SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧/૨/૩૩ થી ૩૬ | [૩૬] અહિત આત્મા અને અહિત પ્રજ્ઞાનવાળો તે મૃગ કુટપાથ યુક્ત પ્રદેશમાં આવે છે અથવા કૂટપાશાદિમાં પોતાને પાડે છે ત્યાં પડેલો તે બંધાઈને ઘણી દુ:ખી અવસ્થાને પામે છે. બંધનમાં વિનાશ પામે છે. આ દટાંત કહી સૂત્રકાર અજ્ઞાન વિપાક કહે છે. ગ-૩ થી ૪૦ : આ પ્રમાણે કોઈ મિયાર્દષ્ટિ, અનાર્ય શ્રમણ અશકનીયમાં શંકા કરે છે અને શંકનીયમાં શંકા કરતા નથી...તે મૂઢ, વિવેકવિકલ, અજ્ઞાની ધર્મપજ્ઞાપનામાં શંકા કરે છે, પણ આરંભ કાર્યોમાં શંકા કરતા નથી...સમસ્ત લોભ, માન, માયા, ક્રોધનો નાશ કરીને જીવકર્મરહિત થાય છે, પણ મૃગ સમાન અજ્ઞાની આ અર્થનો સ્વીકાર કરતા નથી...જે મિથ્યાËષ્ટિ અનાર્યો આ મને નથી જાણતા તેઓ પાશ-બદ્ધ મૃગની માફક અનંતવર નષ્ટ થશે. • વિવેચન-૩૦ થી ૪૦ : [3] જેમ અજ્ઞાનથી આવૃત મૃગો અનેક અનર્થને પામે છે, તેમ જ પાખંડને આશ્રિત કોઈ મિથ્યાર્દષ્ટિ-અજ્ઞાનવાદી કે નિયતિવાદી તથા •x• અજ્ઞાનતાથી ચાલતું અનુષ્ઠાન કરનારા અનાર્યો અશકનીય એવા સુધર્મના અનુષ્ઠાનાદિમાં શંકા લાવે, તથા બહુ દુઃખ આપનારા એકાંત પક્ષને માને છે તે અશકી મૃગોની માફક મૂઢ ચિત્તવાળા થઈ એવો આરંભ કરે છે જે અનર્થને માટે થાય છે. હવે શંકનીય-અશંકનીયનો વિપર્યાય બતાવે છે. [૩૮] ક્ષાંતિ આદિ દશ લક્ષણયુક્ત ધર્મની જે પ્રજ્ઞાપના તેમાં આ અસતું ધર્મપ્રરૂપણા છે તેવી શંકા લાવે અને જે પાપ ઉપાદાનરૂપ સમારંભ છે તેમાં શંકા ના લાવે. તે કેવા ? સહજ સત્ વિવેકરહિત અને સતુ શાસ્ત્રના બોધથી રહિત. આ અજ્ઞાનાવૃત શું પ્રાપ્ત કરે ? [૩૯] જેનો આત્મા સર્વાત્મક છે તે લોભ, વ્યુત્કર્ષ એટલે માન, નૂમ એટલે માયા, અપાતિક તે ક્રોધ એ ચારે કષાયોને દૂર કરીને મોહનીય કર્મરહિત થઈ છેવટે બધાં કર્મ ત્યાગી અકમશિ બને છે. તે અકમશિ વિશિષ્ટ જ્ઞાનથી થાય છે, પણ અજ્ઞાનથી ન થાય તે જ કહે છે કે જાણ્યા વિના તે મૃગ જેવો અજ્ઞાની મોક્ષને જે છે અથવા વિભક્તિ પરિણામથી મોક્ષાર્થ થકી ભ્રષ્ટ થાય છે - અજ્ઞાનવાદીના દો [૪૦] જે જ્ઞાન પક્ષનો આશ્રય કરીને કર્મક્ષયનો ઉપાય જાણતા નથી પણ પોતાના અસહુ આગ્રહગ્રસ્ત થઈ મિથ્યાર્દષ્ટિ અનાર્યો એવા તે મૃગ માફક પાશમાં બંધાઈ વિનાશ પામે છે. અનંતવાર જન્મ-મરણના દુ:ખ પામે છે. અજ્ઞાનવાદ પૂર્ણ થયો. પોતાના વચનથી બંધાયેલા વાદીઓ ન ચળે-તેનો મત કહે છે– • સૂત્ર-૪૧ : કેટલાંક બ્રાહ્મણ તથા પરિવ્રાજક-શ્રમણ પોતાના જ્ઞાનને સત્ય કહે છે. તેમના મતે સંપૂર્ણ લોકમાં તેમના મતથી ભિન્ન પ્રાણી છે, તે કંઈપણ જાણતા નથી. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • વિવેચન : કેટલાંક બ્રાહ્મણ તથા પરિવ્રાજકો, તેઓ બધા પરસ્પર વિરોધ વડે રહેલ છે, તે પોત-પોતાનું બોલે છે. તેમના માતેલા જ્ઞાનરૂપ તત્વો પરસ્પર વિરોધ વડે સત્ય ન હોય, તેથી અજ્ઞાન જ સારું છે. જ્ઞાનની કલ્પના વડે શું વિશેષ છે ? તેથી બતાવે છે કે - બધાં લોકમાં જે પ્રાણી છે, તે કંઈપણ સમ્યક જાણતા નથી - જો કે તેઓમાં ગુરુ પરંપરાથી જ્ઞાન આવેલ છે, તો પણ છિન્નમૂલવવી તે સાચું થતું નથી તે કહે છે • સૂટમ-૪૨,૪૩ : જેમ કોઈ સ્વેચ્છ, અમ્લેચ્છની વાત કરે છે, પણ તેના હેતુને જાણતા નથી. માત્ર તે કથિતનું અનુકથન કરે છે...એ રીતે અજ્ઞાની પોતપોતાના જ્ઞાનને કહેવા છતાં પણ નિશયાનિ નથી જાણતાં. તેઓ પ્લેચ્છોની માફક આબોધિકઅજ્ઞાની હોય છે.. • વિવેચન-૪૨,૪૩ - [૪૨] જેમ આર્યભાષાથી અજાણ-પ્લેચ્છ, મ્લેચ્છ ભાષાને ન જાણતાં આર્યનું જે બોલેલું છે, તે બોલે છે પણ તેના સમ્યફ અભિપ્રાયને નથી જાણતા કે કઈ અપેક્ષાએ તે કહેલ છે. તેના હેતુને ન જાણે, પણ કેવળ પરમાર્થ શૂન્ય બોલવાની નકલ કરે છે. તે રીતે [૪૩] જેમ મ્લેચ્છ અમ્લેચ્છના પરમાર્થને ન જાણે ફક્ત તેનું બોલેલું બોલે, તેમ જ્ઞાની-સમ્યગૃજ્ઞાન રહિત શ્રમણ બ્રાહ્મણો બોલવા છતાં પોત-પોતાના જ્ઞાનને પ્રમાણપણે પરસ્પર વિરદ્ધ અર્થ બોલવાથી નિશ્ચયાને જાણતા નથી. તેથી પોતાના તીર્થકરને સર્વજ્ઞપણે જાણીને તેમના ઉપદેશ વડે ક્રિયામાં પ્રવર્તે પણ સર્વજ્ઞની વિવા અવ દશનવાળાથી ગ્રહણ કરવી શક્ય નથી. તેથી કહ્યું છે કે આ સર્વજ્ઞ છે તે x x - ોય પદાર્થોના વિજ્ઞાનથીરહિત એવા પુરુષો કઈ રીતે જાણે ? એ પ્રમાણે - X - X - નિશ્ચય અને ન જાણનાર પ્લેચ્છની માક બીજાનું બોલેલું બોલે છે, પણ તેઓ બોધરહિત છે. તેથી અજ્ઞાન જ શ્રેય છે. આ પ્રમાણે જેમ જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમ તેમ વધુ-વધુ દોષ સંભવે છે. તેથી કહે છે જેમ જાણીને કોઈ બીજાના માથાને પગ અડાડે તો તે મહા અપરાધ છે, પણ ભૂલથી પણ અડે તો અપરાધ નથી. એ પ્રમાણે અજ્ઞાન જ મુખ્ય છે, જ્ઞાન નહીં. - હવે અજ્ઞાનવાદીના દૂષણ કહે છે • સૂગ-૪૪ થી ૪૬ - અજ્ઞાનિકોની મીમાંસા અજ્ઞાનમાં નિશ્ચય કરાવી શકતી નથી. તે પોતાને શિa દેવા સમર્થ નથી, તો બીજાને શિક્ષા કઈ રીતે આપી શકે ? વનમાં કોઈ દિશામૂઢ મનુષ્ય, દિશામૂઢ નેતાને અનુસરે તો તે બંને સ્તો નહીં જાણવાથી અસહ શોકને પામે છે... જેમ અંધ બીજ આંધને માર્ગે દોરે તો માર્ગથી દૂર કે ઉતાથમાં લઈ જશે અથવા અx જશે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy