SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨/૩/૧૬૩,૧૬૪ પૂજાને યોગ્ય જ્ઞાતપુત્ર વર્ધમાનસ્વામી કે ઋષભસ્વામી. માવાન્ - ઐશ્વર્ય આદિ ગુણ યુક્ત પ્રભુએ વિશાલા નગરીમાં અમને કહ્યું અથવા વિશાલ કુલમાં જગ્યા માટે 28ષભદેવ વૈશાલિક કહેવાયા. કહ્યું છે કે જેની માતા વિશાળ પુન્યવતી છે, જેનું મૂળ વિશાળ છે, જેનું વચન વિશાળ છે, તેથી જિનને વૈશાલિક કહે છે. - અધ્યયન-૨ “વેયાલિય’ ઉદ્દેશા-૨નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ ત્તિ શબ્દ પરિસમાપ્તિ સૂચક છે, હું તમને કહું છું, નયો પૂર્વવત્. " શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ટીકાનુવાદ પૂર્ણ ૫ - X - X - X - X - X - ૪ - સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા છે • ભૂમિકા : બીજું અધ્યયન કહ્યું, હવે ત્રીજું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં જૈનદર્શન-જૈનેતર મત કહો. જૈનેતર મતના દોષો અને જૈનદર્શનના ગણો જાણીને જૈનદર્શનમાં બોધ મેળવવા કહ્યું. તે પ્રતિબોધ પામી દીક્ષિત થયેલાને કદાચ - • ઉપસર્ગો આવે તો સમભાવે સહેવા તે માટે આ અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના અનુયોગ દ્વારો ચાર છે. તેમાં અધ્યયન અને ઉદ્દેશાના બે અધિકારો છે, • x• તેમાં ઉદ્દેશાનો અધિકાર નિયુક્તિકાર કહેશે. નામ નિષ્પન્ન નિક્ષેપો કહે છે [નિ.૪૫-] ઉપસર્ગો નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ ભેદથી છ પ્રકારે છે. નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય ઉપસર્ગ કહે છે - દ્રવ્ય ઉપસર્ગ બે પ્રકારે છે. ઉપસર્ગકત દ્રવ્ય ચેતન, અચેતન બે ભેદે છે. તેમાં તિર્યચ, મનુષ્ય આદિ પોતાના અવ્યવ વડે ઘાત કરે તે સચિતદ્રવ્ય ઉપસર્ગ છે. લાકડાં વગેરે અયિત દ્રવ્ય ઉપસર્ગ છે. •x - તેમાં ઉપસર્ગ-ઉપતાપ એટલે શરીરમાં પીડા કરવી વગેરે છે. તિર્મય-મનુષ્ય ઉપસાદિ કે નામાદિ તેના ભેદો છે. તcવની વ્યાખ્યા પાછલી અડધી ગાથાથી કહે છે. દિવ્યાદિ-બીજા તરફથી જે પીડા થાય તે આગંતુક ઉપસર્ગ છે, તે દેહ અથવા સંયમને પીડા કરનાર છે. હવે ક્ષેત્ર ઉપસર્ગ કહે છે [નિ.૪૬- જે ક્ષેત્રમાં સામાન્યથી કૂટ, ચોર આદિ ઉપસર્ગ સ્થાનો હોય તે ફોન “બહુ ઓઘપદ” છે. પાઠાંતરમાં “બહુ ઓઘભય” પાઠ છે. એટલે જ્યાં ઘણાં ભયસ્થાનો છે, તે લાઢ આદિ ક્ષેત્રો જાણવા. કાળ ઉપસર્ગ તે એકાંત દ:માદિ આરો આદિ શબ્દથી જે ક્ષેત્રમાં શ્રીમ આદિ અતિ દુ:ખદાયી કાળ લેવો - ભાવ ઉપસર્ગ તે જ્ઞાનાવરણીયાદિ કર્મો. આ બધાં ઉપસર્ગો સામાન્યથી ધિક, ઉપકમિક બે ભેદે છે તેમાં અશુભ કર્મ નિત તે ઔધિક ભાવ ઉપસર્ગ, દંડાદિ શાથી અસાતા વેદનીય ઉદયથી થતી પીડા તે ઔપક્રમિક ઉપસર્ગ છે, તેને હવે વર્ણવે છે [નિ.૪] ઉપક્રમણ તે ઉપકમ. ઉદયમાં ન આવેલ કર્મો ઉદયમાં આવવા તે. તે જે દ્રવ્યના ઉપયોગથી કે દ્રવ્ય વડે અસાતા વેદનીયાદિ અશુભ કર્મ ઉદીરાય અને જેના ઉદયથી અપસવીને સંયમમાં વિઘાત થાય છે તેથી તે ઔપક્રમિક ઉપસર્ગ સંયમવિઘાતકારી છે. અહીં મોક્ષ પ્રતિ પ્રવૃત યતિને મોક્ષના અંગરૂપ સંયમમાં જે વિનહેતુ છે તે બનાવે છે. તેમાં ઔધિક અને ઔપકમિકમાં ઔપક્રમિકનો અહીં અધિકાર છે. તે દ્રવ્ય વિષય ચિંતવતા ચાર પ્રકારે છે - દેવતાનો, મનુષ્યનો, તિર્યંચનો, આત્મસંવેદનનો. [નિ.૪૮] ઉકત દેવતાદિ ઉપસર્ગ પ્રત્યેક ચાર-ચાર ભેદે છે. તેમાં દેવતાસંબંધી - હાસ્યચી, દ્વેષથી, વિમર્શથી, પૃથવિમાત્રાચી. મનુષ્યનો - હાસ્ય, દ્વેષ, વિમર્શ, [37]
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy