SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫/ભૂમિકા ૧૪૯ ૧૫o સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે, ઘણું દુઃખ આપે છે. અસિપ્રધાન પત્રધનુ નામના પરમાધામી બીભત્સ અસિપત્રવન કરીને ત્યાં છાયા માટે આવેલા બીયારસ નાસ્કોને તલવાર આદિથી કાપે છે. તથા કાન, નાક, ઓઠ, હાથ, પગ, દાંત, છાતી, કમર, ઉરુ, બાહૂને છેદન, ભેદન, શાતન આદિ કરવા પોતે વિકૃdલ પવન વડે ઝાડ હલાવી, તલવાર જેવા પાંદડા આદિ કરે છે. તે કહે છે - પગ, હાથ, ખભા, કાન, ઓઠ, નાકને છેદે છે. તાળવુ, મસ્તક, પું-લિંગ, આંખ, હૃદય અને પેટને ભેદી નાંખે છે. કુંભી નામક પરમાઘામી નાક જીવોને પીડે છે . પકાવે છે. ઉંટની કે કડિલ્લક આકારની કુંભમાં - લોઢાના વાસણમાં - x • x • પકાવે છે. વાલક નામક પરમાધામી અનાથ નાસ્કીને તપેલીમાં - Mીના ભરેલા વાસણમાં ચણાની જેમ તડતડ મુંજે છે. કદંબના ફૂલના આકાર જેવી રેતીમાં ઉપરના ભાગમાં નાસ્કી જીવોને પાડીને ખુલ્લા આકાશ નીચે શેકે છે. વૈતરણી નામક પરમાધામી વૈતરણી નદી વિકર્ષે છે. તે પરુ, લોહી, વાળ, હાડકાં વહેનારી મહાભયંકર કલકલ કરતા અવાજ વાળી છે. તેમાં ખારું ગરમ પાણી અતિ બીભત્સ દેખાવવાળું છે તેમાં નાકોને વહાવે છે. ખરસ્વર નામક પરમાધામી નાકોને આ રીતે પીડે છે - જેમકે કરવતથી વેરાતા પાટીયા માફક તેને વેરે છે - ચીરે છે, પરશુ વડે તેના શરીરના કકડા કરે છે, છોલી-છોલીને પાતળા કરે છે. વજ જેવી ભયંકર શૂળોવાળા શાભલી વૃક્ષ ઉપર ખર સ્વરે રોતા નારકીને ચડાવીને પાછા નીચે ખેંચે છે. મહાઘોષ નામક પરમાધામી જે અધમ અસુર ભવનપતિ છે તે શિકારી માફક પરપીડા ઉત્પાદનથી અતુલ હર્ષ પામનારા, ક્રીડા ખાતર વિવિધ ઉપાયો વડે નારકોને પીડનારા છે. તેઓ ડસ્થી ભાગતા મૃગની માફક નારકોને ચારે તરફ પીડા ઉત્પાદન સ્થાને બાંધે છે. બકરા આદિનો હોમ કરતા કસાઈ માફક તે નારકોને બાંધીને મારે છે. ત્યારે હર્ષ પામે છે - નામ નિક્ષેપ પૂર્ણ - છે અધ્યયન-૫ “નરયવિભત્તિ' - ઉદ્દેશો-૧ છે. o હવે સૂકાનુગમમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું જોઈએ— • સૂત્ર-૩૦૦,3૦૧ - મેં કેવલી મહર્ષિને પૂછ્યું કે નકમાં કેવી પીડા ભોગવવી પડે છે? હે મુનીશ! આપ જ્ઞાન દ્વારા જાણો છો માટે અજ્ઞાની એવા મને બતાવો કે જ્ઞાની જીવો નકમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે ?.. મેં આવું પૂછયું ત્યારે મહાનુભાવ, કાશ્યપ, આશુપજ્ઞ ભગવંતે એમ કહ્યું કે - તે ઘણું વિષમ છે, છટાસ્થ માટે તેનો અર્થ દુર્ગમ છે. ત્યાં પાણી અને દીન જીવો રહે છે તે હવે હું કહીશ • વિવેચન-૩૦૦,૩૦૧ - જંબૂસ્વામીએ સુધમસ્વિામીને પૂછ્યું કે હે ભગવન્ ! નાસ્કો કેવા છે ? કેવા કર્મોથી જીવો ત્યાં ઉત્પન્ન થાય છે ? ત્યાં કેવી વેદનાઓ છે? આવું પૂછતાં સુધર્માસ્વામીએ કહ્યું તમે જે મને આ પૂછ્યું તે - અતીત, અનામત, વર્તમાન સૂક્ષ્મ - પદાર્થોને કહેનારા કેવલી, ઉગ્ર તપ અને ચાસ્ત્રિકારી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહિષ્ણુ શ્રીમન મહાવીર વર્ધમાનસ્વામીને પૂર્વે પૂછેલું કે નરકાવાસો કેવી વેદનાથી યુક્ત હોય છે તે હું જાણતો નથી, હે મુને ! આપ કેવલજ્ઞાન વડે આ બધું જાણો છે, તે મને કહો તથા બતાવો કે અજ્ઞાની જીવો, હિતા-હિતના વિવેકથી રહિત, કેવા કેવા કર્મો બાંધીને નરકે ઉત્પન્ન થાય છે ? ત્યાં કેવી વેદના ભોગવે છે? આ પ્રમાણે મેં વિનયથી પૂછતા ૩૪ અતિશયોના મહા અનુભાવરૂપ માહાભ્યા યુકત ભગવંતે પ્રશ્નોના ઉત્તર કેવલજ્ઞાન વડે જાણીને કહેલા. - કોણે ? આશુપજ્ઞ વીર વર્ધમાનસ્વામીએ સર્વત્ર સદા ઉપયોગથી આપ્યા. મેં પૂછતા ભગવંતે કહ્યું કે - તેં જે પૂછયું તેને હું જણાવીશ, તું ઉપયોગ રાખીને સાંભળ. અસદ્ અનુષ્ઠાનથી પ્રાપ્ત નક દુ:ખનો હેતુ છે. અથવા નકાવાસ દુઃખ આપે છે. માટે દુ:ખ જ છે, અથવા અસાતા વેદનીયના ઉદયથી તીવપીડાત્મક દુ:ખ છે. આ પરમાર્થથી વિચારતા તે અસર્વજ્ઞ માટે ગહન-વિષમ-દુર્વિય છે. કેમકે તેના પ્રતિપાદક પ્રમાણનો અભાવ છે. અથવા તે દુ:ખ તે જ પદાર્થ છે કે જેમાં દુ:ખની નિમિત્ત કે દુ:ખનું પ્રયોજન છે. તે દુ:ખાર્થ પોતે નરકસ્થાન છે તે દુરતર હોવાથી વિષમ છે તે હું કહું છું તે સર્વ પ્રકારે દીન હોવાથી આદીનિક છે. ત્યાં અત્યંત દીન જીવો રહે છે. ત્યાં પૂર્વે કરેલ દુકૃત, પાપ કે અસત્ અનુષ્ઠાનના ફળરૂપ અશાતા વેદનીયનો ઉદય હોય છે. તેથી તે દુકૃતિક છે. જે હું આગળ કહીશ. અર્થાત્ નારક જીવોના પૂર્વ જન્મમાં જે નરકગતિયોગ્ય કૃત્ય છે તે કહીશ. • સૂત્ર-3૦૨ થી ૩૦૪ : આ સંસારમાં કેટલાક અજ્ઞાની, અસંયમી જીવનના અ[, રૌદ્ર પાપકર્મ કરે છે. તેઓ પોટ, સઘન અંધકારમય, તીવ્ર સંતપ્ત નરકમાં જાય છે... તેઓ પોતાના સુખને માટે બસ અને સ્થાવર જીવોની ક્રૂરતાથી હિંસા કરે છે, ભેદન કરે છે, અદત્ત લે છે અને સેવનીય સંયમનું સેવન કરતા નથી...તે ઘણાં જીવોની હિંસા કરે છે, ધૃષ્ટતાપૂર્વક વચન બોલે છે, તે અજ્ઞાની મરીને નીચે અંધકારમય નરકમાં જાય છે, ત્યાં ઉંધે માથે મહાકષ્ટ ભોગવે છે. • વિવેચન-૩૦૨ થી ૩૦૪ - - જે કોઈ મહારંભ, પરિગ્રહ, પંચેન્દ્રિયવધ, માંસભક્ષણાદિ સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે, સગઢેષથી ભરેલા તિર્યંચ કે મનુષ્ય છે, આ સંસારમાં અસંયમ જીવિતના અર્થી છે, પાપના ઉપાદાનરૂપ અનુષ્ઠાન-પ્રાણીઓને ભય ઉપજાવીને ભયંકર એવા હિંસા, જૂઠ આદિ કર્મો કરે છે. આવા તે જીવોને તીવ્ર પાપોદયવર્તીને અત્યંત ભયાનક, ઘણાં ગાઢ અંધકારમાં જ્યાં આંખ વડે પોતાને પણ જોઈ ન શકે, માત્ર અવધિ [વિભંગ] જ્ઞાનથી ઘુવડો જેમ જરા-જા દિવસને જુએ, તેમ તે નારકીના જીવો જુએ છે. આગમમાં કહ્યું છે - હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળો નાસ્કી જીવ અવધિજ્ઞાનના
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy