________________
૨૩૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
૨/l--lભૂમિકા
૨૩૩ વજસ્વામીએ પાદપોગમન અનશન કર્યું તથા જ્યાં વર્ધમાનવામીને આશ્રીને ચમરેન્દ્ર ઉત્પાત કર્યો; આ બધા સ્થાનોમાં યથાસંભવ અભિગમન, વંદન, પૂજન, કીર્તનાદિ ક્રિયા કરવાથી દર્શનશુદ્ધિ થાય છે. - વળી
[નિ.335,33] પ્રવચનવિદોમાં આ ગુણપત્યયિક અર્થો છે–
જેમ આ બીજગણિત આદિમાં પાર પામેલો. આ અષ્ટાંગ નિમિતમાં પાર પામેલો તથા દૈષ્ટિવાદમાં ઉક્ત જુદી જુદી યુક્તિ કે દ્રવ્યસંયોગના હેતુને જાણે. તથા સમ્યગુષ્ટિ-અવિપરીત દર્શનવાળા હોય, તેને દેવોથી પણ ચલાયમાન કરવા શક્યા નથી. તથા અવિતથ જ્ઞાનવાળા પવિત્ર આચાર્યાદિના ગુણોની પ્રશંસા કરતાં દર્શના શુદ્ધિ થાય છે.
તે જ પ્રમાણે બીજા પણ આચાર્યાદિના ગુણ માહાભ્ય વર્ણવતા તથા પૂર્વ મહર્ષિના નામોકીર્તન કરતા, તેઓની સુર-નરેન્દ્ર એ કરેલ પૂજાદિની કથા કરતા તથા પ્રાચીન ચૈત્યોને પૂજતા, ઇત્યાદિ ક્રિયા કરતા તેમના ગુણોથી વાસિત થતાં દર્શન વિશુદ્ધિ થાય છે. આ પ્રશસ્તા દર્શનવિષયા ભાવના છે.
જ્ઞાનભાવનાને આશ્રીને કહે છે–
[નિ.33૮ થી ૩૪૦-] જ્ઞાનની ભાવના તે જ્ઞાન ભાવના. તીર્થકરનું જ્ઞાનપ્રવચન-વ્યથાવસ્થિત બધા પદાર્થોનું વર્ણન. તે જ્ઞાન વડે મોક્ષની પ્રઘાન અંગ એવું અધિગમ સમ્યકત્વ પ્રગટ થાય છે. કારણ કે તવાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્રદર્શન. જીવાદિ નવ પદાર્થ તે તવ છે, આ તત્વો જ્ઞાનના અર્થીઓએ સમ્યક જાણવા યોગ્ય છે. તે પરિજ્ઞાન આ આહત પ્રવચનમાં ઉપલબ્ધ છે. વળી આ હેતુ પ્રવચનમાં પરમાર્થરૂપ કાર્ય મોક્ષ છે. તે મોક્ષની ક્રિયા સિદ્ધિમાં પ્રકૃષ્ટ ઉપકારક સમ્યગ્રદર્શન-જ્ઞાન-ચારિત્ર છે. કારક એટલે સમ્યગદર્શનાદિનો અનુષ્ઠાતા સાધુ ક્રિયાસિદ્ધિ તે મોક્ષની પ્રાપ્તિ, તેને જ દવિ છે - બંધ એટલે કર્મબંધન, તેનાથી મુક્તિ અર્થાત્ કર્મનો ક્ષય. તે અહીં જ છે, શાક્યાદિ દર્શનમાં નથી. એ પ્રમાણે જ્ઞાનને ભાવતા જ્ઞાનભાવના થાય છે.
આઠ પ્રકારના કર્મપુદ્ગલોથી જીવ દરેક પ્રદેશે બંધાયેલ છે. મિથ્યાવ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના હેતુ છે. આઠ પ્રકારની કર્મવMણા એ બંધન છે. ચાર ગતિવાળા સંસારમાં ભ્રમણ કરતા સુખ-દુઃખ અનુભવવા તે તેનું ફળ છે. આ બધું જિનવચનમાં જ કહ્યું છે. અથવા બીજા જે કંઈ સુભાષિત વચનો છે તે જિનપ્રવચનમાં જ કહ્યા છે. તે જ્ઞાનભાવના છે. વળી સંસારનું વિચિત્ર સ્વરૂપ પણ જિનેન્દ્રોએ કહ્યું છે.
મને વિશિષ્ટતર જ્ઞાન થશે તે જ્ઞાનભાવના કરવી એટલે જ્ઞાનનો અભ્યાસ કરવો. આદિ શબ્દથી એકાગ્રચિત્ત વગેરે ગુણો જ્ઞાનથી થાય છે. વળી અજ્ઞાની જે કર્મ કરોડો વર્ષે ખપાવે તે જ્ઞાની શ્વાસોશ્વાસમાં ખપાવે એ ભાવના ભાવવી. આવા કારણથી જ્ઞાન ભણવું. તેથી જ્ઞાનનો સંગ્રહ થાય, નિર્જરા થાય, ભૂલાય નહીં અને સ્વાધ્યાય થાય. જ્ઞાનભાવનાથી નિત્ય ગુરુકૂલવાસ થાય તે કહે છે - જ્ઞાનનો ભાગી
થાય, દર્શનચાત્રિમાં સ્થિર થાય. આથી ગુરુકુલવાસ ન મૂકનાર ધન્ય છે. આવી જ્ઞાનવિષયા ભાવના છે - હવે ચારિભાવનાને આશ્રીને કહે છે
[નિ.૩૪૧,૩૪૨- પહેલા વ્રતની ભાવના-અહિંસાદિ લક્ષણ ધર્મ શ્રેષ્ઠ છે. બીજા વ્રતની ભાવના - આ આહંત પ્રવચનમાં સત્ય છે તેવું બીજે નથી. બીજા વ્રતની ભાવના - અદત્ત વિરતિ અહીં જ શોભે છે. ચોથા વ્રતમાં - નવગુતિ ગુપ્ત બ્રહ્મચર્ય અહીં જ છે. પાંચમાં વ્રતમાં - પરિગ્રહ વિરતિ અહીં જ સર્વોત્તમ છે. તથા બાર પ્રકારનું તપ અહીં જ શોભે છે.
વૈરાગ્ય ભાવના - સાંસારિક સુખની ગુણારૂપ છે. અપ્રમાદ ભાવના-મધાદિ પ્રમાદશી કર્મબંધ ઉપાદાનરૂપ છે માટે સેવવું નહીં. એકાગ્ર ભાવના-જ્ઞાન-દર્શનચારિત્રયુક્ત એક જ મારો આત્મા શાશ્વત છે. બાકીના સર્વ સંયોગ લક્ષણરૂપ બાળ ભાવો છે. ઇત્યાદિ ભાવના ચારિત્રને ટેકો આપે છે. હવે આગળ તપોભાવના કહીશ.
[નિ.૩૪૩-] વિગઈરહિતપણે તપ વડે મારો દિવસ કઈ રીતે અવશ્ય થાય ? હું કયો તપ કરવા સમર્થ છું ? કયા દ્રવ્યથી મારો તપ-નિવહ થશે ? આવું ચિંતવવું તેમાં ઉત્સર્ગથી દ્રવ્યમાં વાલ, ચણા, ક્ષેત્રથી સ્નિગ્ધ કે સૂક્ષ, કાળથી શીત કે ઉણ, ભાવથી હું ગ્લાન છું માટે તપ કર્યું. એ રીતે દ્રવ્યાદિ વિચારણા કરી યથાશક્તિ તપ કરવો. - X - X -
[નિ.૩૪૪- અનશનાદિ તપમાં બળ કે વીર્ય ન ગોપવતા ઉત્સાહ રાખવો અને લીધેલ તપનું પાલન કર્યું. કહ્યું છે - તીર્થકર ચાર જ્ઞાની છે, દેવપૂજિત છે, વિશે સિદ્ધિ પામે છે. તો પણ બળ-વીર્ય ગોપવા વિના સર્વ શકિતએ તપોધમ કરે છે. તો પછી બીજા સાધુઓ અનેક વિદનવાળા મનુષ્ય ભવમાં દુ:ખના ક્ષય માટે શા માટે ઉધમ ન કરે ? આવી તપ ભાવના કરવી. એ રીતે સંયમમાં ઇન્દ્રિય-નોઇન્દ્રિય નિગ્રહરૂપ, સંઘયણ તે વજsષભાદિમાં તપનો નિવહ થઈ શકે તેવી ભાવના ભાવવી.
વૈરાગ્ય ભાવનામાં - x • અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિવ, સંસાર, કમશ્રવ, સંવર, નિર્જરણ, લોકવિસ્તર, સ્વાખ્યાત ધર્મ અને તત્વચિંતન તથા બોધિની દુર્લભતા ભાવના ભાવવી.
ભાવના અનેક પ્રકારે છે, પણ અહીં ચારિત્ર ભાવના અધિકાર છે—
સૂઝ-૫૦૯ - વિવેયન સુન્ન-૫૩૫ને અંતે.
તે કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીરને ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં પાંચ ઘટનાઓ થઈ. જેમકે - ઉત્તરાફાલ્ગની નફtત્રમાં – (૧) વ્યા, વીને ગર્ભમાં ઉત્પન્ન થયા. () એક ગર્ભમાંથી બીજ ગમિાં સંહારાયા. (૩) જમ્યા. (૪) મુંડ થઈ, ગૃહત્યાગી અણગર ધર્મમાં પdજિત થા. (૫) સંપૂર્ણ, પતિપૂર્ણ, અલાઘાત, નિરાવરણ, અનંત, અનુત્તર, શ્રેષ્ઠ કેવલtlન અને કેવલદ શનિ પામ્યા અને સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ પામ્યા.
• સૂઝ-૫૧૦ : વિવેયન સૂઝ-N3ષને અંતે. શ્રમણ ભગવત મહાવીર આ અવસર્પિણીમાં સુષમસુષમ આરો, સુષમ