SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫/૩૨,૩૨૮ ૧૫૯ ૧૬o સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અને કર્મના વિપાકને ન જોનારા છે. તેઓ જે રીતે દુષ્ટકૃત્ય કરે છે, દુકર્મ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધવાના સ્વભાવવાળા છે તેવા દુષ્કર્મકારી પૂર્વ જન્મોના સંચિત કર્મો જે રીતે વેદે છે તે કહીશ. • x• પરમાધામીઓ તથાવિધ કર્મોદયથી ક્રીડા કરવાને જ તેનારકોના હાથપગ બાંધીને વિવિધ શો વડે તેમનાં પેટને ચીરે છે તથા કશી ગણનામાં નહીં એવા બીયારા નાકોને લાકડી આદિ વડે હણીને, પીડાયેલા દેહને ચામડાના ટુકડા વડે મજબૂત બાંધીને પીઠ અને પડખામાંથી કાપે છે. • સૂત્ર-36,390 - પરમાધામીઓ નાસ્કોના હાથને મૂળથી કાપી નાંખે છે, મોઢામાં તપેલા લોઢાના ગોળા નાંખી બાળે છે. એકાંતમાં લઈ જઈ તેના પૂવકૃત પાપ યાદ કરાવી તેમજ કોશ્ચિત બનીને પીઠ પર ચાબુક મારે છે... તપેલા લોઢાની ગોm જેવી બળતી આગ જેવી ભૂમિ પર ચાલતાં નાસ્કો બળવાથી કરુણ રૂદન રે છે. તેને તપ્ત ધોંસરામાં છે અને પરોણાની તીક્ષ્ણ અણી મારી તેને પ્રેરિત કરે છે.. • વિવેચન-૩૨૯,૩૩૦ : તે નારકોને ત્રણ નકભૂમિ સુધી પરમાધામી અને બીજા નાસ્કો તથા ચોથીથી સાતમી નાકી સુધી ફક્ત બીજા નાકો બાહુને મૂળમાંથી છેદી નાંખે છે. તથા મોઢાં ફાડીને મોટા તપેલા ગોળા નાંખીને બાળે છે. એક એક નારકીને - x • સ્વકૃત વેદનાનું રૂપ પૂર્વ જન્મે કરેલા અનુષ્ઠાન તે અજ્ઞાનીને યાદ કરાવે છે. જેમકે - તપેલું તાંબુ પાતાં કહે છે, તું દારુ પીતો હતો ને? તેનું જ માંસ ખવડાવતા કહે કે - તને માંસ પ્રિય હતું ને? આમ પાપ સંભારીને કદર્થના કરે છે તથા નિકારણ કોપ કરીને પરોણા આદિથી તે પરવશ નાકજીવની પીઠમાં મારે છે - વીંધે છે. તથા તપેલા લોઢાના ગોળા સમાન બળતી આગની જમીન પર ચાલતાં બળવાથી દીનસ્વરે તે રાંક જીવો બરાડા પાડે છે તથા તપાવેલ ઘૂંસરામાં જોડીને ગળીયા બળદની જેવા ન ચાલવાથી તીર કે પરોણાથી વિંધાતા નારકો રડારોડ કરે છે. • સૂત્ર-336,33૨ - પરમાધામીઓ અજ્ઞાની-નારકોને તપેલા લોહપથ જેવી અને પરુયુક્ત ભૂમિ પર ચલાવે છે. કોઈ દુર્ગમ સ્થાને ચાલતાં રોકાઈ જાય તો બળદની માફક પરોણા મારી આગળ ધકેલે છે...બહુ વેદનામય માર્ગ પર ચાલતા તે નાકને મોટી શિલાથી માટે છે, સંતાપની નામક ચિરસ્થિત કુંભીમાં ગયેલ નારકજીવ લાંબા કાળ સુધી દુ:ખ ભોગવે છે. • વિવેચન-૩૩૧,૩૩૨ : તે નિર્વિવેકી-નારકીઓ બળતા લોઢાના માર્ગ જેવી તપ્ત ભૂમિ, જે લોહી અને પર આદિથી યુકત છે, તેમના પર બળાત્કારે ચલાવાતા તેઓ કરુણ રૂદન કરે છે. તથા અભિગ તે કુંભી-શાભલી આદિ તફ ગયેલાને પરમાધામીએ પ્રેરવા છતાં કોઈ ન જાય, તો કોપેલા પરમાધામી મજૂર કે બળદ ગણીને તેમને દંડથી હણીને કે પરોણા ઘોંચીને આગળ ચલાવે છે. પણ તેઓ સ્વેચ્છાએ ચાલવા કે ઉભા રહેવા પણ પામતા નથી. તે નારકો બહુ અસહ્ય વેદનાવાળા નરક માર્ગમાં ચાલતા જવા કે ઉભા રહેવા અસમર્થ બને તે માટે સન્મુખ ફેંકાતી શિલા વડે અસુરો મારે છે. તથા સંતાપનારી કુંભી જે ઘણાં કાળની છે, તેમાં ગયેલ જીવ લાંબાકાળ સુધી વેદના ગ્રસ્ત થઈ ત્યાં રહે છે - પૂર્વકૃત અશુભ અનુષ્ઠાનથી પીડાતો રહે છે. • સબ-333,૩૩૪ - ત્યાં નાકોને ભઠીમાં નાંખી પકાવે છે, પછી જ્યારે તે ઉપર ઉછળે છે ત્યારે કાક પક્ષી કે હિંસક પશુ ટોચી ખાય છે...ત્યાં એક ઉંચુ નિકિ અનિ સ્થાન છે ત્યાં ગયેલા તે શોકથી તપીને કરુણ રૂદન કરે છે ત્યાં તેનું માથું નીચું કરીને લોઢાના શોથી તેના ટુકડે ટુકડા કરી દેવાય છે. • વિવેચન-૩૩૩,૩૩૪ - તે બીચારા નાથ્વીને ભઠ્ઠીમાં નાંખીને પરમાધામીઓ પકાવે છે. ત્યાં બળતા એવા તે ચણાની માફક ભુંજાતા ઉંચે ઉછળે છે, ઉંચે ઉછળતા તેમને વિકર્વિત કાક પક્ષીઓ ખાતા તે બીજી દિશામાં નાસે છે, ત્યાં બીજા વિકલા સિંહ-વાઘ આદિ તેમને ફાળી ખાય છે. વળી ત્યાં કંઈક ઉંચા ચિતિકા આકારના નરક યાતના સ્થાનો છે. * * * ત્યાં નિઈમ અગ્નિના સ્થાનને પામીને શોકથી તપેલા દીન સ્વરે રહે છે. તથા નારડીનું માથું નીચું કરી છીણીથી છેદાતા લોઢાની જેમ ટુકડા કરે છે. • સૂત્ર-335,33૬ : અધોમુખ કરાયેલા તથા શરીરની ચામડી ઉખેડી નખાયેલા નારક જીવોને વજની ચાંચવાળા પક્ષીઓ ખાય છે. જ્યાં પાપયેતા પ્રજા પીડવામાં આવે છે. તે નરકની ભૂમિ સંજીવની, ચિરસ્થિતિવાળી છે...જંગલી પશુને મારતા શિકારી માફક પરમાધામી નાસ્કોને તીણ શૂળથી મારે છે. શૂળથી વિંધાયેલા છે બાહ્ય તથા આંતરિક દુ:ખથી દુઃખી નારકો કરુણાજનક રૂદન કરે છે. • વિવેચન-335,33૬ : તે નકમાં થાંભલા વગેરે પર ઉંચા હાથ કે નીચું માથું કરીને, ચંડાળે શૂળીએ લટકાવે તેમ લટકાવીને, તેના શરીર છેદીને, ચામડી છોલીને વજ જેવી ચાંચવાળા કાગળા, ગીધ આદિ પક્ષી વગેરેથી ખવાય છે. આ પ્રમાણે નાકો પરમાધામીથી, પરસ્પરથી કે સ્વાભાવિક છિન્ન-ભિન્ન થઈ, મૂછ પામીને વેદના પામવા છતાં મરતા નથી, માટે નરકભૂમિ સંજીવની માફક જીવનદની ભૂમિ છે. ત્યાં ટુકડે ટુકડા કરાયા છતાં નાકો મરતાં નથી. ત્યાં આયુ નિકાચિત હોય છે, ઉત્કૃષ્ટાયુ 33-સાગરોપમ છે. તેટલો કાળ ત્યાં જન્મેલ પ્રજા-નાસ્કો-પાપના ચિતવાળા પાણી મુદ્ગરાદિથી
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy