SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/-/38,393 ૧૩ સૂગ-૩૩૨,૩૩૩ : જેમ હાથીઓમાં ઐરાવત, મૃગોમાં સિંહ, નદીમાં ગંગા, પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે, તે રીતે નિવણવાદીઓમાં જ્ઞાતપુત્ર વીર શ્રેષ્ઠ છે. જેમ યોદ્ધાઓમાં વિશ્વન, પુષ્પોમાં કમળ, ક્ષત્રિયોમાં દંતવક્ક શ્રેષ્ઠ હતા, તેમ ઋષિઓમાં ભગવંત વધમાન શ્રેષ્ઠ છે. • વિવેચન-૩૨,૩૩૩ - જેમ ઉત્તમ હાથી મળે શકેન્દ્રનું વાહન ઐરાવણ પ્રસિદ્ધ દાંતભૂત અથવા પ્રધાન છે, તેમ તજજ્ઞ કહે છે. શ્વાપદો મળે કેસરીસિંહ પ્રધાન છે. ભરત ક્ષેત્રની અપેક્ષાએ પાણીમાં ગંગાનદીનું પાણી શ્રેષ્ઠ છે, પક્ષીમાં વેણુદેવ-ગરુડ શ્રેષ્ઠ છે, આ પ્રમાણે નિર્વાણ-સિદ્ધિોત્ર-કર્મક્ષય લક્ષણ છે - તેનું સ્વરૂપ બતાવનાર કે તે મેળવવાનો ઉપાય કહેનારામાં જ્ઞાત ક્ષત્રિય પુત્ર - શ્રીમન મહાવીર વર્ધમાન સ્વામી મુખ્ય છે, કેમકે તેઓ યથાવસ્થિત નિવણ પદાર્થના બતાવનારા છે. યોદ્ધાઓમાં જેમ વિશ્વસેન - હાથી, ઘોડા, રથ, પદાતિ એ ચતુરંગ સૈન્ય સમેત જે ચક્રવર્તી છે, તે દષ્ટાંતભૂત છે - શ્રેષ્ઠ છે. પુષ્પોમાં જેમ ચારવિંદ • કમળ શ્રેષ્ઠ છે તથા ક્ષત્ત - મારથી બચાવે તે ક્ષત્રિય, તેઓમાં જેના વાક્ય વડે શણુઓ ઉપશાંત થયા છે, તે દાંતવાક્ય - ચક્રવર્તી છે તે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ઘણાં પ્રશસ્ત દેટાંતો બતાવીને હવે ભગવંતને તેમના નામપૂર્વક પ્રશંસતા કહે છે કે - ઋષિઓ મધ્યે શ્રીમાન વર્ધમાન સ્વામી - મહાવીર શ્રેષ્ઠ છે - તથા - • સૂત્ર-39૪,૩૩૫ * જેમ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં નિરdધ સત્ય છે, તપોમાં બહારગર્ય ઉત્તમ છે, તેમ લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ છે. જેમ સ્થિતિમાં લવસપ્તમ દેવ શ્રેષ્ઠ છે, સભાઓમાં સુધમાં સભા શ્રેષ્ઠ છે, સર્વધામોંમાં નિવણ શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાતપુત્રથી પરમ કોઈ જ્ઞાની નથી. • વિવેચન-39૪,૩૫ : - પોતાના અને પારકાના અનુગ્રહ માટે યાચકોને જે અપાય તે દાન અનેક પ્રકારે છે, તે બધામાં જીવિતના અર્થી જીવોમાં રક્ષણ આપનાર હોવાથી અભયદાના શ્રેષ્ઠ છે. કહ્યું છે કે - મરનારાને કોઈ કરોડ (રૂપિયા આપે અને બીજો જીવિત જ આપે, તે વખતે મરનારો ધનને નહીં પણ જીવિતને ઇચછશે. આ વાત ગોવાળ, સ્ત્રી આદિ સુખેથી સમજે, તે માટે અભયદાનનું પ્રાધાન્ય બતાવવા માટે દષ્ટાંત કહે છે. - તે આ પ્રમાણે વસંતપુર નગરમાં અરિદમન નામે રાજા હતો. તે કોઈ વખતે ચારે રાણી સહિત ઝરખામાં ક્રીડા કરતો રહેલો છે, કોઈ વખતે સતા કણેરની માળા મસ્તક પર લટકાવેલો, લાલ વસ્ત્ર પહેરેલો, લાલ ચંદનથી લેપ કરેલો મારવાના કારણની ડાંડી પીટાતા રાજમાર્ગેથી લઈ જવાતો ચોર રાણીસહિત રાજાએ જોયો. રાણીઓએ પૂછ્યું કે આ ચોરે શું અપરાધ કર્યો છે? ત્યારે એક રાજપુરુષે કહ્યું કે - તેણે ચોરી કરીને ૧૩૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રાજવિરુદ્ધ કૃત્ય કર્યું છે. તેથી એક લણીએ રાજાને કહ્યું, આપે પૂર્વે મને વચન આપેલ છે, તે હવે પાળો. જેથી હું તેને કંઈ ઉપકાર કરું. રાજાની આજ્ઞાથી તે ગણીએ તે ચોરને સ્નાનાદિ કરાવી, અલંકાર પહેરાવી, હજાર સુવર્ણમહોર ખર્ચી પાંચ પ્રકારના શબ્દાદિ વિષયોથી એક દિવસ ખુશ કર્યો, એ રીતે બીજે દિવસે બીજી રાણીએ લાખ દિનાર વ્યય કરી ખુશ કર્યો. બીજે દિવસે ત્રીજી સણીએ કરોડ દિનાર વ્યય કરી સત્કાર્યો, ચોથી અભયદાન આપી મરણથી બચાવ્યો. ત્યારે ત્રણ ગણીએ ચોથીની મજાક કરી કે તે કંઈ ન આપ્યું. આ પ્રમાણે પરસ્પર પોતે કરેલા ઉપકાર વિશે વિવાદ થતાં, રાજાએ ચોરને બોલાવી પૂછ્યું, તારા ઉપર કોણે વધુ ઉપકાર કર્યો? ચોરે કહ્યું - મરણના ભયથી મને નાનાદિમાં કોઈ સુખ ન લાગ્યું. પણ અભયદાત સાંભળતાં નવો જન્મ મને મળ્યો રોમાં આત્માને આનંદ થયો. એ રીતે સર્વ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, તે સિદ્ધ થયું. તથા સત્ય વાક્યોમાં જે પરને પીડા ન આપે તે શ્રેષ્ઠ વચન છે. પણ પીડોત્પાદક સત્ય વચન નહીં. પુરુષોનું હિત કરે તે જ સત્ય છે. લોકમાં પણ સંભળાય છે કે કૌશિક નામનો કોઈ અનુચિત સત્ય બોલતા હણાઈ તીવ્ર વેદનાવાળા નકમાં ગયો. અન્યત્ર પણ કહ્યું છે - કાણાને કાણો, પંડકને પંડક, રોગીને રોગી, અને ચોતે ચોર ન કહેવો.. તપમાં ઉત્તમ નવવિધ ગુપ્તિ સમેત બ્રહ્મચર્ય પ્રધાન છે. તેવી જ રીતે સર્વ લોકોથી ઉત્તમ રૂપ-સંપદા અને સર્વ અતિશયયુક્ત શક્તિ અને ક્ષાયિક જ્ઞાન-દર્શન તથા શીલ [ચા]િ વડે શ્રમણ ભગવંત મહાવીર સાધુઓમાં શ્રેષ્ઠ છે. - આયુષ્યમાનોમાં જેમ લવસપ્તમ - પાંચમાં અનુતર વિમાનવાસી દેવો સર્વોત્કૃષ્ટ સ્થિતિ [આયુ વાળા હોવાથી પ્રધાન છે. જો તેમના મનુષ્ય જન્મમાં ધર્મ આરાધતાં સાત લવ જેટલો કાળ વધારે આયુ હોત તો તેઓ કેવળજ્ઞાન પામી મોક્ષામાં જાત. તેથી તેઓ લવસતમ કહેવાય છે. વળી પાર્ષદામાં જેમ સૌધમ ઇન્દ્રની પર્ષદા શ્રેષ્ઠ છે કેમકે ત્યાં અનેક ક્રીડા સ્થાનો છે. જેમ બધાં ધર્મો મોક્ષાથી પ્રધાન છે. કુપાવચનિકો પણ સ્વદર્શનનું ફળ મોક્ષ જ બતાવે છે. તે જ રીતે શ્રી વર્ધમાનસ્વામીનું સર્વાપણું છે, તેમના કેવળજ્ઞાનથી વિશેષ કોઈ વિજ્ઞાન નથી અર્થાત્ ભગવંત સર્વથા બીજી જ્ઞાનીથી અધિક જ્ઞાની છે. • સૂત્ર-396,398 ભગવંત આસપ્રજ્ઞ, પ્રવીતરા, કમવિદારનાર, આસતિરહિત, વસ્તુનો સંચય ન કરનાર, અભય કરનાર, વીર, અનંતચક્ષુ મહાભવસાગર પાર પામ્યા. અરહંત, મહર્ષિ, ભગવંત ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર અધ્યાત્મદોષોનો ત્યાગ કરીને કોઈ પાપ કરતા ન હતા, કરાવતા ન હતા. • વિવેચન-39૬,398 :પૃથ્વી જેમ સર્વના આધારરૂપે વર્તે છે તેમ ભગવંત મહાવીર બધા જીવોને
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy