SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/ભૂમિકા અશોભન તે કંડરીક છે તેમ બતાવે છે તેમાં નરકને છોડીને ત્રણ ગતિમાં જે શોભન પદાર્થો છે તે પુંડરીક અને બાકીના કંડરીક છે એમ પ્રતિપાદન કરતા કહે છે— 99 તેમાં તિર્યંચ ગતિમાં પુંડરીક કહે છે - જળચરોમાં મત્સ્ય, હાથી, મગર આદિ. સ્થલચરોમાં સિંહાદિ, બળ - વર્ણ - રૂપાદિ ગુણોથી યુક્ત છે. ઉરપરિસર્પમાં મણિધારી સાપ, ભૂજપરિસર્પમાં નોળીયા આદિ, ખેચરમાં હંસ, મોર આદિ, એવા બીજા પણ સ્વભાવથી જ જે લોકમાં માનીતા છે, તે પુંડરીક માફક શ્રેષ્ઠ જાણવા - હવે મનુષ્ય ગતિમાં— સર્વ અતિશાયી પૂજાને યોગ્ય એવા અહંન્તો, તેઓ અનુપમ રૂપાદિ ગુણોથી યુક્ત હોય છે. ચક્રવર્તી છ ખંડ ભરતના સ્વામી છે. ચારણશ્રમણ ઘણી આશ્ચર્યજનક લબ્ધિવાળા મહાતપસ્વી છે. વિધાધરો વૈતાઢ્યના નગરના રાજા છે. હરિવંશ કુલોત્પન્ન દશાર, ઇક્ષ્વાકુ આદિને પણ લેવા. જે બીજા મહા ઋદ્ધિવાળા કોટીશ્વર છે, તે બધાં પુંડરીક છે. વળી બીજા જે વિધાકાળના સમૂહથી યુક્ત છે, તે પણ પૌંડરીક જાણવા. હવે દેવગતિના ઉત્તમોનું પૌંડરીકપણું બતાવે છે - ભુવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવોમાં જે શ્રેષ્ઠ એવા ઇન્દ્રો, ઇન્દ્રના સામાનિક દેવો આદિ છે, તે પણ પૌંડરીક નામે જાણવા. અચિત્તમાં હવે જે પ્રધાન છે, તેનું પૌંડરીકત્વ બતાવવા કહે છે - કાંસાના જય ઘંટો, વસ્ત્રોમાં ચીનાંશુક, મણીઓમાં ઇન્દ્રનીલ-વૈચર્યાદિ, રત્નોમાં મોતી જે વર્ણ-સંસ્થાન-પ્રમાણથી શ્રેષ્ઠ હોય તે. શિલાઓમાં પાંડુકંબલાદિ, જ્યાં તીર્થંકરોના જન્માભિષેક થાય છે. પરવાળામાં ઉત્તમ વર્ણાદિ ગુણવાળા, જાત્ય સુવર્ણ કે તેના અલંકારો છે. આ પ્રમાણે ઉક્ત કાંસાદિની ઉત્તમ વસ્તુ અચિત પૌંડરીક જાણવા. મિશ્ર દ્રવ્ય પૌંડરીકમાં તીર્થંકર, ચક્રવર્તી આદિ જેમણે શ્રેષ્ઠ અલંકાર ધારણ કર્યા હોય તે દ્રવ્ય પૌંડરીક. ક્ષેત્ર પૌંડરીક કહે છે - જે દેવકુટુ આદિમાં શુભ અનુભાવવાળા ક્ષેત્રો હોય તે પૌંડરીક ગણાય છે. હવે કાલ પીંડરીક કહે છે . ભવસ્થિતિ અને કાયસ્થિતિથી જે પ્રધાન છે તે જીવો પૌંડરીક છે અને બાકીના અપ્રધાન તે કંડરીક છે. તેમાં ભવસ્થિતિથી અનુત્તરોપપાતિક દેવો પ્રધાન છે, કેમકે તેઓને સમગ્ર ભવ શુભાનુભાવ હોય છે. કાયસ્થિતિથી મનુષ્યો શુભ કર્મો આચરીને સાત-આઠ ભવોમાં મનુષ્યજન્મમાં પૂર્વકોટિ આયુ પાળીને તુરંત ત્રણ પલ્યોપમનું આયુ અનુભવી પછી દેવોમાં ઉત્પન્ન થાય છે, એ રીતે તેઓ કાયસ્થિતિથી પૌંડરીક છે, બાકીના કંડરીક છે કાલપીંડરીક બાદ હવે ગણના, સંસ્થાન પૌંડરીક બતાવે છે– સંખ્યા ગણનાથી - દશ પ્રકારના ગણિતમાં રજ્જુગણિત પ્રધાનપણે હોવાથી પૌંડરીક છે. તે ગણિત આ પ્રમાણે - પરિકર્મ, રજ્જુ, રાશિ, વ્યવહાર, કલાસવર્ણ, પુદ્ગલ, ધન, ધનમૂળ, વર્ગ અને વર્ગમૂળ છે. છ સંસ્થાનમાં સમચતુરસ સંસ્થાન પ્રવર હોવાથી પોંડરીક છે. આ રીતે આ બે પૌંડરીક છે અને બાકીના પરિકર્માદિ ગણિત અને ન્યગ્રોધ પરિમંડલ આદિ સંસ્થાનો કંડરીક જાણવા. - હવે ભાવ પૌંડરીક કહે છે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઔદયિકાદિ છએ ભાવમાં વિચારતા તેમાં કે તેઓની મધ્યે જે મુખ્ય ઔદયિકાદિ ભાવો છે, તેને જ પૌંડરીક જાણવા, ઔદયિક ભાવમાં તીર્થંકરો, અનુત્તરોષપાતિક દેવો તથા સો પાંખડીવાળા શ્વેત કમળ પૌંડરીક જાણવા. ઔપશમિકમાં સમસ્ત ઉપશાંત મોહવાળા, ક્ષાયિકમાં કેવળજ્ઞાનીઓ, ક્ષાયોપશમિકમાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાની અને ચૌદ પૂર્વી, પરમાવધી થોડા કે બધાં લેવા. પારિણામિકમાં ભવ્યો, સાંનિપાતિકમાં દ્વિકાદિ સંયોગા સિદ્ધાદિને પોતાની બુદ્ધિએ પૌંડરીક્ષણે વિચારવા, બીજા કંડરીક જાણવા. હવે બીજી રીતે ભાવપૌંડરીકને બતાવે છે– સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચાત્રિમાં તથા જ્ઞાનાદિ વિનયમાં, ધર્મધ્યાન આદિમાં જે શ્રેષ્ઠ મુનિઓ છે, તે પૌંડરીકરૂપે જાણવા. બીજા કંડરીક ગણવા. આ રીતે આઠ પ્રકારે પૌંડરીકનો નિક્ષેપો બતાવી જેના વડે અધિકાર છે તે કહે છે - દૃષ્ટાંતમાં - સચિત્ત, તિર્યંચયોનિક, એકેન્દ્રિય વનસ્પતિકાયમાં જે જળમાં ઉગે તે દ્રવ્યપૌંડરીક વડે અથવા ઔદયિક ભાવવર્તી વનસ્પતિકાય પૌંડરીક - સો પાંખડીવાળું કમળ લેવું. તથા ભાવથી સમ્યક્ દર્શન-ચાત્રિ-વિનય-અધ્યાત્મવર્તી સત્ સાધુને પૌંડરીક કહેવા. નિક્ષેપ નિયુક્તિ પુરી થઈ. - ૪ - ૪ - હવે સૂત્ર કહે છે– • સૂત્ર-૬૩૩ થી ૬૩૮ ઃ [૬૩૩] મેં આયુષ્યમાન ભગવંત પાસે આવું સાંભળેલ છે કે - આ પૌંડરીક નામના અધ્યયનમાં આ પ્રમાણે વિષય કહ્યો છે - કોઈ પુષ્પકરિણી [વાવ] છે, તે ઘણું પાણી, ઘણું કીચડ અને જળથી ભરેલી છે. તે પુષ્કરિણી લબ્ધ પ્રતિષ્ઠિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે પુષ્કરિણીના તે-તે ભાગમાં ત્યાં ઘણાં ઉત્તમોત્તમ પુંડરીક [કમળ] કહ્યા છે. જે ક્રમશઃ ખીલેલા, પાણી અને કીચડ થકી ઉપર ઉઠેલા, સુંદર એવા વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી યુક્ત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે પુષ્કરિણીના બહુ મધ્ય ભાગમાં એક ઘણું મોટું શ્રેષ્ઠ કમળ રહેલું છે. તે પણ ખીલેલું, ઉંચી પાંખડીવાળું, સુંદર વર્ણ-ગંધરસ-પથી યુક્ત, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. તે આખી વાવડીમાં અહીં-તહીં ઘણાં ઉત્તમ કમળો રહેલા છે. જે ખીલેલા ઉપર ઉઠેલા યાવત્ પ્રતિરૂપ છે. તે વાવડીના ઠીક મધ્ય ભાગે એક મહાન્ ઉત્તમ પુંડરીક યાવત્ પ્રતિરૂપ છે. [૬૩૪] હવે કોઈ પુરુષ પૂર્વ દિશાથી વાવડી પાસે આવીને તે વાવડીને કિનારે રહીને જુએ છે કે - ત્યાં એક મહાનૢ શ્રેષ્ઠ કમળ, જે ક્રમશઃ સુંદર રચનાથી યુક્ત યાવત્ પ્રતિરૂપ છે. ત્યારે તે પુરુષ આ પ્રમાણે બોલ્યો - હું પુરુષ છું, ખેદજ્ઞ, કુશળ, પંડિત, વ્યકત, મેધાવી, અબાલ, માર્ગસ્થ, માવિદ્ ગતિપરાક્રમજ્ઞ છું. હું આ શ્રેષ્ઠ કમળને ઉખેડી લાવું. આવું કહીને તે પુરુષ તે વાવડીમાં પ્રવેશ કરે. જેવો-જેવો તે વાવડીમાં આગળ વધે છે, તેવો તેવો તે ઘણાં પાણી અને કાદવમાં ખૂંચીને કિનારાથી દૂર થયો અને શ્રેષ્ઠ કમળ પ્રાપ્ત ન કરી શક્યો. તે ન આ પાર રહ્યો, ન પેલે પાર. વાવડીમાં ખૂંચી ગયો. આ પહેલો પુરુષ. [૬૫] હવે બીજો પુરુષ - તે પુરુષ દક્ષિણ દિશાથી વાવડી પાસે આવ્યો.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy