________________
Boo
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હે વિધુત દેવ! આદિ. તથા વરસાદ પડો કે ન પડો ઇત્યાદિ 'સૂઝાઈ મુજબ] આવી દેવાદિ ભાષા ન બોલે. કારણે તે પ્રજ્ઞાવાનું સાધુ સંયત ભાષા વડે અંતરિક્ષ આદિ ભાષા બોલે. આ તે ભિક્ષુની સમગ્રતા અર્થાત્ ભિક્ષુભાવ છે.
ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત” ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૨/૧/૪/૧/૪૬૩
૧૯૯ આજ્ઞાપની આદિ છે. તેવી ભાષા અસાવધ, અક્રિય યાવતુ અભૂતપઘાતિની છે, તેને મનથી વિચારીને સાધુએ હંમેશા બોલવી.
• સૂત્ર-૪૬૮ :- સાધુ-સાદની કોઈ પુરુષને બોલાવે ત્યારે બોલાવવા છતાં તે ન સાંભળે તો આમ ન કહે, હે હોલ !, ગોલ, ચાંડાલ, કુતિ, દાસિપુ, કૂતરા, ચોર, વ્યભિચારી, કપટી કે, હે જૂઠા અથવા તું આવો છે, તારા મા-બાપ આવા છે. આવા પ્રકારની ભાષા સાવધ, સક્રિય યાવત્ ભૂતોપઘાતિક છે તેથી વિચારી સમજી સાધુ આવી ભાષા ન બોલે.
સાધુ કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા છતાં તે ન સાંભળે ત્યારે એમ કહે કે, હે અમુક !, હે આયુષ્યમાન ! આયુષમાનો, શ્રાવક, ઉપાસક, ધાર્મિક કે હે ધમપિયા આ પ્રકારની અસાવધ યાવતું અહિંસક ભાષાનો વિચારપૂર્વક બોલે.
સાધુ-સાધી કોઈ સ્ત્રીને બોલાવે ત્યારે કે બોલાવતા ન સાંભળે ત્યારે આમ ન કહે, હે હોલી ! હે ગોલી આદિ પૂર્વવત
સાધુ-સાદની કોઈ સ્ત્રીને બોલાવે ત્યારે કે બોલાવતા ન સાંભળે ત્યારે આમ કહે, હે આયુષ્યમતી ! હે ભગિની ! ભવતી, ભગવતી, શ્રાવિકા, ઉપાસિકા, ધાર્મિકા કે હે ધમપિયા! આવી અસાવધ ભાષા બોલે.
• વિવેચન :
તે ભિક્ષ કોઈ માણસને બોલાવે કે બોલાવે ત્યારે તે ન સાંભલે તે આવું ન બોલે, હે હોલ! ગોલ! દેશાંતરમાં આ બંને અપમાનસૂચક શબ્દો છે. તથા વૃષલ ઇત્યાદિ (સૂત્રાર્થ મુજબ જાણવા.) આવી ભાષા યાવતુ ન બોલવી પણ તેથી વિપરીત ભાષા બોલવી તે કહે છે - X - X - હે અમુક ! હે આયુષ્યમાન્ ! ઇત્યાદિ ભાષા બોલે. આ જ પ્રમાણે સ્ત્રીને આશ્રીને બે સૂગ પ્રતિષેધ-વિધિના જાણવા. ફરી અભાષણીય કહે છે.
• સૂત્ર-૪૬૯ -
સાધુ-સાધી આ પ્રમાણે ન બોલે કે, હે નભોદેવા, હે ગજેદવા, વિધુત દેવા, હે પ્રવૃષ્ટ દેવા, હે નિવૃષ્ટ દેવ! વરસાદ વરસે કે ન વરસે, ધાન્ય નિપજે કે ન નિપજે રાશિ પ્રકાશવાળી થાઓ કે ન થાઓ, સૂર્ય ઉગે કે ન ઉગે, રાજ જય પામો કે ન પામો, આવી ભાષા ન બોલે.
સાધુ-સાધ્વી પ્રયોજન હોય તો અંતરિક્ષ, ગુહ્યાનચરિત, સંમૂર્ણિમ જલ વરસે છે કે મેઘ વરસે છે કે વાદળા વસી ચૂક્યા છે [એવી ભાષા બોલે). આ તે સાધુ-ન્નાદળીનો ભાષા સંવાંધી આચાર છે, જે સર્વ અર્થ વડે, સમિત થઈ, સહિત થઈ સદા યતનાપૂર્વક પાળે. તેમ હું કહું છું.
• વિવેચન :તે ભિક્ષા આવી અસંયત ભાષા ન બોલે. જેમકે હે નભોદેવ! હે ગર્જતો દેવ!
૬ ચૂલિકા-૧ અધ્યયન-૪ ઉદ્દેશો-૨ થક o પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ગત ઉદ્દેશામાં વાચ્ય-અવાચ્યનું વિશેષપણું બતાવ્યું. અહીં પણ તે જ બાકીનું કહે છે : આ સંબંધે આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર
• સૂત્ર-૪૭૦ -
સાધુન્નાદળી જેવા પ્રકારનું રૂપ જુએ ત્યાં તેને એવું જ ન કહે જેમકે - ગંડરોગીને ગંડી, કુષ્ઠને કોઢીયો, યાવત મધુમેહના રોગીને મધુમેહી કહેવો. હાથ કપાયેલાને હાથકડ્યો, એ રીતે લંગડો, નકટો, કાનકટો, હોઠકટો ઇત્યાદિ.
આા જેટલા પ્રકાર છે તેમને એવા જ પ્રકારે બોલાવતા તે વ્યક્તિ દુઃખી કે કુપિત થાય છે. તેથી આવા પ્રકારની ભાષાથી તેમને બોલાવવાનો વિચાર પણ ન કરે.
- સાધુ-સાદdી કોઈ પ્રકારના રૂપ જુએ અને બોલવાનું પ્રયોજન હોય તો ઓજસ્વીને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્તીને યશસ્વી એ રીતે વર્ચસ્વી, અભિરૂપ, પ્રતિરૂપ, પ્રાસાદીય કે દર્શનીય કહે; પ્રમાણે જે જેવા છે તેને તેના પ્રકારે સૌમ્યાભાષાથી સંબોધિત કરે તો તે કુપિત ન થાય, તેથી સાધુ-સાળીએ આવા પ્રકારની સૌમ્ય ભાષા બોલવી જોઈએ.
સાધુ-સાદdી કોઈ પ્રકારના રૂપને જુએ - જેમકે - કોટ યાવતું ગૃહાદિ, તો પણ તે એમ ન કહે - સારું બનાવ્યું, સુષુકૃત, સાધુકૃત, કલ્યાણકારી, કરણીય, આવા પ્રકારની સાવધભાષા ચાવતું ન બોલે.
સાધુ-સાધ્વી કોઈ પ્રકારના રૂપ જુએ . જેમકે - કોટ ચાવતું ગૃહાદિ. ત્યારે પ્રયોજનવશ4 એમ કહે કે, આરંભ, સાવધ કે પ્રયત્ન કરીને બનાવેલ છે. તે પ્રસાદયુક્ત હોય તો પ્રાસાદિક, એ રીતે દનિીય, અભિરૂપ, પ્રતિરૂપ કે આવા પ્રકારની અસાવધ ભાષા યાવત્ સાધુ બોલે.
• વિવેચન :
તે મિક્ષ કોઈ રૂપ જેમકે - ગંડીપદ, કુષ્ઠી આદિ જુએ તો પણ તેનું નામ લઈ તે વિશેષણથી ન બોલાવે જેમકે - ગંડરોગીને ગંડી અથવા જેના પગ અને પીંડીમાં શૂન્યતા હોય તેને ગંડી, કહી ન બોલાવે. - x • ચાવતુ મધુ જેવું મૂત્ર વારંવાર આવે તેને મધુમેહી કહી ન બોલાવે. ધૂત અધ્યયનમાં આ બઘાં રોગનું વર્ણન છે, તે