________________
૧/૯/૨/ર૯૮,૨૯૯
૧૦૧
• સૂગ-૨૯૮,૨૯ :
રિ૯૮-] ભગવત જ્યારે નિર્જન સ્થાનમાં સ્થિત હોય ત્યારે એકલા વિચરનાર ચોર, લંપટાદિ ભગવંતને પૂછતાં કે, તું કોણ છે ? અહીં શા માટે ઉભો છે ? ભગવંત કંઈ ઉત્તર ન આપે ત્યારે ક્રોધિત થઈ ભગવંતને પીટતા હતા. તો પણ ભગવંત પ્રતીકાર ન ક્રતા, સમાધિ-લીન રહેત.
રિ૯૯-] ભગવત અંતરઆવાસમાં સ્થિત હોય અને કોઈ પૂછે કે અંદર કોણ છે ? ભગવંત કહેતા હું ભિક્ષ છું. પૂછનાર ક્રોધિત થઈ કહે કે, જલ્દી અહીંથી ચાલ્યો જા. ત્યારે ભગવંત ચાલ્યા જતા. અથવા મારપીટ કરે તો ભગવંત આ ઉત્તમ ધર્મ છે એમ સમજી મૌન રહેતા.
• વિવેચન-૨૯૮,૯૯ :
[૯૮-] તે ભગવંત ૧૨ વર્ષ અને ૧૨ પખવાડિયા સુધી એકલા વિચરતા શૂન્યગૃહાદિમાં રહેતા ત્યારે લોકો પૂછતા કે તમે કોણ છો ? અહીં કેમ ઉભા છો ? કયાંથી આવ્યા છો ? એવું પૂછે ત્યારે પણ મૌન રહેતા. તથા દુરાચારી આદિ એકલા ભટકતા ત્યાં આવીને કોઈ વખત દિવસે કે બે પૂછતા. ભગવંત ઉત્તર ન આપે ત્યારે ક્રોધિત થઈ અજ્ઞાન દૈષ્ટિથી દંડ, મુષ્ટિ આદિથી મારીને અનાર્યપણું બતાવતા. ભગવંત સમાધિમાં રહી ધર્મ ધ્યાને ચિત્ત રાખી સારી રીતે સહેતા, પણ વૈર લેવાની ઇચ્છા ન રાખતા. તેઓ કેવી રીતે પૂછતા ? તે કહે છે
[૨૯૯-] અહીં કોણ રહેલું છે ? એમ સંકેત કરીને દુરાચારી કે કામ કરનારા પૂછતા. ત્યાં નિત્ય રહેનારા દુષ્ટ માનસવાળા પણ પૂછતા. ત્યારે ભગવંત મૌન જ રહેતા. કોઈ વખત ઘણો દોષ થતો હોય તો ટાળવાને માટે કંઈક બોલતા. જેમકે હું ભિક્ષ છું, ત્યારે તેઓ સંમતિ આપે તો ભગવંત ત્યાં રહેતા. પણ ઇચ્છામાં વિદન થતું જાણી તે કપાયિત, મોહાંધ બનીને વર્તમાન લાભ જોનાર એમ કહે કે, “આ સ્થાનેથી જલ્દી નીકળ” તો ભગવંત આ અપ્રીતિનું સ્થાન છે એમ જાણી તુરંત નીકળી જતા. અથવા ન પણ નીકળતા. પણ આ મારું ધ્યાન ઉતમ ધર્મ છે, આચાર છે એમ વિચારી તે ગૃહસ્થના કડવા વચન સહન કરી મૌન રહેતા, જે થવાનું હોય તે થાય એમ માની ધ્યાનથી ચલાયમાન ન થતાં.
• સૂત્ર-૩૦૦ થી ૩૦૨ - | (Boo- જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન કુંકાતો અને બધા પ્રાણીઓ ઉજતા ત્યારે બીજા સાધુઓ પવનહીન બંધ સ્થાન શોધતા.
[3૦૧-] હિમજજ શીત સ્પર્શ અતિ દુઃખદાયી છે એમ વિચારી કોઈ સાધુ વિચારતા કે કપડા-કામળીમાં ઘુસી જઈએ કે કાષ્ઠ જણાવીએ કે કામળી ઓઢી લઈએ. ઈત્યાદિ.
[૩૦] આ રીતે ઠંડી સહન કરવી અસહ્ય જણાતી ત્યારે ભગવંત ઇચ્છારહિત થઈ કોઈ વૃક્ષાદિ નીચે ખુલ્લા સ્થાનમાં રહી ઠંડીને સમભાવે સહન કરીને પાછા અંદર આવી ધ્યાનમાં લીન બની જતાં
૧૦૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન-૩૦૦ થી ૩૦૨ -
[૩૦૦-] શિયાળાની ઋતુમાં કેટલાંક કપડાના અભાવે દંતવીણાની માફક કંપતા હોય છે. અથવા શીતજનિત દુ:ખને અનુભવતા આર્તધ્યાનને વશ થાય છે. તે શિયાળામાં બરફ જેવો ઠંડો પવન વાય છે. ત્યારે કેટલાંક સાધુ-અન્યતીર્થિકો ઘણી ઠંડી પડતા ઠંડીને દૂર કરવા ભડકા કરતા કે અંગારાની સગડી શોધતા, કામળાની યાચના કરતા અથવા પાર્શ્વનાથ તીર્થના ગચ્છવાસી સાધુ ઠંડીથી પીડાઈને વાયરા વિનાની ઘંઘશાળાદિ બંધ જગ્યા શોધતા હતા.
(3૦૧-] વળી સંયારી શબ્દથી ઠંડી દૂર કરનારાં બે કે ત્રણ વો ગ્રહણ કરતાં. તે સંઘાટીમાં અમે ઘુસી જઈએ તેમ ઠંડીથી પીડાયેલા વિચારતા અને તે સંઘાટી ધારણ કરતા. અન્ય ધર્મીઓ તો બાળવાના લાકડા શોધતા જેથી ઠંડી દૂર થઈ શકે. અથવા કામળો ઓઢીને રહેતા. કેમકે તે હિમપર્શ તેઓને દુ:ખે કરીને સહન થતો હતો. - x -
આવી સખત ઠંડીમાં ચોક્ત અનુષ્ઠાનવાળા -x - ભગવંત શું કરતા હતા ? તે દશવિ છે
[3૦૨-] આવી હિમવાત અને શીત સ્પર્શવાળી શિયાળાની ઋતુમાં સવગ પીડા થવા છતાં યદિ ગુણયુક્ત ભગવાનું શીતપશને સમભાવે સહન કરતા. તે ભગવંતને ઠંડી વિનાની વસતિની યાચના રૂપ પ્રતિજ્ઞા ન હતી. તેઓ ક્યાં ઠંડી સહન કરતા ?
ભીંતો અને છત વગરના સ્થાનમાં રહેતા તથા સંગદ્વેષ દૂર થવાથી શુદ્ધ આત્મદ્રવ્યવાળા અથવા કર્મગ્રંથિ દૂર થવાથી જેને સંયમ છે તેવા દ્રવિક એવા ભગવંત ઠંડી સહન કરતા. જો અતિ ઠંડી પડે તો ઢાંકેલા મકાનથી બહાર નીકળી કોઈ વાર સગિમાં મુહd સુધી ત્યાં રહી રહી ફરી મકાનમાં પ્રવેશતા. શમિત કે સમ્યક્ કે સમપણે રહીને તે શીત સ્પર્શને સહન કરતા હતા.
હવે આ ઉદ્દેશાનો ઉપસંહાર કરતા કહે છે• સૂત્ર-303 -
મતિમાનું માહણ અપતિજ્ઞ, કાશ્યપ, મહર્ષિ (ભગવંત) મહાવીરે આ [ઉકd વિધિનું આચરણ કર્યું. બીજા મુમુક્ષુ સાધકો પણ આ વિધિનું પાલન કરે. તેમ હું કહું છું
• વિવેચન :આ ‘વિધિ' ઇત્યાદિ ઉદ્દેશા-૨ મુજબ જાણવું.
અધ્યયન-૯ “ઉપધાન શ્રત” ઉદ્દેશો-૨ “શય્યા”નો. મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ