________________
3/૩/૧૮૧
સ્થાન-૩ - ઉદ્દેશો-૩ જી
:
— x — x — x -
૧૮૫
• ભૂમિકા
બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો કહે છે, તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૩માં જીવના વિચિત્ર ધર્મો પ્રરૂપ્યા. અહીં પણ તેની જ પ્રરૂપણા કરે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાના આદિ ત્રણ સૂત્રો આ છે–
• સૂત્ર-૧૮૧ ઃ
(૧) ત્રણ સ્થાને માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિક્રમે નહીં, નિર્દે નહીં, મહેં નહીં, વિચારને દૂર ન કરે, વિશોધે નહીં, ફરી ન કરવા તત્પર ન થાય, યથાયોગ્ય પ્રાયશ્ચિત તપોકમને સ્વીકારે નહીં, તે આ પ્રમાણે - મેં આ [પાપ] કર્યુ છે, હું કરું છું, હું કરીશ [તો શા માટે આલોચનાદિ કરું?
(૨) ત્રણ સ્થાને માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિક્રમે નહીં યાવત્ તપશ્ચર્યા અંગીકાર ન કરે તે આ - મારી અકીર્તિ થશે, મારો અવર્ણવાદ થશે, મારો અવિનય થશે. - - (૩) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચના ન કરે યાવર્તી પ્રાયશ્ચિત્ત તપ ન સ્વીકારે - તે આ - મારી કીર્તિની હાનિ થશે, મારા યશની હાનિ થશે, મારા પૂજા સત્કારની હાનિ થશે.
(૪) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચના કરે, પ્રતિક્રમે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે છે - માયાવીને આ લોક ગર્ભિત થાય છે, ઉપપત ગર્ભિત થાય છે, આગામી જન્મ ગર્તિત થાય છે. (૫) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચે છે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે છે અમાયાવીને આ લોક પ્રશસ્ત થાય છે, ઉપપ્પાત પ્રશસ્ત થાય, આગામી જન્મ પ્રશસ્ત થાય.
(૬) ત્રણ સ્થાને માયાવી માયા કરી આલોચે યાવત્ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે - જ્ઞાનના લાભ માટે, દર્શનના લાભાર્થે, ચાસ્ત્રિના લાભાર્થે. • વિવેચન-૧૮૧ :
આ સૂત્રનો પૂર્વના સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં મિથ્યાદર્શનવાળાની અજ્ઞાનતા કહી. અહીં કષાયવાળાની કહે છે. એ સંબંધ છે.
માયાવાળો માયાવિષયક ગુપ્ત અકાર્ય કરીને તે માયાની આલોચના ન કરે, શેષ સુગમ છે. વિશેષ કહે છે - આનોવન - ગુરુને નિવેદન કરવું. પ્રતિમણ - મિથ્યાદુષ્કૃત આપવું, નિન્દા - આત્મસાક્ષીએ નિંદવું. ન - ગુરુ સાક્ષીએ ગર્હા, વિોટન - તેના વિચારને દૂર કરવો, વિશોધન - આત્મા કે ચાસ્ત્રિના અતિચારરૂપ મળને ધોવો. ફરીથી પાપ ન કરવાને સ્વીકારવું. યથાયોગ્ય, પચ્છિન્ન - પાપનું છેદન કરનાર કે પ્રાયઃ ચિત્તને વિશુદ્ધ કરનાર, તપ:મં - વિગઈ ત્યાગ આદિને સ્વીકારે. તે આ પ્રમાણે—
મેં આ પાપકર્મ કર્યુ માટે નિંદા યોગ્ય તેની આલોચના કેમ કરું ? - પોતાના
૧૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ માનની હાનિ થાય એવા અભિમાનથી, હાલ પણ હું આ પાપ કરું છું માટે સારું નથી એમ કેમ કહું? હું આ અકૃત્ય ભાવિમાં પણ કરીશ તો કેમ પ્રાયશ્ચિત સ્વીકારું ?... ીતિ - એક દિક્ઝામિની પ્રસિદ્ધિ, યજ્ઞ: - સર્વ દિશામાં વિસ્તરતી પ્રસિદ્ધિ તે વર્ણયશ અથવા દાન-પુન્યના ફલરૂપ કીર્તિ અને પરાક્રમથી જે થાય તે યશ-વર્ણ છે. તે બંનેનો નિષેધ તે અકીર્તિ અને અવર્ણ, મને સાધુઓથી અવિનય થાય. આ સૂત્ર જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થયેલ નથી એવા પુરુષની અપેક્ષાવાળું છે.
માયાને કરીને અર્થાત્ માયા વડે માયાને આગળ કરીને હીન થશે, પુષ્પાદિ વડે પૂના, વસ્ત્રાદિ વડે સાર, આ બંને એકરૂપત્વથી વિવક્ષિત હોવાથી એક છે. આ સૂત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત પુરુષની અપેક્ષાએ છે. શેષ સુગમ.
ઉક્ત કથનથી વિપરીત કહે છે - ત્રણ સૂત્રો સ્પષ્ટ છે, પરંતુ અહીં અકાર્ય કરવાના કાળમાં જ માયાવી. પણ આલોચનાદિ કાળમાં તો અમાયાવી જ હોય. જો
તેમ ન હોય તો આલોચનાદિ સફળ જ ન થાય... જેથી માયાવીને આ લોક આદિ ગર્તિત થાય છે. જે કારણથી અમાયાવીને આલોક આદિ પ્રશસ્ત થાય છે... જેથી અમાયાવી આલોચનાદિ વડે નિતીચારભૂત થઈને જ્ઞાનાદિ સ્વસ્વભાવને મેળવે છે, આ કારણથી હું માચારહિત થઈને આલોચનાદિ કરું છું એ ભાવના છે. પ્રથમ શુદ્ધિ કહી, હવે તે કરનારની અત્યંતર સંપદા ત્રણ પ્રકારે કહે છે—
• સૂત્ર-૧૮૨ થી ૧૮૫ :
[૮૨] પુરુષો ત્રણ પ્રકારે કહ્યા છે - સૂત્રધારક, અર્થધાક, ઉભયધારક. [૧૮૩] -૧- નિર્ગુન્થ કે નિર્ગુન્શીને ત્રણ પ્રકારના વસ્ત્રો ધારણ કરવા અથવા પહેરવા કરે છે - જાંગિક [ઉનનું], ભંગિક [શમી], સૌમિક [સુતરાઉ]. -૨- સાધુ-સાધ્વીને ત્રણ પાત્ર ધારવા કે વાપરવા કો-તુંબ-કાષ્ઠ-માટીનું પાત્ર. [૧૮૪] ત્રણ કારણે વસ્ત્રો ધારણ કરે :- લજ્જા - દુર્ગાછા - પરીષહ
નિમિત્તે.
[૧૮૫] ત્રણ આત્મરક્ષકો કહ્યા છે - ધાર્મિક પ્રેરણા વડે ઉપદેશ કરનાર, અસમર્થ હોવાથી મૌન રહે, અસમર્થ હોવાથી ઉઠીને એકાંતમાં ચાલ્યા જાય. તૃષાદિથી ગ્લાન સાધુને ત્રણ પ્રકારે પાણીની દત્તિ લેવાનું ક૨ે, તે આ પ્રમાણે - ઉત્કૃષ્ટદત્તિ, મધ્યમદત્તિ, જઘન્યદતિ
• વિવેચન-૧૮૨ થી ૧૮૫ -
[૧૮૨] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - આ ત્રણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.
[૧૮૩] તેમની જ બાહ્ય સંપદાને બે સૂત્ર વડે કહે છે - લ્પતે - યોગ્ય છે, ધારિત્તમ્ - પરિગ્રહ ધરવામાં, પત્તું - પરિભોગ કરવા માટે - અથવા - ધારણ કરવાથી ઉપભોગ અને પરિહરણથી પરિભોગ જાણવો.
ખંશિય - જંગમ પ્રાણીથી ઉત્પન્ન - ઉન આદિના વસ્ત્ર. શિવ - અતીમય, ોમિય - કપાસનું બનેલ. સ્નાયુ - તુંબડુ, વારું - લાકડાનું, સ્મૃતિૉ - માટીનું પાત્ર