________________
ઉપર
૨/૧/૧/૯/૩૮૪
૧૫૩ તો શું કરવું? તે કહે છે, તે પહેલા ઉપયોગ રાખે અને આહારને તૈયાર થતો જોઈ એમ કહે, હે અમુક ભાઈ કે બહેન ! મને આધાકર્મિક આહાર ખાવો કે પીવો કહેતો નથી. તેથી તે માટે તમે યત્ન ન કરો. આમ કહેવા છતાં ગૃહસ્થ આધાકમિિદ આહાર તૈયાર કરે તો તે મળવા છતાં પણ સાધુ ગ્રહણ ન કરે.
• સૂત્ર-૩૮૫ -
તે સાધુ કે સાળી ચાવતું જાણે કે અતિથિ માટે - માંસ કે મત્સ્ય ભૂંજાઈ રહ્યા છે, તેલના પુડલા બની રહ્યા છે તે જોઈને અતિelluતાથી પાસે જઈને યાચના ન કરે. શ્વાન સાધુ માટે આવશ્યક હોય તો જાય.
• વિવેચન :
તે સાધુ જો એમ જાણે કે માંસ કે મત્સ્ય અથવા તેલuધાન પૂડાઓ તેને ત્યાં આવનારા મહેમાનો માટે તૈયાર થઈ રહ્યા છે - સંકારાઈ રહ્યા છે, ત્યારે તેને જોઈને લોલુપતાથી જલ્દી જલ્દી - x - જઈને યાચના ન કરે. સિવાય કે ગ્લાનાદિના કાર્ય માટે જવું પડે.
• સૂત્ર-૩૮૬ -
તે સાધુ કે સાળી કોઈપણ પ્રકારના ભોજનને ગ્રહણ કરીને સારો-સારો આહાર ખાઈને ખરાબ કે નિઃસવાદ આહાર પરઠવી દે તો તે માયાસ્થાનને સ્પર્શ છે, તેણે આમ ન કરવું જોઈએ. સારું કે ખરાબ બધું જ ખાવું જોઈએ, કંઈપણ પરઠવવું ન જોઈએ.
• વિવેચન :
તે મિક્ષ કોઈપણ જાતનું ભોજન ગ્રહણ કરીને સારું-સારું ખાઈ જાય અને દુધી પદાર્થ ત્યજી દે - x • તો તે કપટ છે, તેવું ન કરવું જોઈએ. પણ સારું કે માઠું બધું ખાઈ લે પણ પરઠવે નહીં.
• સૂર-૩૮૭ :
તે સાધુ કે સાળી કોઈપણ જાતનું પાણી ગ્રહણ કરીને મધુર-મીઠું પાણી પીવે અને કસેલુ-અમનોજ્ઞ પાણી પરઠવી દે, હે માયાસ્થાનને સ્પર્શે છે, તે સાધુ એવું ન કરે. પુષિત કે કાસાયિત બધું જ પાણી પી જાય તેમાંથી કિંચિત્ પણ ન પરઠd.
વિવેચન :
[ભોજન માક] પાનકસૂગ પણ જાણવું, સારા વર્ણ-ગંધયુક્તને કહેવાય તેથી વિપરીત કપાય કહેવાય. - x - સૂર-૩૮૬ માફક આહારના ગૃદ્ધપણાથી સૂગાર્યની હાનિ અને કર્મબંધ થાય છે.
• સૂત્ર-૩૮૮ -
તે સાધુ કે સાળી યાવતુ ઘણાં ભોજનાદિને ગ્રહણ કરી લાવેલ હોય (અને આવશ્યકતાથી અધિક હોય તો] ત્યાં જે સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તા અપરિહારિક નિકટમાં હોય તેમને પૂછયા કે નિબંધિત કચી વિના જે સાધુ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર આહાર પર હવે તો તે માયાસ્થાનને સ્પર્શે છે, સાધુએ તેમ ન કરવું. પરંતુ આહાર લઈને ત્યાં જાય, તેમને બતાવીને કહે છે ઘમણો ! આ અશનાદિ ઘણાં વધુ છે, તે તમે વાપરો. તે એવું કહે ત્યારે બીજા સાધુ એમ કહે કે, હે શ્રમણ ! આ આહારમાંથી અમારાથી જેટલું ખાઈ-પી શકાશે તેટલું વાપરીશું, જે બધું વપરાશે તો બધું ખાઈશું-પીણું [ો આપી દે.]
• વિવેચન :
તે ભિક્ષ ઘણું ભોજન પ્રાપ્ત થાય ત્યારે આચાર્ય, ગ્લાન, પરોણા આદિ માટે લાવેલ દુર્લભદ્રવ્યાદિ આપ્યા પછી પણ ઘણું વધી જવાથી ન ખવાય તો ત્યાં સાધર્મિકો, સાંભોગિકો, સમનોજ્ઞો, પરિહારિકોને-x- નજીક હોવા છતાં તેઓને પૂછયા વિના પ્રમાદથી પરઠવી દે તો તે કપટ કરે છે, તેણે એમ ન કરવું, તો શું કરવું ? તે બતાવે છે . તે સાધુ તે વધારાનો આહાર લઈને તેઓની પાસે જાય, જઈને પહેલા આહાર બતાવે. પછી એમ કહે કે, હે શ્રમણો ! મારી પાસે આ અશનાદિ ઘણાં છે, હું તે ખાવા સમર્થ નથી, તમે કંઈ લેશો ? તે સાંભળી બીજા સાધુ કહે કે અમારાથી બને તેટલું ખાઈશું-પીશું, બધું ખવાય તો બધું વાપરીશું.
• સૂત્ર-3૮૯ -
તે સાધુ કે સાળી વાવ જાણે કે આ અશનાદિ બીજાને ઉદ્દેશીને બહાર વાવેલ છે અને તેમણે મને આપવાની અનુમતિ આપી નથી અથવા અનિકૃષ્ટ છે તો તેવા આશનાદિ અમાસુક જણી ગ્રહણ ન કરે. પરંતુ જેના માટે તે આહાર પાણી લાવ્યા હોય તેમની આજ્ઞાથી આપે અથવા તેમનો ભાગ આપી દીધા પછી દાંતા આપે તો તેને પામુક માનીને ચાવ4 ગ્રહણ કરે, આ તે સાધુ-સાળીની સામાચારી છે.
• વિવેચન :
તે ફરી જો આવો આહાર જાણે કે - ચાર, ભટ આદિને ઉદ્દેશીને ઘરમાંથી કાઢેલ છે, પણ તે આહારને ચાર, ભટ આદિએ સ્વીકારેલ નથી, તો તે બહુ દોષવાળો જાણીને ન લેવો. પણ જો તે આહાર તે માલિકે સ્વીકારી પોતાનો કર્યો હોય અને આપે તો ગ્રહણ કરવો. - x •
ચૂલિકા-૧ અધ્યયન-૧ “fપvઘT" ઉદ્દેશા-૯ત્નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |