SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૨/૫/૮૮ ૧૬ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જે કામ કે વ્યાધિ ચિકિત્સા જીવહત્યા વડે સિદ્ધ કરે છે તે તવ જ્ઞાનથી હિત છે. તેનું વચન સાધુએ સાંભળવું નહીં. એ પ્રમાણે હું કહું છું. રાધ્યયન-૨ ‘લોકવિજય’ના ઉદ્દેશા-૫ ‘લોકનિશ્રા'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ અધ્યયન-૨ ઉદ્દેશો-૬ “અમમત્વ” . • ભૂમિકા : પાંચમો ઉદ્દેશો કહ્યો. હવે છઠ્ઠો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - સંયમ દેહ યાત્રાર્થે લોકમાં જતા સાધુએ લોકમાં મમત્વ ન કર્યું. તે આ ઉદ્દેશાનો અધિકાર છે. તે હવે પ્રતિપાદિત કરે છે - આનો અનંતર સૂત્ર સંબંધ કહે છે - ‘અણગારને આ ન કો' તે અહીં સિદ્ધ કરે છે • સૂત્ર-૯૮ - તે [સાધક પૂર્વોકત વિષયને સમ્યક પ્રકારે જાણીને જ્ઞાનાદિ સાધનામાં સમુધત થઈ સ્વયં પાપકર્મ ન કરે, બીજા પાસે ન કરાવે. • વિવેચન : જેને પૂર્વોક્ત ચિકિત્સાદિ ન હોય તે અણગાર, તે જીવઘાતક ચિકિત્સા ઉપદેશ દાન કે પ્રવૃતિને પાપ છે તેમ સમજે, જ્ઞપરિજ્ઞા વડે જાણીને તેને પ્રત્યાખ્યાના પરિજ્ઞા વડે પરિહરે અને આદાનીય જે પરમાર્થથી જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ છે તેને ગ્રહણ કરે અથવા તે અણગાર જ્ઞાન આદિ મોક્ષનું સાચું કારણ છે એમ જાણીને સમ્યક સંયમ અનુષ્ઠાનમાં સાવધ થઈને સર્વ સાવધ કૃત્યો મારે ન કરવા એવી પ્રતિજ્ઞારૂપ પર્વત પર ચડીને આ સાવધ આરંભની નિવૃત્તિરૂપ સંયમ લીધો છે. તેથી પાપહેતુ રૂપ કર્મની ક્રિયા ન કરે, મનથી પણ ન ઈચ્છે - ન અનુમોદે. બીજા પાસે પણ ન કરાવે અર્થાત નોકર આદિને પાપસમારંભ કરવા ન પ્રેરે. પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ જે અઢાર પ્રકારના મન, વચન, કાયાથી પાપકર્મો પોતે કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરનારની પ્રશંસા ન કરે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે એક પાપ કરે ત્યારે બીજા પાપ લાગે કે નહીં ? કહે છે • સૂત્ર-૯૯ - કદાચ કોઈ એકનો સમારંભ કરે તો છ એ કાયના જીવોનો સમારંભ કરે છે. સુખનો અર્થી સુખ માટે દોડધામ કરતો જીવ સ્વકૃત દુઃખથી મૂઢ બની વિશેષ દુઃખી થાય છે. તે પોતાના પ્રમાદને કારણે વ્રતોનો ભંગ કરે છે. જે દશામાં પ્રાણી . અત્યંત દુઃખી થાય છે. એ જાણીને તેના સંકલાનો ત્યાગ કરે. આ જ પરિz/ વિવેક કહેવાય છે. તેનાથી જ કમ શાંત થાય છે. • વિવેચન : કોઈ પાપારંભમાં પૃથ્વીકાય આદિનો સમારંભ કરે છે અથવા કોઈ એક આશ્રવ દ્વારા આરંભે છે, તે છ એ કાયના આરંભમાં વર્તે છે - x - અર્થાત કોઈ એકને હણવાની પ્રવૃત્તિમાં સંબંધથી સર્વેનો ઘાત થાય છે. પ્રશ્ન - એક કાયને હણવા આરંભ કરે ત્યારે છ એનો આરંભ કેમ ? ઉત્તર - કુંભારની શાળામાં પાણી પાવાના દષ્ટાંતથી જાણવું કે એક કાયનો સમારંભક બીજા કામોનો સમારંભક થાય છે અથવા પ્રાણાતિપાત આશ્રદ્વારમાં વર્તવાથી એક જીવની હિંસા કે એક કાયના આરંભથી બીજા જીવોનો ઘાત પણ જાણવો. પ્રતિજ્ઞા લોપથી જૂઠનું પાપ બાંધે છે. જીવહિંસાની આજ્ઞા તીર્થકરે કે તે જીવે આપી નથી તેથી ચોરીનું પાપ લાગે. સાવધના ગ્રહણથી પરિગ્રહવાળો પણ થાય. પરિગ્રહથી મૈથુન અને સSિભોજન પણ ગ્રહણ કર્યું કેમકે પરિગ્રહ વિના સ્ત્રી ને ભોગવાય. એમ એકના આરંભે બધાંનો આરંભ થાય. અથવા ચાર આશ્રdદ્વાર રોક્યા વિના ચોયું-છઠું વ્રત કેમ ટકે ? આ રીતે એક કાયારંભમાં પ્રવર્તતા બધાંમાં પ્રવૃત્ત થાય અથવા એક પાપનો આરંભ કરનાર બીજા છ એ ના આરંભને યોગ્ય થાય છે અથવા જે એક પણ પાપારંભ કરે છે તે આઠે પ્રકારના કર્મો ગ્રહણ કરી અન્ય છ એ કાય સમારંભમાં વારંવાર પ્રવર્તે છે આવા પાપકર્મો શા માટે કરે ? સુખનો અર્થી વારંવાર અયુક્ત બોલે છે, કાયાથી દોડવા-કૂદવાની ક્રિયા કરે છે, મનથી તેના સાધનોના ઉપાયો વિચારે છે. ખેતી આદિ કરીને પૃથ્વીનો આરંભ કરે છે, સ્નાન માટે પાણી, તપ માટે અગ્નિ, ગરમી દૂર કરવા વાયુ, આહાર માટે વનસ્પતિ કે ત્રસકાયનો આરંભ કરે છે. આવો અસંયત કે સંયત સને માટે સચિત વનસ્પતિ આદિ ગ્રહણ કરે છે તથા બીજી વસ્તુ પણ વાપરે છે તે સમજી લેવું. આવો લોલુપ જીવ બીજા નવા જન્મના દુ:ખરૂપ વૃક્ષને વાવે છે, તે કારણવૃક્ષનું કાર્ય અહીં પોતે કરે છે, પછી સ્વકૃત કર્મોના ઉદયથી તે મૂઢ પરમાર્થને ન જાણવાથી સુખને માટે જીવ ઘાતક કૃત્યો કરે છે. પછી સુખને બદલે દુ:ખ પામે છે. કહ્યું છે કે, “દુ:ખનો દ્વેષી, સુખનો ચાહક, મોહલ્દી અંધ થવાથી ગુણ દોષને ન જાણનારો જે - જે ચેષ્ટા કરે તેથી દુ:ખ પામે છે.” અથવા તે મૂઢ-હિતપ્રાપ્તિ અહિતત્યાગરહિત ઉલટો ચાલે છે. હિતને અહિત તથા અહિતને હિત માને છે. કારને અકાર્ય, પથ્યને અપથ્ય, વાચ્યને અવાચ્ય આદિ સમજે છે. તેથી મોહ તે અજ્ઞાન કે મોહનીયનો ભેદ છે. તે બંને પ્રકારે મોહથી મઢ બનેલો અા સુખ માટે તે - તે આરંભ કરે છે, જેથી શરીર અને મનના દુ:ખ પામીને અનંતકાળ સંસાર પાત્રતાને પામે છે. - વળી મૂઢની બીજી અનર્થ પરંપરા બતાવે છે - સ્વકૃતુ પ્રમાદ વડે - મધ, વિષય, કષાય, વિકથા, નિદ્રા વડે - વિવિધ પાપ કરે છે અથવા વય એટલે સંસાર જેમાં સ્વકર્મથી જીવો ભ્રમણ કરે છે. એક-એક કાયમાં દીર્ધકાળ રહે છે. અથવા
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy