SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ I-IB૦૯ થી ૧૧ કરી શકે :- જાતિનુલ-વિનય-જ્ઞાન-દર્શન-વ્યાત્રિસંપન્ન, જ્ઞાંત, દાંત. [૧૦] પ્રાયશ્ચિત્ત આઠ ભેદે કહ્યું છે - આલોચના ચોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય, વિવેક યોગ્ય વ્યુત્સર્ગ યોગ્ય, તપ યોગ્ય, છેદ યોગ્ય, મૂલ યોગ્ય. [૧૧] આઠ મદાનો કા છે – જાતિમદ, કુલમદ, ભલમદ, રૂપમદ, તપમદ, ચુતમદ, લાભમદ, ઐશયમદ. • વિવેચન-૩૦૯ થી ૩૧૧ - (૦૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- (૧) માયારd - જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાનુ-જ્ઞાનક્રિયાથી યુક્ત. (૨) આદરd - અવધારણાવાનું, આલોચના કરનારે ન આલોચેલ અતિચારોનો નિશ્ચય કરનાર. * (3) વ્યવહારવાનું - ઉક્ત સ્વરૂપવાળા આગમ-શ્રુતજ્ઞા -ધારણા-જીતવાણ પાંચ વ્યવહારનો જ્ઞાતા. (૪) અપવીડક-લજ્જારહિત કરે છે. અર્થાત્ જે લજ્જાથી સમ્યક્ આલોચના ન કરતો હોય, તે જેમ બધાં દોષો સમ્યક આલોચે તેમ કરે છે (૫) પવષ્ય - આલોચના કર્યા છતાં જે પ્રકર્ષથી શુદ્ધિને કરાવે છે તે પ્રકારી. • x • (૬) અપરિશ્રાવી-જેના મુખથી ગુપ્ત વાત શ્રવતી નથી - આલોચકના દોષોને સાંભળીને બીજા પાસે પ્રતિપાદન ન કરવાના સ્વભાવવાળો છે. • x • () નિયપિક - એ રીતે નિયપિના કરે છે કે જેમ શિષ્ય, મોટા પ્રાયશ્ચિતનો પણ નિર્વાહ કરી શકે છે તે. - ૪ - (૮) અપાયદર્શી - મપાય - અનર્થ, શિષ્યના અનર્થોને જોવાના અનિર્વાહ આદિ. દુભિક્ષ અને દુર્બળતાથી કરાયેલ અનર્થોને જોવાના સ્વભાવવાળો અથવા સમ્યમ્ આલોચના ન કરવામાં દુર્લભબોધિત્વ આદિ અપાયો શિષ્યોને બતાવે છે તે. •X • અત્તરો - પોતાનો અપરાધ. (૧) જાતિ-માતૃપા, (૨) કુલ-પિતૃપક્ષ, જે બંને વડે સંપન્ન હોય તે પ્રાયઃ અકૃત્યને ન કરે. કરીને પશ્ચાત્તાપથી આલોચના કરે છે માટે બંનેનું ગ્રહણ કરે છે. • x - (3) વિનયસંપન્ન સુખથી જ આલોચે છે. (૪) જ્ઞાનસંપન્ન, દોષવિપાક કે પ્રાયશ્ચિત્તને જાણે છે. • x - (૫) દર્શનસંપન્ન-હું શુદ્ધ છે એમ સહે છે. (૬) ચારિત્ર સંપન્ન વારંવાર અપરાધ કરતો નથી, સમ્યફ આલોચે છે, પ્રાયશ્ચિતને નિવહેિ છે • x • () ક્ષાંત-ક્ષમાવાળો, આચાર્યએ કઠોર વચન કહ્યું હોય તો પણ રોષ કરતો નથી. - 1 - (૮) દાંત-આપેલ પ્રાયશ્ચિતનો તિવહિ કરવા માટે સમર્થ હોય છે - x • [૧૦] આલોચના ઇત્યાદિ. પ્રાયઃ વ્યાખ્યાત છે. [૧૧] જાતિ આદિ મદ હોય તો આલોચનામાં પ્રવર્તતો નથી માટે મદના સ્થાનનું સત્ર છે. તેનો અર્થ કહેલો છે. વિશેષ એ કે- મદ સ્થાન એટલે મદના ભેદો. અહીં દોષો - જાતિ આદિ મદથી ઉન્મત્ત પિશાચવતુ દુઃખી થાય છે અને પરભવે નિસંશય જાતિ આદિ હીનતા પામે છે. ૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વાદીઓને પ્રાયઃ શ્રુતમદ હોય છે માટે વાદિને કહે છે• સૂગ-૩૧૨ - આઠ અક્રિયાવાદી કહ્યા છે - એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિર્મિતવાદી, સાતવાદી, સમુચ્છેદવાદી, નિત્યવાદી, નમંતિપરલોકવાદી. • વિવેચન-૭૧૨ : કિયા “છે' એવા રૂપવાળી સમસ્ત પદાર્થના સમૂહમાં વ્યાપતી તે જ અયથાર્થ વસ્તુના વિષયપણે કુત્સિતા તે અક્રિયા ‘' શબ્દ કુત્સા અર્થમાં છે. તે અક્રિયાને બોલવાના સ્વભાવવાળા એ કિયાવાદી. યથાવસ્થિત વસ્તુ અનેકાંતાત્મક નથી પણ એકાંતાત્મક જ છે, એમ સ્વીકારનારા અથતુ નાસ્તિકો, એમ બોલવાથી તેઓ પરલોક સાધક ક્રિયાને પણ પરમાર્થથી કહેતા નથી. તેઓના મતમાં વસ્તુનો સદ્ભાવ છતાં પણ પરલોકને સાધક કિયાના અયોગથી તેઓ અક્રિયાવાદી જ છે. (૧) તે વાદીઓમાં એક જ આત્માદિ પદાર્થ છે એમ બોલ તે એકવાદી. - x • આ મતને અનુસરનારાઓએ કહ્યું છે કે – એક જ ભૂતરૂપ આત્મા, પ્રત્યેક ભૂતમાં રહેલો છે. જળમાં ચંદ્ર માફક તે એક અનેક પ્રકારે દેખાય છે. બીજો એક વાદી તો આત્મા જ છે, પણ બીજો કોઈ પદાર્થ નથી એમ સ્વીકારે છે. કહે છે કે – પુરષ જ આ અગ્નિ છે, જે સર્વ થયેલ છે અને થશે અથવા અમરપણાનો નાયક છે, જે અન્ન વડે વધે છે, જે કંપે છે, જે કંપતો નથી, જે દૂર છે, જે સમીપે છે, જે અંતરથી છે આદિ કહે છે તથા નિત્ય જ્ઞાનથી વર્તતો, પૃથ્વીતેઉ-જલાદિવાળો આ આત્મા તદાત્મક જ છે. વળી શબ્દાદ્વૈતવાદી, બધું શબ્દાત્મક છે, એ રીતે એકત્વ માને છે. કહે છે કે - શબ્દ તવરૂપ જે અક્ષર, અર્થભાવ વડે વર્તે છે તે અનાદિ અનંત બ્રહ્મ છે, જેથી આ ગની પ્રક્રિયા છે - અથવા - - સામાન્યવાદી બધું એક જ સ્વીકારે છે, કેમકે સામાન્યનું એકપણું છે, એ રીતે અનેક પ્રકારે એકવાદી છે, એનું અક્રિયાવાદીપણું તો તેનાથી અન્ય સભૂત રહેલા છતાં ભાવોને “નથી” એમ બતાવી અને યુક્તિઓ વડે અઘટમાન આત્માદ્વૈત, પુરષદ્વૈત, શબ્દાદ્વૈતાદિના અસ્તિપણાનો સ્વીકાર કરવાથી એમ આગળ પણ જાણવું. (૨) કથંચિત્ એકપણું છતાં સર્વથા - એકાંતે ભાવોનું અનેકપણું કહે છે તે અનેકવાદી. પરસ્પર વિલક્ષણ જ ભાવો છે, તે રીતે જ પ્રમાણ કરાય છે. જેમ રૂપ રૂપાણાએ છે. ભાવોના અભેદમાં તો જીવ, અજીવ, બદ્ધ, મુક્ત, સુખી, દુ:ખી વગેરેનો એકપણાનો પ્રસંગ થવાથી દિક્ષાદિ નિરર્થક થશે. વિશેષ એ – સામાન્યને અંગીકાર કરીને બીજા વાદીઓએ એકપણે વિવક્ષેલ છે. પણ સામાન્ય ભેદથી ભિgઅભિષપણાએ વિચારાતું ઘટતું નથી. એ રીતે અવયવોથી અવયવી, ધર્મોથી ધર્મ, એ પ્રમાણે અનેકવાદી કહે છે. એનું પણ અક્રિયાવાદીત્વ સામાન્યાદિ રૂપણાથી ભાવોનું એકવ હોવા છતાં પણ સામાન્યાદિના નિષેધથી છે, તેનો નિષેધ કરવાથી,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy