SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧//૫/૨ ૧૩ ૧૩૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પડે, સાધુની પોતાની જરૂરિયાત પૂર્ણ થાય. -x - આ હું મારી બુદ્ધિથી નથી કહેતો, પણ જિનેશ્વરે આ ઉદ્દેશાથી માંડીને કહ્યું છે તે કહે છે, તે જિનેશ્વરે શ્વયિિદ ગુણ યુક્ત અર્ધમાગધી ભાષામાં, બધાં પોતાની ભાષામાં સમજે તે રીતે દેવ-માનવની પર્મદામાં કેવલજ્ઞાનરૂપી ચક્ષુ વડે જોઈને કહ્યું છે, એમ સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે. વસ્તુ, આહાર મળતા હું લબ્ધિમાન છું તેમ અહંકાર ન કરે, ન મળે તો શોક ન કરે, દીનતાથી એવો ખેદ ન કરે કે, મને ધિક્કાર થાઓ, હું મંદભાગ્ય છું, બધાંને બધી વસ્તુ આપનાર દાતા છે પણ મને નથી મળતું. લાભાલાભમાં માધ્યસ્થતા રાખે. કહ્યું છે - મળે તો સારું, ન મળે તો પણ સારું. ન મળે તો તપો વૃદ્ધિ થશે અને મળે તો પ્રાણ ધારણ થશે. આ રીતે પિંડ, પબ, વસ્ત્રની એષણા બતાવી છે. હવે સંનિધિ પ્રતિષેધ માટે કહે છે - ઘણું મળે તો સંગ્રહ ન કરે.- x • x - આહારની માફક સંયમ ઉપકરણમાં વસ્ત્ર, પાસાદિ પણ વધુ ન લે. - ૮ - ધર્મોપગરણથી વધુ જેટલું લેવું તે પરિગ્રહ છે, માટે તે ન લે. તેમાં મૂછ પણ ન કરે - X - X • શંકા કરે છે કે પરિગ્રહ પણ ગદ્વેષનું કારણ છે તો ધર્મોપગરણને પરિગ્રહ કેમ ન માનવો ? વળી કહ્યું છે કે, આ મારું છે એવો અભિમાનરૂપ દાહ જ્વર જ્યાં સુધી છે. ત્યાં સુધી જમના મુખમાં જવાનું છે તેમ ત્યાં શાંતિ નથી, ઉન્નતિ પણ નથી, માટે યશ અને સુખ વાંછુકોએ અનર્થ જાણી મમતાને દૂર કરવી. આચાર્ય ઉત્તર આપે છે - આ દોષ નથી. ધર્મોપકરણમાં આ મારું છે એમ સાધુને પરિગ્રહનો આગ્રહ નથી. આગમમાં પણ કહ્યું છે, જે મુનિને પોતાના શરીરમાં મમત્વ નથી, તે બીજામાં મમત્વ કઈ રીતે કરે ? જે કર્મ બંધને માટે લેવાય તે પરગ્રહ છે, કર્મનિર્જરાર્થે હોય તે પરીગ્રહ નથી. • સૂત્ર-૯૩ - આ પ્રકારે કોઈને-વિચારીને પરિગ્રહનો ત્યાગ કરે. આ માર્ગ તીર્થકરોએ બતાવેલ છે. જેથી કુશલપુરષ પરિગ્રહમાં ન લેપાય. તેમ હું કહું છું. • વિવેચન : આ પ્રકારે દેખતો બનીને [વિચારીને પરિગ્રહ છોડે. પરમાર્થને ન જાણતા ગૃહસ્થો પરીગ્રહને સુખના સાધનરૂપે જુએ છે, સાધુ ન જુએ. તેનો આશય આ છે - આ ઉપકરણ આચાર્યનું છે, મારુ નથી. રાગદ્વેષનું મૂળ છે તે પરિગ્રહનો અહીં નિષેધ છે, ધમપકરણનો નિષેધ નથી, તેના વિના સંસાર સમુદ્રથી પાર જવાય નહીં. કહ્યું છે કે, “કોઈ નાનું કાર્ય ગમે તેમ સાધી લેવાય પણ મોટું કાર્ય તેમ સિદ્ધ ના થાય. ખાબોચીયું કુદી જવાય પણ નાવ વિના સમુદ્ર પાર ન થાય. જો કે પરીગ્રહ વિષયમાં દિગંબર સાથે મતભેદ છે, તેથી સૂત્રમાં કહ્યું કે, આ “માર્ગ'' તીર્થકરે કહ્યો છે - ધમપકરણ પરીગ્રહને માટે નથી. સર્વ પાપરૂપ “હેય' ધર્મથી જે દૂર છે, તે આય-તીર્થકરો છે. પણ જેઓ ધમોંપકરણને પરીગ્રહ કહે છે, તે પણ કુંડિકા આદિ રાખે જ છે. તેમણે સ્વરૂચિ મુજબ ઉપકરણ રાખવાનો માર્ગ શોધી કાઢેલ છે -x-x- આ જ પ્રમાણે કોઈ ધમોંપકરણને પરગ્રહ કહે તો તેને સમજાવવા. આ પ્રમાણે સ્વસિદ્ધાંતના ગૌરવ માટે તીર્થંકરે પ્રરૂપણા કરી તે યુક્ત જ છે. તેથી ઉત્તમ સાધુએ જિનેશ્વરના માર્ગમાં ઉધમવંત થવું. કર્મભૂમિ પ્રાપ્ત કરીને, મોક્ષવૃક્ષાના બીજ સમાન બોધિ તથા સર્વ સંવરરૂપ રાત્રિ પામીને- X - કર્મમાં જેમ લેપ ન થાય, નવા કર્મ ન બંધાય તેમ ઉત્તમ માર્ગમાં વર્તવું - તે વિદિત વેધ (પંડિત જાણવો. જો તે માર્ગ ઉલ્લંઘીને ચોક્ત ધર્માનુષ્ઠાન ન કરે તો કર્મબંધ થાય. આ સતપુરુષોનો માર્ગ છે. તેથી ગૃહિત પ્રતિજ્ઞા અંત સુધી પાળવી જોઈએ. કહ્યું છે કે, ગુણ સમૂર્તી માતા તથા અત્યંત શુદ્ધ હૃદય બનાવનારી જે લજ્જા છે તેને શ્રેષ્ઠ માતા માની સાધુઓ સુખેથી પોતાના પ્રાણ ત્યજે પણ સત્ય સ્થિતિને ચાહનારા પોતાની પ્રતિજ્ઞા ન ભાંગે. | ‘ત્તિવેષ' - પૂર્વવતુ જાણવું. પરિગ્રહથી આત્માને દૂર કરવા કહ્યું તે નિદાનછેદ વિના ન થાય. નિદાન [વાસના શબ્દાદિ પાંચ ગુણના અનુગામી ‘કામ' છે. કામભોગનો ત્યાગ મુશ્કેલ છે તે જણાવે છે– • સૂત્ર-૯૪ - કામભોગોનો ત્યાગ ઘણો મુશ્કેલ છે. જીવનને લંબાવી શકાતું નથી. આ પુરણ કામભોગની કામના રાખે છે. પછી તે શોક કરે છે, વિલાપ કરે છે, નિમયદિ બનીને અને પરિતાપથી દુઃખી થાય છે. • વિવેચન : કામના બે ભેદ છે - ઇચછાકામ, મદનકામ. હાસ્ય અને તિમોહનીય કર્મથી ઇચ્છાકામ ઉદ્ભવે છે અને વેદ મોહનીય કર્મોદયથી મદનકામ થાય છે બંને કામનું કારણ મોહનીય છે. તેના સભાવમાં કામનો ઉચ્છેદ મુશ્કેલ છે માટે તેનો વિનાશ દુ:ખે કરી થાય છે. તેથી કહ્યું કે, તેમાં પ્રમાદી થવું નહીં, જીવિતમાં પણ પ્રમાદ ન કરવો. ક્ષણે ક્ષણે ઓછાં થતા આયુની વૃદ્ધિ થવાની નથી. અથવા સંયમ-જીવિતનો સંસારી વાસનામાં પડતા દુ:ખે કરીને નિર્વાહ થાય છે અર્થાત્ સંયમ-પાલન મુશ્કેલ થાય છે. કહ્યું છે કે, આકાશે ગંગા નદીનો પ્રવાહ છે, તેની સામે જઈને તરવું મુશ્કેલ છે અથવા મહાસાગર હાથ વડે તરવો મુશ્કેલ છે. રેતીના કોળીયાની જેમ તથા લોઢાના જવ ચાવવાની જેમ સંયમપાલન મુશ્કેલ છે. ઇત્યાદિ અભિપ્રાય મુજબ ‘કામ' તજવો મુશ્કેલ છે, તે બતાવ્યું છતાં કહે છે - કામકામી, વિષયલાલચુ જીવ શરીર અને મન સંબંધી ઘણાં દુઃખોને ભોગવે છે, તે બતાવે છે– તે કામકામી ઇચ્છિત વસ્તુ ન મળતાં કે તેનો વિયોગ થતાં તેનો શોક કરીને કે તાવ ચઢેલા માણસની જેમ પ્રલાપ કરે છે, કહ્યું છે - પ્રેમ બંધન નાશ પામતાં, પ્રણય-બહુમાન ઓછું થતાં, સદ્ભાવ ઓછો થતાં જતો રહેતો પ્રેમ જોઈને કોઈ સ્ત્રી
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy