SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૯/-/૪૬૯ ૨૧૩ ૨૪. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સૂત્ર-૪૩૨ - વિદ્વાન મુનિ અતિમાન, માયા અને સર્વે ગરવોનો ત્યાગ કરી કેવળ નિવણિની જ અભિલાષા કરે. • એમ હું કહું છું. • વિવેચન : અતિમાનનો, શબ્દથી તેની સાથે ક્રોધ તથા માયા અને તેના કાર્યભૂત લોભ, આ બધું વિવેકી જ્ઞ પરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. તથા સર્વે ગાદ્ધિ-રસ-સાતા રૂપ ગારવોને સમ્યક્રયા જાણીને સંસાર કારણરૂપ હોવાથી ત્યાગ કરે. ત્યાગીને સાધુ બધાં કર્મના ક્ષયરૂપ સિદ્ધિ સ્થાનને માટે પ્રાર્થે. શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ “ધમ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - સંયમમાં ધૈર્ય હોય તો જ પંચમહાવ્રતના ભારનું વહન સુસાધ્ય બને છે તપ વડે સાથ સુગતિ હાથમાં જ છે. તે કહે છે - જેને ધૃતિ છે તેને તપ છે જેને તપ છે તેને સદ્ગતિ સુલભ છે. અધૃતિવાળાને તપ પણ દુર્લભ છે તથા જેણે ઇન્દ્રિયોના સ્વવિષયના રાગદ્વેષ જિતેલા છે કે સ્પર્શનાદિ ઇન્દ્રિયો વશ કરી છે, તે જિતેન્દ્રિય છે. સુશ્રુષા કરતા શિયો કે ગુરુઓ સુશ્રુષા વડે ઉક્ત વિશેષણવાળા થાય છે. એવી પ્રતિજ્ઞાવાળા પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ થાય છે. તે બતાવે છે– • સૂત્ર-૪૩૦ - ઘરમાં [સમ્યકd] દીપને પ્રાપ્ત ન કરનાર મનુષ્ય વસ્યાથી પરષોને આદાનીય બને છે. બંધનથી મુકત તે વીર જીવિતની આકાંક્ષા ન કરે. વિવેચન : ઘરમાં એટલે ગૃહવાસમાં, ગૃહપાશમાં કે ગૃહસ્થભાવમાં. દીપ એટલે દીપે કે પ્રકાશે છે. ભાવદીપ અર્થાત્ શ્રુતજ્ઞાનનો લાભ. [મેળવતા નથી.] અથવા દ્વીપ તે સમુદ્રાદિમાં જીવોને આશ્રયરૂપ છે. તેમ તે ભાવ દ્વીપ-સંસારસમુદ્રમાં સર્વજ્ઞ કહેલો ચારિત્ર લાભ મળે. આ દીપ કે દ્વીપ ગૃહસ્થભાવમાં પ્રાપ્ત ન થતા સેમ્ય રીતે દીક્ષા લઈ ઉત્તરોત્તર ગુણ લાભ વડે આ પ્રકારે થાય, તે દશવિ છે - ધર્મમાં પુરષોતમપણાથી અહીં ‘નર’ શબ્દ લીધો છે. અન્યથા સ્ત્રીઓને પણ સાધુપણું હોય છે અથવા નર શબ્દથી દેવ આદિને ગણેલ નથી. તેથી ચા»િ લીધેલાં ઉત્તમ પુરષો મુમુક્ષુઓને આશ્રય કરવા યોગ્ય છે. મહાચી પણ મહાન થાય છે અથવા આદાનીય હિતસ્વીઓને મોક્ષ કે તેનો માર્ગ સમ્યગદર્શનાદિ મનુષ્યોને આદાનીયા છે. • x • તે નર વિશેષથી આઠ પ્રકારના કર્મોને પ્રેરે છે માટે વીર છે. તથા બાહ્ય અત્યંતર પુત્ર-સ્ત્રી આદિના નેહરૂપ બંધન, તેને પ્રબળતતાથી છોડે બંધનથી. મુક્ત થયેલ સંયમજીવિત કે પ્રાણ ધારણ કરવાને વાંછતા નથી. • સૂત્ર-૪૩૧ - સાધુ શબ્દ અને સ્પર્શમાં આસક્ત ન રહે. આરંભમાં અનિશ્ચિત રહે, આ અધ્યયનના આરંભથી જે કહ્યું તે સર્વે સમયાતીત છે. • વિવેચન : વળી તે અમૃદ્ધ એટલે અમૂર્થિત રહે. શેમાં ? મનોજ્ઞ શબ્દ કે સ્પર્શીમાં. ધસંતના ગ્રહણથી મધ્યનું ગ્રહણ લેતા મનોજ્ઞ રૂપ, ગંધ, રસમાં પણ અમૃદ્ધ રહે તેમ જાણવું. તથા અમનોજ્ઞમાં દ્વેષ ન કરે. સાવધ અનુષ્ઠાનરૂપ આમોમાં પ્રવૃત રહે. હવે ઉપસંહાર કરતા કહે છે - અધ્યયનના આરંભથી પ્રતિષેધ કરવા માટે જે મેં ઘણું કહ્યું તે આહંતના આગમથી વિરુદ્ધ હોવાથી નિષેધેલ છે. તથા જે વિધિ દ્વારથી કહ્યું તે બધું કુસિદ્ધાંતથી લોકોત્તર પ્રધાન છે. જો કે તે કુતીચિંકોએ ઘણું કહ્યું, તે સિદ્ધાંત વિરુદ્ધ હોવાથી ન આદરવું. પ્રતિષેધ્ય પ્રધાન નિષેધ દ્વારથી મોક્ષ સાધવા કહે છે
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy