________________
વ્યાખ્યાન-૬
૧૦૫
• [૧૨૦] તે પછી શ્રમણ ભગવાન અણગાર થયા. ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાબનિક્ષેપણાસમિતિ, ઉચ્ચારપાસવણખેલસિંધાણજલ્લપારિસ્થાપનિકા સમિતિથી સમિત તથા મન સમિત, વચન સમિત અને કાય સમિત થયા.
૧૦૬
કલ્પ [બારસા] સૂત્ર પરાક્રમી, સિંહની માફક વિજેતા, સુમેરુ પર્વતની માફક અડગ, સુસ્થિર, સાગરની માફક ગંભીર, ચંદ્રની માફક સૌમ્ય, સૂર્યની માફક તેજસ્વી, સોનાની માફક કાંતિમાન, પૃથ્વીની માફક ક્ષમાશીલ અને અગ્નિની માફક જાન્જવલ્યમાન તેજસ્વી એવા ભગવંત થયા.
મનગુપ્તિ વચનગુપ્તિ, કાયમુર્તિથી ગુપ્ત થયા, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત થયા. શાંત, પ્રશાંત અને ઉપશાંત અને બધી જાતના સંતાપથી મુક્ત થયા. તેઓ આશ્રવરહિત, મમતારહિત, પરિગ્રહરહિત, અકિંચન નિગ્રન્થ થયા.
• [૧૨૧ થી ૧૨૩]. [૧૨૧] આ પદોની બે સંગ્રહ ગાથાઓ છે :
[૧૨૨] કાંસાનું વાસણ, શંખ, જીવ, આકાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળપત્ર, કાચબો, પક્ષી, મહાવરાહ, ભારંડપક્ષી.
કાંસાના વાસણની જેમ નિર્લેપ થયા. જેવી રીતે શંખ ઉપર કોઈપણ જાતના રંગની અસર થતી નથી. તેવી જ રીતે ભગવાન ઉપર રાગદ્વેષના રંગની અસર થતી ન હતી. જીવની માફક અપ્રતિહત ગતિવાળા થયા. ગગનની માફક આલંબન રહિત થયા. વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી થયા. શરદઋતુનાં પાણીની માફક તેમનું હૃદય નિર્મળ થયું. કમળપત્રની માફક નિર્લેપ થયા. કાચબાની માફક ગુપ્તેન્દ્રિય થયા. ખડગી (ગેંડા)ના મસ્તક ઉપર જેમ એક જ શીંગડું હોય છે તેવી જ રીતે ભગવાન એકાકી થયા.
[૧૨૩] હસ્તી, વૃષભ, સિંહ, ગિરિરાજ સુમેરુ પર્વત, સાગર, ચંદ્ર, સૂર્ય, સુવર્ણ, પૃથ્વી અને અગ્નિ.
• [૧૪] તે ભગવાનને ક્યાંય પણ પ્રતિબંધ ન હતો. તેઓ અપ્રતિબદ્ધ વિહારી હતા. પ્રતિબંધ ચાર પ્રકારનો હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી.
(તથા) પક્ષીની માફક અપ્રતિબદ્ધ, ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત, હાથીની માફક શૂરા, બળદની માફક
દ્રવ્યથી, સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યનો, ક્ષેત્રથી