SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫/૧/૩૦૩ ૧૫૩ • વિવેચન : સુધમસ્વિામી જંબુસ્વામીને આ કહે છે - જેમ ભગવંતે આ કહ્યું. તે તમે સાંભળ્યું. વૈતરણી નામે ક્ષાર, ઉણ લોહીના રંગવાળું પાણી વહાવતી નદી છે તે દુ:ખ ઉત્પાદક છે. તથા જેમ અસ્ત્રો તીક્ષ્ણ છે, તેમ તે નદીનો પ્રવાહ શરીરના અવયવોને કાપનારો છે. તે નાસ્કો તપેલ અંગારા જેવી ભૂમિમાં જળતૃષાથી અભિપ્ત થઈ, તાપને દૂર કરવા - X• તે વૈતરણી નદીમાં તરે છે - કેવા થયેલા ? બાણ કે પરોણાથી પ્રેરિત, ભાલાથી હણાયેલા તે જ ભયંકર નદીમાં પડે છે. • સૂત્ર-3૦૮,૩૦૯ - તે નારકો નાવની નજીક આવે ત્યારે માધામી તેમને ખીલીથી વીંધે છે. તેઓ મૃતિવિહીન બને છે. બીજા પણ તેને ત્રિશલાદિથી વીંધે છે. કોઈ પરમાધામી ગળામાં શિલા બાંધીને નારકને ઉંડા પાણીમાં ડૂબાડે છે. કોઈ કદંબ પુષ સમાન લાલ ગરમ રેતી અને મુમુર અગ્નિમાં આમતેમ ફેરવીને પકાવે છે. • વિવેચન-૩૦૮,૩૦૯ - તે નાકો વૈતરણી નદીના અતિ ઉષ્ણ, ક્ષારયુક્ત, દુર્ગધી જળથી કંટાળીને લોઢાના ખીલાવાળી નાવ પર ચડવા જતાં પૂર્વે ચડેલા પરમાધામીઓ ગળામાં તેમને વીંધે છે, વીંધાવાયી કલકલાયમાન સર્વોત વડે વૈતરણી જળ વડે સંજ્ઞા નષ્ટ થવા છતાં પોતાના કર્તવ્યનો વિવેક ભૂલેલા બને છે. બીજા પરમાધામી નાસ્કો સાથે ક્રીડા કરતા, નાસતા એવા નારકને ત્રિશૂલ અને શૂલ વડે વિસ્તારથી વીંધીને નીચે ભૂમિમાં લટકાવે છે. વળી કેટલાંક નાકોના ગળામાં પરમાધામીઓ મોટી શિલા બાંધીને ઉંડા પાણીમાં ડૂબાડે છે, ફરી પાછા તેમને ખેંચીને વૈતરણી નદીમાં કલંબુકા વાલુકા તથા મમ્ર અગ્નિમાં ઘણી તપેલી રેતીમાં ચણા માફક ચારે બાજુથી સકે છે. તથા બીજા નરકાવાસમાં, સ્વકર્મ કાંસામાં ફસેલા જીવોને સુંઠક પરોવેલા માંસની પેશી માફક પકાવે છે. • સૂત્ર-૩૧૦ થી ૩૧૨ : મહાસંતાપકારી, અંધકાર આચ્છાદિત, દુwાર તથા સુવિશાલ અસુર્ય નક છે, ત્યાં ઉદ્ધ, આધો, તિછ દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે. પાપકર્મને ન જાણનાર, બુદ્ધિહીન નારક, જે ગુફામાં રહેલ નિમાં પડે છે અને બળે છે, તે નચ્છભૂમિ કરુણાજનક તેમજ દુઃખનું સ્થાન-દુ:ખપદ છે. જેમ જીવતી માછલી આગમાં પડતાં સંતપ્ત થાય છે, તેમ છતાં બીજે જઈ શકતી નથી. તેમ પરમાધામી ચોતરફ અગ્નિ જલાવીને અજ્ઞાનીને ભાળે છે. • વિવેચન-૩૧૦ થી ૩૧૨ : જે સૂર્ય વિદ્યમાન નથી તે અસૂર્ય-નક, તે ઘણાં અંધકારવાળી, કુંબિકા આકારે છે. ત્યાં બધાં જ નકાવાસો અસૂર્ય નામે ઓળખાય છે. તે આવા મહાતાપ, ૧૫૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અંધતમસ, દરાર, વિશાળ નરકમાં મહાપાપના ઉદયથી જીવો જાય છે. તે નરકમાં ઉંચ-નીચે-તીખું સર્વ દિશામાં સ્થાપેલો અગ્નિ બળે છે. કહે છે કે - જ્યાં નારકીમાં બરોબર ઉંચે રહેલો અગ્નિ બળે છે, ત્યાં તેવા નકમાં બિચારા જીવો જાય છે. - વળી - જે નરકમાં ગયેલો જીવ ઉંટળીના આકારવાળી નકમાં પ્રવેશીને અગ્નિમાં અતિ વેદનાથી પીડાતો સ્વકૃત દુશ્ચઅિને ન જાણતો, અવધિ વિવેક ચાલી જવાથી બળે છે. તથા સર્વકાળ કરુણપ્રાય કે સકલ ઉણસ્થાન છે, તે સ્થાને પાપ કરેલા નારકીઓને તે લઈ જાય છે. તે જ વાત વિશેષથી કહે છે . જ્યાં અતિ દુ:ખરૂપ સ્વભાવ છે, નિમિષ માત્ર પણ દુ:ખનો વિશ્રામ નથી. કહ્યું છે - આંખ ફરકવા માત્ર પણ કાળ સુખ નથી, પણ માત્ર દુ:ખ જ છે તેથી નારડીમાં નક જીવો રાત-દિવસ પીડાતાં હોય છે. ચારે દિશામાં અગ્નિ સળગાવીને જે નકાવાસમાં પરમાધામીઓ મુખ્યત્વે તપાવે છે - પકાવે છે, કિોને ?] પૂર્વકૃત દુશમિવાળા અજ્ઞાની નારકોને. આ રીતે પીડાતા, સ્વકમ બેડીથી બંધાયેલા, ઘણો કાળ મહાદુઃખથી આકુળ થઈને નરકમાં રહે છે, તેનું દટાંત કહે છે - જેમ જીવતા માછલા અગ્નિ સમીપ હોય ત્યારે પરવશ થઈને બીજે જવાં અસમર્થ થઈ ત્યાં જ રહે છે, તેમ નાકો પણ પરવશપણે દુ:ખ ભોગવે છે. * * * * * સૂત્ર-૩૧૩,૩૧૪ - સંતtણ નામક એક મહાભિતપ્ત નક્ક છે. ત્યાં પરમાધામીઓ હાથમાં કુહાડી લઈ, નારકના હાથ-પગ બાંધી લાકડાંની જેમ છોલે છે...લોહી કાઢીને લોઢાની ગમ કડાઈમાં નાંખી જીવતી માછલી માફક તળે છે, નારકોને ઉંચાનીચા કરી પકાવે છે, પછી તેના શરીરને મળે છે, મસ્તકના ચૂરેચૂરા કરે છે. • વિવેચન-૩૧૩,૩૧૪ - એકી ભાવથી છોલવું તે ‘સત્તક્ષા', નામ શબ્દ સંભાવના અર્થે છે. આ સંતક્ષણ બધાં પ્રાણીને મહાદુઃખ આપનાર સંભવે છે. પરમાધામીઓ સ્વ ભવનથી નકાવાસમાં આવીને, તે કુકર્મી, અનુકંપારહિત, હાથમાં કુહાડો લઈને બાણ એવા નારકોના હાથ-પગ બાંધીને લાકડાના ટુકડા માફક છોલીને પાતળા કરે છે. - વળી - પરમાધામીઓ તે નાકોના લોહી કાઢીને તપેલી કડાઈમાં નાંખીને પકાવે છે. વળી મળપધાન એવાં આંતરડા કે ઉપસેલાં અંગોને તથા તેના મસ્તકનો ચુરો કરીને પકાવે છે - કેવી રીતે? ઉંચા કે નીચા મુખવાળા કરી આમ તેમ તરડતા આત્માને જેમ જીવતા માછલાને કડાઈમાં તળે તેમ તે નારકીજીવોને તળે છે - પકાવે છે. • સૂત્ર-૩૧૫ થી ૩૧૭ :તે નાકીજીવો ત્યાં રાખ થતા નથી કે તીવ્ર વેદનાણી મરતા નથી. પણ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy