SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૯ ૨૬/૧૦૧૧ થી ૧૦૧૩ કાર્યનો પણ આદેશ આપે. ઉપલક્ષણથી સ્વ- પર બંને કરણમાં. ઉચ્છવાસ નિઃશ્વાસને છોડીને બધાં કાર્યોમાં પણ સ્વ - પર જે હોય તેમાં ગુરુને પૂછીને કરવું. - x- - . (૫) છંદણા- તથાવિધ અશનાદિ દ્રવ્ય વિશેષથી જે પૂર્વ ગૃહીત હોય તેને માટે નિમંત્રણા કરવી. (૬) ઇચ્છાકાર - સ્વકીય અભિપ્રાયતાથી તે કાર્યને કરવું તે સારણ - ઔચિત્યથી પોતાનું કે બીજાનું કૃત્ય હોય તે પ્રતિ પ્રવર્તવું તેમાં આત્મ સ્મારણમાં - આપતી ઇચ્છા હોય તો આપે કરવાનું આ કાર્ય હું કરું, બીજાના મારણમાં - મને પાત્ર લેપનાદિ જો આપને ઇચ્છા હોય તો કરો. - x x-. (૩) મિથ્યાકાર - આ મિથ્યા છે, તેવો સ્વીકાર કરવો, તે આત્મ નિંદા - “તે વિતથ આચરણમાં મને ધિક્કાર છે કે મેં આ કર્યું, એમ આત્માની નિંદા કરે. કેવી રીતે? જિનવચનોથી જાણીને. (૮) તથાકાર - આ આમ છે તેવું સ્વીકારવું કયા વિષયમાં? ગુરુની વાયનાદિમાં - x- X-. (૯) અભ્યત્યાન - આભિમુખ્યતાથી ઉત્થાન, શેમાં? ગુરુ પૂજામાં, તે ગૌરવને યોગ્ય- આચાર્ય, ગ્લાન, બાલ આદિને માટે યથોચિત આહાર, મૈષ જ આદિનું સંપાદન, સામાન્ય અભિધાનમાં અભ્યત્યાન નિમંત્રણા રૂપે જ ગ્રહણ કરાય છે. (૧૦) ઉપસંપદા - આટલો કાળ અમે આપની પાસે રહીશું, તેમ સમીપ રહેવું. આ જ્ઞાનાદિ ભેદથી ત્રણ પ્રકારે છે - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં. એમ દશભેદે સામાચારી છે. આના વડે શિષ્યએ સદા ગુરુના ઉપદેશથી જ રહેવું તેવું અર્થથી કહેલ છે. દશવિધ સામાચારી કહીને ઓધ સામાચારી કહે છે - • સૂત્ર - ૧૦૧૪ થી ૧૦૧૬ - (૧૦૧૪) સૂર્યોદય થતાં દિવસના પહેલાં પ્રહરમાં- પહેલાં ચતુર્થ ભાગમાં ઉપકરણોનું પડિલેહણ કરીને, ગરને વંદના કરી. (૧૦૧) બે હાથ જોડીને પૂછે કે - “હવે મારે શું કરવું જોઈએ? ભગવન્! મને આજે આપ સ્વાધ્યાયમાં નિયુક્ત કરો છો કે વૈયાવચ્ચમાં તે ઇરછુ છું. (૧૦૧૬) વૈયાવચમાં નિયુક્ત કરાતા આલાનપણે સેવા કરે. અથવા બધાં દુઃખોથી મુક્ત કરનારા સ્વાધ્યાયમાં નિયુક્ત કરતાં અગ્લાનપણે સ્વાધ્યાય કરે. • વિવેચન - ૧૦૧૪ થી ૧૦૧૬ - - સૂર્યના ઉગ્યા પછી પહેલાં ચતુર્ભાગમાં, તે કિંચિત જૂન હોવા છતાં ચતુર્ભાગ કહેવાય છે. જેને પાદોન પોરુષિ કહે છે. તેમાં પાત્રા આદિ ઉપકરણને ચક્ષુ વડે નિરીક્ષણ કરીને પ્રમાર્જે. પડિલેહણા કર્યા પછી ગુરુ - આયાર્યાદિને નમસ્કાર કરીને, અંજલિ જોડીને - મારે આ સમયે શું કરવું જોઈએ? ગુરુ મનમાં સ્વાધ્યાય કે વૈયાવચ્ચમાં જોડવા ઇચ્છતા હોય તે કહે - હું તેમાં જોડાવા ઇચ્છું છું. વૈયાવચ્ચ - ગ્લાનાદિ વ્યાપારમાં, કે સ્વાધ્યાયમાં? પાત્રા પડિલેહીને ગુરુને પૂછે. અહીં ધર્મદ્રવ્યના ઉપાર્જન હેતુત્વથી મુખવસ્ત્રિકા, વર્ષાકા આદિ અહીં ભાંડક કહેવાય છે. તેનું પડિલેહણ કરીને, વાંધીને ગુરુને પૂછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy