SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪/૧/૧૩૯ ૨૧૯ તે ધર્મ પાપના અનુબંધરહિત શુદ્ધ છે, - બૌદ્ધાદિ માફક હિંસાની અનુમતિના કલંકરૂપ દોષથી રહિત છે, પાંચ મહાવિદેહને આશ્રીને નિત્ય છે, શાશ્વત ગતિનો હેતુ હોવાથી શાશ્વત છે - x - ત્રણે કાળમાં શાશ્વત છે. જીવસમૂહને દુ:ખસાગરમાં ડૂબેલ જણી તેમાંથી પાર જવા કેવલી ભગવંતે બતાવ્યો છે - x • આ શુદ્ધ ધર્મ જિનેશ્વરનો કહેલો છે તે બતાવે છે [નિ.૨૨૬,૨૨જે જિનેશ્વરો થયા, છે કે થશે તે સર્વેએ અહિંસા બતાવી છે. બતાવશે અને બતાવે છે. છ એ જીવનિકાયને હણવા નહીં, હણાવવા નહીં, હણનારને અનુમોદે નહીં. એ સમ્યકવ નિયુક્તિ છે. | તીર્થકરનો ઉપદેશ એમના સ્વભાવથી પરોપકારીપણે અપેક્ષા વિના સર્વ પ્રકાશ માફક પ્રવર્તે છે - X • ધર્મ-સાત્રિ માટે ઉઠેલા એટલે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં પ્રયને કરનારા કે ન કરનારા બંને માટે સર્વજ્ઞ, ભગવંતે તેવા તેવા નિમિતોને ઉદ્દેશીને ધમાં કહ્યો છે. અથવા ઉઠેલા કે ન ઉઠેલા અર્થાત્ દ્રવ્યથી બેઠેલા કે ન બેઠેલાને ભગવંતે ધર્મ કહ્યો. તેમાં ૧૧-ગણધરોએ ઉભા ઉભા ધર્મ સાંભળ્યો - x - ધર્મશ્રવણોત્સુક તે ઉપસ્થિત છે અને તેથી વિપરીત તે અનુપસ્થિત. ભાવથી આવેલ ચિલાતિપુત્ર વગેરેને ધર્મકથા ઉપયોગી છે, પણ ગેરહાજર હોય તેને શું ગુણ કરે ? ગેરહાજર એવા “ઇન્દ્રનાગ” વગેરેને - x • ગુણકારી થયેલ જ છે, માટે તમારી શંકા નકામી છે. પ્રાણી કે આત્માને દંડે તે દંડ. તે મન, વચન, કાયાએ ત્રણ પ્રકારે છે. તેનાથી દૂર થયેલ તે ઉપરતદંડ કહેવાય. તેથી વિપરીત તે અનુપરત દંડ. તે બંનેને ઉપદેશ આપે. દંડત્યાગીને ગણ ચૈર્ય માટે અને અનુપરત દંડવાળા તે દંડનો ત્યાગ કરે માટે દેશના અપાય છે. જે સંગ્રહ કરાય તે ઉપધિ. દ્રવ્યથી સોનું આદિ અને ભાવથી માયા. તેમાં ઉપધિ સહિત તે સોપધિક છે, બીજા તિરુપધિક છે. સંયોગ એટલે પુખ, સ્ત્રી, મિત્ર વગેરે પર પ્રેમ. તેમાં ત તે સંયોગરત, તેથી વિપરીત તે અસંયોગd. તે બંનેને ભગવંત ઉપદેશ આપે છે. તેથી તે સત્ય છે, આ ભગવદ્ વચન તથ્ય છે - X - X • આ પ્રમાણે સમ્યગદર્શનનું શ્રદ્ધાનું કહ્યું. તે શ્રદ્ધાનું જિન પ્રવચનમાં છે, જે સમ્યફ મોક્ષમાર્ગને આપનાર છે. * * * હવે સભ્યત્વ પ્રાપ્તિમાં શું કરવું ? તે કહે છે • સૂત્ર-૧૪o - [ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી] તેના પર શ્રદ્ધા કરી પ્રમાદી ન થાય, તેનો ત્યાગ ન કરે. ધર્મનું જેવું સ્વરૂપ છે, તેવું જાણીને તેનું આચરણ કરે, પોથી વિરતિ પ્રાપ્ત કરે અને લોર્કેષણામાં ભટકે નહીં. • વિવેચન :તે તત્વાર્થ શ્રદ્ધાનું લક્ષણ ગ્રહણ કરીને, તે કાર્ય ન કરે તો દોષ લાગે માટે ૨૨૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેને ગોપવે નહીં. તે પ્રમાણે સંસાદિ નિમિતથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય તો પણ જીવ સામર્થ્ય ગુણથી સમ્યકત્વ ન તજે, અથવા અન્યમતના વ્રતો ગ્રહણ કરીને * * ગુરુ પાસે પૂર્વ વ્રત સ્થાપન કરી દીક્ષા મૂકી ન દે. તેમજ ગુરુ આદિ પાસે સમ્યકત્વનો ત્યાગ ન કરે. શ્રુત-ચારિરૂપ ધર્મ સમજીને કે વસ્તુ સ્વભાવ જાણીને વિશ્વાસ રાખે. તથા તે ધર્મ જાણીને દેખેલા ઇષ્ટ અનિટ રૂપોથી નિર્વેદ પામે. તે આ પ્રમાણે - શબદ સાંભળી, રસ ચાખી, ગંધ સુધી, સ્પર્શ કરી ઇષ્ટ અનિટમાં રાગ-દ્વેષ ન પામે. વળી પ્રાણીંગણની. જે એષણા-ઈષ્ટ શબ્દ આદિમાં પ્રવૃત્તિ, અનિટમાં ભાગ બુદ્ધિ. તે ન કરે. જેને આવી લોકૈષણા નથી તેને બીજી કુબુદ્ધિ પણ નથી તે કહે છે• સૂત્ર-૧૪૧ - જે સાધકને લોકૈયા નથી તેનાથી અન્ય સાવધ પ્રવૃત્તિ કેમ થઈ શકે ? આ જે કહ્યું છે તે “દષ્ટ' “શ્રત', ‘મન’ અને ‘વિજ્ઞાન’ છે. જે સંસારમાં અતિ આસક્ત, વિષયમાં લીન છે તે વારંવાર જન્મ લે છે. • વિવેચન : જે મુમુક્ષને આ લોકૈષણા બુદ્ધિ નથી, તેને બીજી સાવધ આરંભ પ્રવૃત્તિ ક્યાંથી હોય ? અર્થાત્ જેણે ભોગ વાસના ત્યાગી તેને સાવધ અનુષ્ઠાન પ્રવૃત્તિ ન હોય કેમકે તે ગૃહસ્થને જ હોય. અથવા હમણાં કહેલ જીવોને ન હણવા સંબંધી, પ્રત્યક્ષ સમ્યક્ત્વ જ્ઞાતી બતાવી તે દયા જેને ન હોય તેવાને કુમાર્ગ તજવા તથા સાવધ અનુષ્ઠાન છોડવારૂપ વિવેક બુદ્ધિ ક્યાંથી હોય ? દિયા સાથે જ સુબુદ્ધિ હોય.] હવે શિષ્યની મતિ સ્થિર કરવા કહે છે, જે તને મેં કહ્યું તે સર્વજ્ઞ કેવળજ્ઞાન વડે જોયેલ છે. તે શુશ્રુષા વડે મેં સાંભળ્યું. તે લઘુકર્મી ભવ્યોને માન્ય છે. જ્ઞાનાવરણીય ક્ષયોપશમ વિશેષથી જાણ્યું તે વિજ્ઞાત. તેથી તમારે પણ સમ્યકત્વાદિ મેં કહ્યું તેમાં યત્ન કરવો. - ઉક્ત માર્ગ ન આદરનાર તે જ મનુષ્યાદિ જન્મમાં ગૃદ્ધ બનીને વારંવાર મનોજ્ઞ ઇન્દ્રિયોના વિષયમાં થઈ ફરી ફરી એકેન્દ્રિયાદિ જાતિમાં જન્મ લે છે, સંસાને તરી શકતા નથી. જો આ રીતે તત્વજ્ઞાતા વર્તમાનમાં સ્વાદ લે, ઇન્દ્રિય વિષયોમાં લીન થઈ વારંવાર નવો જન્મ આદિને સાધનાસ હોય તો તેમણે શું કરવું? સૂત્ર-૧૪૨ : રાત-દિવસ મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ, વીર પ્રમાદીઓને ધમથી બહિર્મુખ જાણી, સ્વર્ય પમત થઈ પરાક્રમ કરે તેમ હું કહું છું. • વિવેચન : દિવસ-રાત મોક્ષમાર્ગમાં જ યન કરતો, પરીષહ-ઉપસર્ગથી ક્ષભિત ન થઈને સર્વકાળ સત-અસતનો વિવેક સ્વીકારેલ જો ગૃહસ્થ કે પરતીર્થિક કે જે ધર્મથી બહાર છે તેને જુઓ. તેમની દુર્દશા જોઈને તું અપમાદી થઈને નિવા-વિકથાદિરહિત બની
SR No.009034
Book TitleAgam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy