SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ કાયોટા કરે. (૧૦૪૮) કાયોત્સર્ગ પારીને ગરુને વંદના કરે, પછી સ્તુતિમંગલ કરીને કાળની પ્રતિલેખના કરે. (૧૦૪૯) રાગિક કૃત્યમાં - પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન બીજામાં નિદ્રા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. (૧૦૫૦) ચોથા પ્રહરે કાળનું પ્રતિલેખન કર, અસંયતને જગાડ્યા વિના સ્વાધ્યાય કરે. (૧૦૫૧) ચોથા પ્રહરના ચોથા ભાગે ગરને વંદના કરી, કાળનું પ્રતિક્રમણ કરે, કાળનું પ્રતિલેખન કરે. (૧૦૫૨) સર્વ દુઃખોટી મુક્ત કરાવનાર કાયોત્સર્ગનો સમય થતાં સર્વ દુઃખ વિમોક્ષક કાયોત્સર્ગ કરે. (૧૦૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી રાત્રિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. (૧૦૫૪) કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે રાઝિક અતિચારોને આલોચે. (૧૦) પ્રતિક્રમણ કરી નિશલ્ય થઈને ગુરુને વંદના કરે, ત્યારપછી બધાં દુઃખોથી મુક્ત કરાવનાર કાયોત્સર્ગ કરે. (૧૦૫૬) કાયોત્સર્કમાં ચિંતવે કે “હું આજે કયા તપને સ્વીકારુ?” કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. (૧૦૫૭) કાયોત્સન પારી, ગુરુને વંદના કરી, ત્યાર પછી યથોચિત તપનો સ્વીકાર કરીને સિદ્ધોની સ્તુતિ કરે. • વિવેચન - ૧૦૪૪/ર થી ૧૦૫ - કાયોત્સગદિ ૧૩ સૂત્રો છે. પ્રશ્રવણાદિ ભૂમિ પ્રતિલેખના પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. તે કર્મોના અપચયનો હેતુ છે. - x- ૪- ત્યાં રહીને જે કરે, તે કહે છે - ત્યાર પછી દૈવસિક અતિચાર - અતિક્રમને ચિંતવે - ધ્યાવે. અનુક્રમે પ્રભાતે મુખવસ્ત્રિકાની પડિલેહણાથી ચાવત આ જ કાયોત્સર્ગ છે. - X - X- કયા વિષયના અતિચાર ચિંતવે? જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયના. જેણે કાયોત્સર્ગને સમાપ્ત કરેલ છે, તે તે પ્રમાણે વાંદીને - દ્વાદશાવર્ત વંદન વડે વાંદી, અતિચાર ચિંતન કર્યા પછી આચાર્યાદિ પાસે દેવસિક અતિચારોની આલોચના કરે અર્થાત્ ગુરુની સમક્ષ પ્રકાશે - કહે. - ૪ - *- પ્રતિકભ્ય - અપરાધ સ્થાનો થકી નિવૃત્ત થઈને, પ્રતિક્રમણ કરે. કઈ રીતે? મનથી ભાવ શુદ્ધિ વડે, વચનથી સૂત્રપાઠ વડે, કાયા વડે મસ્તકને નમાવીને. પછી માયાદિ શલ્ય રહિત થઈને, વંદનપૂર્વક ખમાવીને અને દ્વાદશાવર્ત વંદન વડે વાંધીને, પછી ઉક્ત વિધિ બાદ અર્થાત્ આચાર્યાદિને વાંદીને. આ કાયોત્સર્ગ- ચારિત્ર, દર્શન, શ્રુત જ્ઞાન શુદ્ધિ નિમિત્તે ત્રણે વ્યુત્સર્ગરૂપ કાયોત્સર્ગ કરે. - ગુરુ વંદન પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. પછી સિદ્ધ ખવરૂપ સ્તુત મંગલ કરીને, પાઠાંતરથી સિદ્ધનો તંવ કરીને, આગમ પ્રતીત કાળની સમ્યક પ્રત્યુપેક્ષણા કરે. જાગૃત થાય. - x x x- ચોથી પોરિસિમાં કઈ રીતે સ્વાધ્યાય કરે? ચોથી પોરિસિમાં વૈરામિક કાળને પડિલેહીને પૂર્વવત કાળ ગ્રહીને સ્વાધ્યાય કરે. કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy