________________
વ્યાખ્યાન-૪
[૮૩] હે દેવાનુપિયા ! તમે જે ચૌદ મહાસ્વપ્ન જોયેલ છે તે અતિશય પ્રધાન છે, ત્યાંથી માંડીને તમે ત્રણે લોકના નાયક, શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી, જિન [બનનાર એવા પુત્રને જન્મ પ્રદાન કરશો.
ક [બારસા] સૂત્ર નિવાસ કરનારા, વૃંભક દેવો, ઈન્દ્રની આજ્ઞાથી જે અત્યંત પ્રાચીન મહાનિધાનો હતા તેને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં એકત્રિત કરવા લાગ્યા. પ્રાપ્ત થનાર તે પ્રાચીન મહાનિધાનો આવા પ્રકારના હતા –
[૮] તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી વૃત્તાન્ત સાંભળીને, સમજીને ઘણી પ્રસન્ન થઈ, પુષ્કળ સંતોષને પામી, અત્યંત પ્રસન્ન થવાથી તેનું હૃદય વિકસિત થયું. તેણે બન્ને હાથ જોડીને મસ્તકે અંજલી કરીને સ્વપ્નોના અર્થનો સારી રીતે સ્વીકાર કર્યો.
જે ધનભંડારોના વર્તમાનમાં કોઈ અધિકૃત અધિકારી ન રહ્યા હોય, જેમાં કોઈ પણ વૃદ્ધિ કરનારા ન રહ્યા હોય, જે ધનભંડારોના જે સ્વામી હતા તેના ગોત્રમાં પણ કોઈ રહ્યું ન હોય, જે ધનભંડારોના અધિકારીઓનો પણ ઉચ્છેદ થઈ ગયો હોય અને અધિકારીઓના ગોત્રની વ્યક્તિઓનો પણ ઉચ્છેદ થઈ ગયો હોય, જે ઘરોનાં નામ, નિશાન કે અવશેષ પણ રહ્યાં ન હોય એવા ધનભંડારો કે જે જ્યાં ક્યાંય પણ ગામોમાં ખાણોમાં, નગરોમાં, ખેટક-માટીથી બનાવેલા ગઢવાળા ગામોમાં, નગરની પંક્તિમાં ન શોભતાં હોય તેવાં ગામોમાં, જે ગામોની નજીક ચારે તરફ બબ્બે ગાઉ સુધી કોઈ ગામ ન હોય એવાં મડંબોમાં.
[૮૫] સ્વપ્નોના અર્થનો સારી રીતે સ્વીકાર કર્યા પછી, સિદ્ધાર્થ રાજાની આજ્ઞા મેળવીને તે વિવિધ મણિ-રત્નોની રચનાથી ચમકતાં ભદ્રાસન પરથી ઉભી થાય છે. ઉભી થઈને શીઘતા રહિત, ચપળતા રહિત, વેગ રહિત, અવિલંબી રાજહંસી જેવી ગતિથી ચાલીને જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવીને પોતાના ભવનમાં દાખલ થાય છે.
(તથા) જળ અને સ્થળ માર્ગમાંથી-જ્યાં કેવળ કોઈ પણ એક માર્ગથી જઈ શકાય એવા પત્તનોમાં, તીર્થસ્થળો કે તાપસોના નિવાસ સ્થળ આશ્રમોમાં, સમભૂમિમાં કે જ્યાં ખેડૂતો ખેતી કરીને ધાન્યની રક્ષા માટે ધાન્ય રાખે છે તેવા ખળામાં, સેનાઓ, સાર્યવાહો અને મુસાફરો જ્યાં આરામ કરે છે તે સ્થળોમાં કે પડાવોમાં અથવા સિંઘોડાની માફક ત્રણ
[૮૬] જ્યારથી શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં સંક્રમિત થયા ત્યારથી વૈશ્રમણને આધીન એવા તિરછા લોકમાં