SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-/૩/૧૭૯,૧૮૦ એ જ કર્મ. વેદના એટલે કર્મનો અનુભવ. તે પછી જ થાય. હવે ક્રિયાને જ સ્વામીભાવે નિરૂપે છે - શ્રમણોને ક્રિયા હોય ? હોય. પ્રમાદને લીધે - જેમકે - દુષ્પ્રયુક્તકાય ક્રિયાજન્ય કર્મ, યોગને લીધે ઈપિથિકી ક્રિયાથી ઉપજતું કર્મ - - ક્રિયા અધિકારથી જ કહે છે – ૨૦૫ - સૂગ-૧૮૧ - ભગવના જીવ હંમેશા માપૂર્વક કરે છે, વિવિધ રીતે કરે છે, ચાલતાસ્પંદનથી-ઘટ્ટણથી-ક્ષોભથી-ઉદીરણાથી તે તે ભાવે પરિણમે? હા, મંડિતપુત્ર! એમ જ છે. ભગતના જ્યાં સુધી તે જીવ હંમેશા માપૂર્વક સાતત્ પરિણમે છે, ત્યાં સુધી તે જીવની અંતે તક્રિયા થાય? ના, તેમ નથી. એમ કેમ કહ્યું? મંડિતપુત્ર! જ્યાં સુધી તે જીવ સદા સમિત ન કરે યાવત્ ન પરિણમે, ત્યાં સુધી તે જીવ આરંભસંરંભ-સમારંભ ન કરે, આરંભ-સંરંભ-સમારંભમાં ન વર્તે, આરંભ-રંભ-સમારંભ ન કરતો, આરંભાદિમાં ન વર્તાતો ઘણાં પાણાદિને દુઃખ યાવત્ પરિતાપ ન આપીને રહે છે. જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાંખે કે તુરંત બળી જાય. એ બરાબર છે?, હા બરાબર છે. જેમ કોઈ પુરુષ જલબિંદુને તપેલા લોઢાના કડાયા ઉપર નાંખે, તો હે મંડિતપુત્ર! તેનો તુરંત નાશ થાય? હા, થાય. જેમ કોઈ દ્રહ હોય તે પાણીથી ભરેલો, છલોછલ ભરેલો, છલકાતો, વૃદ્ધિ પામતો હોય, ભરેલા ઘડા માફક બધે સ્થાને પાણીથી વ્યાપ્ત હોય, તેમાં કોઈ પુરુષ સેંકડો નાના કાણાવાળી અને સેંકડો મોટા કાણાવાળી નાવને પ્રવેશાવે, તો હે મંતિપુત્ર! તે નાવ પાણીથી ભરાતા પૂર્ણ, પૂર્ણ પ્રમાણ યાવત્ ભરેલા ઘડા જેવી થઈ જાય? હા, થાય. કોઈ પુરુષ તે નાવનાં બધાં કાણાં પૂરી દે, નૌકાનું પાણી ઉલેચાવી નાંખે, તો બધું પાણી ઉલેચાયા બાદ તે નાવ શીઘ્ર જ ઉપર આવે? હા, આવે - - હૈ મંડિતપુત્ર! એ રીતે આત્મામાં સંવૃત્ત થયેલ ઈસિમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી, સાવધાનીથી ચાલતા-ઉભતા-બેસતા-સુતા, સાવધાનીથી વરુ-પા-કંબલ-પાદોછન લેતા-મૂકતા અણગારને યાવત્ આંખ પટપટાવતા પણ વિમત્રાપૂર્વક સૂક્ષ્મ ઈપિથિકી ક્રિયા થાય છે અને પ્રથમ સમયે બદ્ધ સૃષ્ટ, બીજા સમયે વેદાયેલી, ત્રીજા સમયે નિર્જરા પામેલી તે ક્રિયા ભવિષ્યકાળે અકર્મ થાય છે. તેથી મંડિતપુત્ર! એમ કહ્યું કે - યાવત્ - ૪ - તે જીવને અંતક્રિયા થાય છે. • વિવેચન-૧૮૧ : જો કે અહીં સામાન્યથી જીવનું ગ્રહણ કર્યુ છે, તો પણ યોગવાળો જીવ જ લેવો. કેમકે યોગરહિત જીવને એજનાદિ ક્રિયા ન હોય. - ૪ - વૅફ આદિ - કંપે છે, વિશેષ કંપે છે, એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે, કિંચિત્ ચાલે છે, બીજા મતે અન્ય અવકાશે જઈને વળી ત્યાં જ આવે છે, સર્વે દિશાઓમાં ચાલે છે અથવા બીજા પદાર્થનો સ્પર્શ કરે છે, ક્ષોભ પામે છે અથવા પૃથ્વીમાં પ્રવેશે છે કે બીવે છે, પ્રબળતાથી પ્રેરે છે અથવા બીજા પદાર્થનું પ્રતિપાદન કરે છે. શેષ ક્રિયા ભેદના સંગ્રહ માટે કહે છે – ઉત્શેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણાદિ પર્યાયોને પામે છે. - ૪ - ૪ - = ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અંત મરણાંત, અંતરિય સકલ કર્મના નાશરૂપ ક્રિયા.. આરંભ - પૃથ્વી આદિને ઉપદ્રવ કરે છે, મંરંભ - તેના નાશનો સંકલ્પ કરે છે સમારંભ - તે જીવોને પરિતાપે છે - ૪ - ક્રિયા અને ક્રિયા કરનાર એ બંને જુદા નથી. એ વાત જણાવવાને આ સૂત્ર સમાનાધિકરણપૂર્વક કહ્યું છે. વળી તે બંનેમાં કિંચિત્ ભેદ પણ છે, એ વાત જણાવવા વ્યધિકરણપૂર્વક કહ્યું છે. અધિકરણરૂપ જીવ આરંભ-સંરંભ-સમારંભમાં વર્તે છે. આરંભાદિ કરતો એ વાક્યથી ક્રિયા અને ક્રિયા કરનારને અભેદ સૂચવ્યા છે. આરંભમાં વર્તતો આદિ વાક્યથી તેમાં ભેદ સૂચવેલ છે. આ બીજો ઉલ્લેખ પહેલાના અનુવાદરૂપે છે, તેને પહેલાના ઉલ્લેખના સમર્થન માટે જણાવેલ છે. - x - મરણરૂપ દુઃખ પમાડ્યુ અથવા ઈષ્ટ વિયોગાદિ દુઃખનો હેતુ પમાડવા તેમાં વર્તે છે. એ રીતે દીનતા ૫માડવી, શોકવૃદ્ધિથી શરીરને જીર્ણતા પમાડવી, શોકને વધારી રોવડાવવા, પીટાવવા અને પછી શરીરને સંતાપ દેવામાં વર્તે છે. ક્યાંક ‘દુઃખ આપવામાં એવો પણ પાઠ છે. - X - X - ૨૦૬ - કહેલ વાતથી વિપરીત વાતને કહે છે – શૈલેશીકરણ વખતે યોગના નિરોધી કંપતો નથી, એજનાદિ રહિત હોવાથી આરંભાદિમાં વર્તાતો નથી. તેમજ પ્રાણ આદિને દુઃખાદિનું કારણ થતો નથી. તેથી યોગનિરોધ નામના શુક્લધ્યાન વડે અક્રિય આત્માની સકલકર્મ ધ્વંસરૂપ અંતક્રિયા થાય છે. તે સંબંધે બે દૃષ્ટાંતો દર્શાવેલ છે - x - એ જ રીતે શુક્લ ધ્યાનના ચોથા ભેદરૂપ અગ્નિ વડે કર્મોનું દહન થાય છે. ક્રિયારહિત મનુષ્યને જ અંતક્રિયા થાય છે, તે માટે નાવનું દૃષ્ટાંત આપેલ છે - x - તેમાં આત્મામાં આત્મા વડે સંવૃત્ત-પ્રતિસંલીન. - x - માઽત્ત - ઉપયોગપૂર્વક. ગમનાદિ સ્થૂળ ક્રિયામાં જ ઉપયોગ નહીં, પણ આંખની ઉન્મેષ અને નિમેષ ક્રિયામાં પણ ઉપયોગ રહે છે. વિમાત્રા એટલે અંતર્મુહૂર્વથી દેશોન પૂર્વકોટિ પર્વતની ક્રિયા. કેમકે કાળ વિચિત્ર છે. - x - ક્યાંક પેા પાઠ છે. એટલે સ્વેચ્છાએ ચક્ષુની પાંપણનું ઢળવું થાય છે, તે પસ્કૃત નથી. સુષુમ - સૂક્ષ્મ બંધાદિ કાળવાળી. પિચિા - જવાના માર્ગમાં થયેલી જે ક્રિયા - કેવળશરીરહેતુક ક્રિયા, તેથી સાતા વેદનીયકર્મ થાય છે. ઉપશાંત મોહ, ક્ષણમોહ, સયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનકે વર્તતા વીતરાગ પણ સક્રિય હોવાથી સાતા વેદનીય કર્મ બાંધે, તે ઈર્યાયિકી ક્રિયા પ્રથમ સમયે કર્મપણે ઉત્પન્ન કરી માટે બાંધી-જીવ પ્રદેશ સાથે તેનું સ્પર્શન થયું, બીજા સમયે વેદન થયું - અનુભવી, ત્રીજા સમયે અનુભવાઈ રહી, માટે જીવના પ્રદેશોથી છુટી પડી ગઈ. આ જ વાત વાક્યાંતરથી કહે છે - પ્રથમ સમયે બંધાઈ અને સ્પર્શાઈ, બીજા સમયે વેદી-અનુભવાઈ, એક કાળે ઉદીરણા અને ઉદય સંભવતો નથી. તેથી ઉદીરિત શબ્દ અહીં વેદિત અર્થમાં યોજ્યો છે. ત્રીજે તો નિર્જરી તેથી ભાવિકાળમાં તે અકર્મ પણ થઈ જાય છે. જો કે અહીં ત્રીજે સમયે જ કર્મ અકર્મ થઈ જાય છે. તો પણ તે જ વખતે ભાવકર્મની રહિતતા હોવાથી અને દ્રવ્યકર્મની હાજરી હોવાથી, ત્રીજે સમયે કર્મ નિર્જીર્ણ થયું એમ વ્યવહાર છે - x - ગત્તત્તાસંવુડ સૂત્રથી સૂચવે છે - આશ્રવવાળો સંયત પણ કર્મનો બંધ કરે તો
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy