથે અને ગોત્ર સાથે પણ કહેવું. - ભણવના જેને વેદનીય હોય, તેને અંતરાય હોય? પૃચ્છા. ગૌતમાં જેને વેદનીય હોય, તેને અંતરાય કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને અંતરાય હોય તેને વેદનીય નિયામાં હોય. ભગવનજેને મોહનીય, તેને આયુકર્મ અને જેને હું તેને મોહનીય કર્મ છે? ગૌતમાં જેને મોહનીય તેને આયુ નિયમ છે, જેને આયુકર્મ છે, તેને મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. આ પ્રમાણે નામ, ગોમ અને અંતરાય પણ કહેવું. • - ભગવન જેને આયુકર્મ હોય તેને નામકર્મ હોય? પૃચ્છા. બંને પરસ્પર નિયમ હોય. • - આ પ્રમાણે ગોત્રકમ સાથે પણ કહેવું. • : ભગવન! જેને આયુકર્મ હોય તેને અંતરાય? પૃચ્છ. ગૌતમાં જેને આયકર્મ હોય, તેને અંતરાયકર્મ કદાચ હોય, કદાય ન હોય. પણ જેને અંતરાય હોય તેને આયુ નિયમો હોય.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy