SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨|૩|-I૬૮૯ ૧૩ ૧૩૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જાણવી. તે આ પ્રમાણે - ચર્મપક્ષી તે ચમકીટ, વલ્ગરી વગેરે તથા સારસ, રાજહંસ, કાગડા, બગલા આદિ રોમ પક્ષી તથા સમુપક્ષી, વિતતપક્ષી જે બંને બહીદ્વીપવર્તી છે. તેઓ બીજ અને અવકાશ મુજબ ઉત્પન્ન થઈને આહાર ક્રિયા કરતા ઉત્પન્ન થાય છે. તે આ રીતે - તે પક્ષિણી તે ઇંડાને પોતાની પાંખોથી ઢાંકીને ત્યાં સુધી બેસે છે. ચાવતુ તે ઇંડુ તે ઉમાના આહારથી વૃદ્ધિને ન પામે અને કલલ અવસ્થા છોડીને ચાંચ વગેરે આકારવાળા બચ્ચારૂપે બહાર ન આવે, ત્યારપછી પણ માત્ર ચાંચ વડે ખવડાવતા આહારથી વૃદ્ધિ પામે છે. બાકી પૂર્વવત્. પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યયો કા. તે બંનેનો આહાર બે ભેદ છે . આભોગ અને અનાભોગ નિવર્તિત. તેમાં અનાભોગ નિવર્તિત પ્રતિક્ષણ ભાવી છે, આભોગનિવર્તિત તે યથા સ્વ સુધાવેદનીયના ઉદય મુજબ છે. હવે વિકસેન્દ્રિય કહે છે • સૂઝ-૬૯૦ - હવે પછી તીકરી કહે છે - જગતમાં કેટલાંક જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે અને વૃદ્ધિ પામે છે. તેમાં ઉg સ્થિત અને વૃદ્ધિગત જીવ પોતાના પૂર્વકૃત કમનિસર, કર્મોના કારણોથી તે યોનિઓમાં ઉન્ન થઈને, વિવિધ પ્રકારના બસ અને સ્થાવર પગલોના સચિત્ત કે અચિત્ત શરીરોમાં ઉત્પન્ન થાય છે. તે જીવો અનેકવિધ પ્રસસ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે, તે જીવો પ્રતી આદિનો આહાર કરે છે વાવત બીજ પણ ગસ-સ્થાવર યોનિક અને તેના આશ્રિત વિવિધ વણદિવાળા શરીરો હોય છે. એમ કહ્યું છે. એ જ પ્રમાણે તેમાં દુરૂપ જીવો સ્થિત હોય છે, ચર્મકીટક હોય છે. • વિવેચન-૬૯૦ - હવે આ પ્રમાણે કહે છે - આ સંસારમાં તેવા કર્મના ઉદયથી કેટલાંક વિવિધયોનિક જીવો પોતાના કર્મોના કારણે તે ઉત્પત્તિસ્થાનમાં આવીને અનેકવિધ બસ-સ્થાવર સચિવ, અચિત શરીરોમાં બીજા શરીરના આશ્રિત થઈને ઉત્પન્ન થાય છે. તે જીવો વિકલેન્દ્રિય છે, સચિત્તમાં મનુષ્ય આદિ શરીરોમાં જૂ, લીખ આદિ રૂપે ઉત્પન્ન થાય છે, તથા મનુષ્ય દ્વારા વપરાતા પલંગ આદિમાં માંકડ આદિ થાય છે અને અયિતમાં મનુષ્યાદિતા મડદામાં અથવા વિકલૅન્દ્રિયના શરીરોમાં તે જીવો પરનિશ્રાથી કમિ આદિ રૂપે ઉત્પન્ન થાય છે. વળી કેટલાંક અગ્નિકાયાદિ સયિતમાં ‘મષિક' આદિ રૂપે થાય છે. “જ્યાં અગ્નિ ત્યાં વાયુ” એટલે તે વાયુમાં પણ ઉત્પણ સમજવા - તથા પૃથ્વીને આશ્રયે વર્ષાઋતુમાં ગરમીથી સંક્વેદ થકી કુંથુઆ, કીડી આદિ થાય છે. પાણીમાં પોસ, ડોલણક, ભમરિકા, છેદનક આદિ ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં ભ્રમર આદિ જન્મે છે. ઉક્ત સર્વે જીવો તે સ્વ-યોનિ શરીરનો આહાર કરે છે, તેમ કહ્યું છે. હવે પંચેન્દ્રિયના મળ-મઝમાં ઉપજતા જીવો બતાવે છે - પૂર્વોક્ત રીતે સચિત, અચિત શરીર નિશ્રાએ વિલેન્દ્રિયો ઉપજે છે તથા તે મળ, મૂત્ર, ઉલટી આદિમાં બીજા જંતુઓ જન્મે છે, તે કૃમ્યાદિ વિરુપ હોવાથી “દુરૂપ” કહ્યા છે. તેવા કમોંથી ત્યાં ઉપજે છે. તેમાં વિષ્ઠાદિમાં ઉત્પન્ન થનારા કે થતા જીવો શરીરમાંથી નીકળે કે ત્યાં જ રહે, તેઓ પોતાના સ્થાનમાં વિષ્ઠાદિનો આહાર કરે છે. બાકી પૂર્વવતુ જાણવું. હવે સચિત્ત શરીર આશ્રિત જીવોને બતાવે છે - જેમ મૂત્ર, વિષ્ઠાદિમાં જીવો ઉપજે છે તેમ તિર્યંચોના શરીરમાં ચર્મકીટકપણે જીવો ઉપજે છે. એવું કહેવા માંગે છે કે - જીવાતા ગાય, ભેંસાદિના ચામડીમાં મૂર્ણિમ જીવો થાય છે, તે ત્યાં જ માંસ, ચામડાનું ભક્ષણ કરે છે. ગામડામાં કાણાં પાડે છે, તેમાંથી નીકળતા લોહીને તેમાં જ રહીને પીએ છે, તથા અચિત [મૃત ગાય આદિના શરીરમાં પણ [કીડા પડે છે] સચિત-અસિત વનસ્પતિ શરીરમાં પણ ધુણ-કીટકો ઉત્પન્ન થાય છે. તે ત્યાં તેના શરીરનો આહાર કરે છે. હવે કાયને બતાવવા તેના કારણભૂત વાયુને પણ બતાવે છે– • સૂત્ર-૬૯૧ - હવે પછી કહે છે - આ જગતમાં કેટલાંક અનેકવિધ યોનિક જીવો ચાવતું કના નિમિત્તથી ત્યાં ઉત્પન્ન થાય છે. તે પ્રસસ્થાવર પ્રાણીના સચિત્ત કે ચિત્ત શરીરોમાં, અકાય રૂપે ઉત્પન્ન થાય છે. તે શરીર વાયુથી બનેલ, વાયુથી સંગ્રહિત કે વાયુથી પરિગ્રહિત હોય છે. તે વાયુ ઉdવાયુ હોય તો ઉtdભાગી, અધોવાયુ હોય તો ધોભાગી અને તિછવાયુ તિછ જાય છે. તે આકાય જીવો આ પ્રમાણે છે : ઓસ, હિમ, ધુમ્મસ, કરા, હરdણુ અને શુદ્ધોદક. તે જીવો ત્યાં અનેકવિધ પ્રસસ્થાવર પ્રાણીના રસનો આહાર કરે છે, પૃedી આદિ શરીર પણ ખાય છે. યાવતું આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. હવે બતાવે છે કે - આ જગતમાં કેટલાંક જીવો ઉદક્યોનિક, ઉદક સ્થિત ચાવ કર્મના કારણે ત્યાં ત્ર-સ્થાવર ઓનકોના ઉદકમાં ઉદકપણે જિળરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે સસ્થાવર યોનિકના ઉદકની ચીકાશને ખાય છે. તે જીવો પ્રતી આદિ શરીરોને ખાય છે યાવત સ્વરૂપે પરિણમાવે છે. તે ત્રણ સ્થાવરચોનિક ઉદકોના અનેક વણદિ બીજ શરીર પણ હોય છે - એમ તીરોએ કહ્યું છે. હવે બતાવે છે કે - આ જગતમાં કેટલાંક ઉદાયોનિક જીવો - યાવતું - કમના પ્રભાવથી ઉદકોનિક ઉદકમાં ઉકપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે ઉદકોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે જીવો પ્રતી શરીરનો આહાર રે છે યા બીજ પણ ઉદકયોનિક ઉદક વિવિધત શરીરવાળ હોય છે. તેમ કહ્યું છે. હવે બતાવે છે કે - આ જગતમાં ઉદકોનિક જીવો ચાવત્ કર્મના કારણે તેમાં જન્મે છે. ઉદકૌનિક ઉદકમાં કસ-જીવર ઉત્પન્ન થાય છે. તે જીવો ઉદકોનિક ઉદકની ચીકાશનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી આદિ શરીર ખાય છે. યાવતુ બીજ પણ ઉદકોનિક ત્રસ જીવો વિવિધવર્ણ શરીરવાળા હોય છે. તેમ કહ્યું છે. • વિવેચન-૬૯૧ - હવે આ કહેવાનાર પૂર્વે જિનેશ્વરોએ કહેલું છે. આ જગમાં કેટલાંક જીવો તેવા
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy